તાજેતરમાંઆપે જાણ્યું હશે કેદુનિયાનું શોપિંગ કેપિટલ કહેવાતું દુબઈ હાલમાં પૂરની ઝપેટમાં છે.જ્યાંવર્ષ દરમ્યાન બે-ત્રણ ઇંચ વરસાદ પણ માંડ-માંડ થતો હોય એવા દુબઈનારસ્તાઓ અચાનક જ પાણીથી ભરાઈ ગયા, શાળા-કોલેજો, શોપિંગ મોલ,પાર્કિંગ સહીત દુબઈનીલગભગ તમામ જગ્યાઓ પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી.દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાનું એકદુબઈ એરપોર્ટ પણ પૂરની ઝપેટમાં આવી ગયું હતું.થોડો સમય તો તેનારનવે પણ પાણીમાં ડૂબી ગયા હતા.આ અંગે હવામાન વિજ્ઞાનીઓકહ્યું કે આ અકસ્માત એ વિજ્ઞાનનાકેટલાકવધુ પડતા અને ખોટાઉપયોગનેકારણે બનવા પામ્યો હતો. આપણે જાણીએ છીએ કે ગલ્ફ દેશોમાં સીમિત માત્રામાં વરસાદ થાય છે. જેથી વિજ્ઞાનની મદદ લઈને આવા, વિસ્તારોમાં કૃત્રિમ વરસાદ કરાવવો એ સામાન્ય બાબત છે. દુબઈના આકાશમાં પણ ક્લાઉડ સીડિંગ (કૃત્રિમ વરસાદ)માટે પ્લેન ઉડાવવામાં આવ્યા હતા.
જેના પરિણામે દુબઈમાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો હતો.અત્રેઆપનેએ જાણવું પણ ગમશે કે વર્ષ 1982-83 દરમ્યાન ગુજરાતમાં પડેલા ભીષણ દુષ્કાળની સમસ્યા દૂર કરવા માટે આ પ્રકારે કૃત્રિમ વરસાદના વ્યાપક પ્રયોગો કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે દુબઈમાં દોઢ વર્ષ જેટલાસમયમાં પડવાની સંભાવના હોય તેટલો વરસાદ, આ પ્રયોગમાં માત્ર થોડા કલાકોમાં પડી ગયો. આટલા રેકોર્ડ વરસાદ વરસવાની ક્યારેય અપેક્ષા ના હોવાને કારણે દુબઈનીવરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પણ એ રીતે જ બનાવવામાં આવી હતી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દુબઈમાં એક જ દિવસમાં 5.7 ઈંચ જેટલો વરસાદ થયો,જેના પરિણામે પૂર આવ્યું.કૃત્રિમ વરસાદ શું છે? જો સરળ શબ્દોમાં કહીએ તો વાદળોમાં વરસાદના બીજ વાવવાની પ્રક્રિયાને ક્લાઉડ સીડીંગ એટલે કે કૃત્રિમ વરસાદ કહે છે. જે અંતર્ગત ક્લાઉડ ક્ધડેન્સેશન અથવા આઇસ ન્યુક્લી તરીકે કામ કરતા કેટલાક પદાર્થોનો એરક્રાફ્ટ અથવા એન્ટી એરક્રાફ્ટ ગન અથવા ડ્રોન વગેરે વડે વાદળોની ઉપર હવામાંફેલાવીને ક્લાઉડ સીડીંગકરવામાં આવે છે.
- Advertisement -
જેમાંસામાન્ય રીતેસિલ્વર આયોડાઈડ, પોટેશિયમ આયોડાઈડ અને ડ્રાય આઈસ, ટેબલ સોલ્ટ જેવાકેમિકલએજન્ટોનો સમાવેશ થાય છે.ક્લાઉડ સીડીંગ એ હવામાનમાં ફેરફાર કરવાની વિશિષ્ટ ટેકનોલોજી છે જે અમુક પ્રકારના સબફ્રીઝિંગ વાદળોમાં બરફના નાનાઅણુઓ(નાભિકકણો) ને સમાવીને વરસાદ અથવા બરફ પેદા કરવાની વાદળની ક્ષમતાને સુધારે છે. આ નાભિકકણોવાદળમાંસ્નો-ફ્લેક્સ બનાવવા માટેનો આધાર પૂરો પાડે છે. આમ કૃત્રિમ રીતે ક્લાઉડ સીડીંગ થયા પછી, નવા બનેલા સ્નો-ફ્લેક્સ ઝડપથી ફેલાયછે અને વાદળનું વજન વધતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે વરસાદ સ્વરૂૂપે ધરતીની સપાટી પર પડે છે. ક્યારેક જો આ નાભિકકણો વધુ પ્રમાણમાં સક્રિય થઈજાય તો સ્નો-ફ્લેક્સ અને વરસાદના પ્રવાહમાં વધારો કરે છે. જેને પરિણામે દુબઈમાં થયેલ તબાહી જેવા સંજોગોનું નિર્માણ થાય છે.કદાચ આ માટે જ કહેવાયું છે કે ‘વિજ્ઞાનનું ભૂતજોકાબુમાં રહે તો કામનું અને જો બેકાબુ થયું તો કામ-તમામનું…