રાકેશ રાઠોડ યેનકેન પ્રકારે બ્લેકમેઈલ કરી ગ્રામજનોને ટાર્ગેટ કરતાં આજી ડેમ પી.આઈ.ને આવેદન પત્ર પાઠવાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ભુપગઢ ખાતે રાકેશભાઈ જસાભાઈ રાઠોડ કે જેઓ અનુસુચિત જાતિના હોય તેઓ પોતાની જાતિને લઈને કાયદાનો દુરુપયોગ કરીને ગ્રામજનોને બ્લેકમેઈલ કરવા માટે વારંવાર ગ્રામજનો વિરુદ્ધ, યેનકેન પ્રકારે ખોટી ફરિયાદો આવેદનો આપીને ગ્રામજનોને ટાર્ગેટ કરે છે. વધુમાં રાકેશભાઈ જસાભાઈ રાઠોડ એક જ જ્ઞાતિને ટાર્ગેટ કરે છે અને તેના વિરુદ્ધ વૈમનસ્ય રાખીને તેના વિરુદ્ધ આવેદનો, ખોટી ફરિયાદો કરે છે ત્યારે આ અંગે ઘટતું કરવા અને કડક પગલાં લેવા આજી ડેમ પોલીસ સ્ટેશનના પી.આઈ.ને ગ્રામજનોએ આવેદન પત્ર પાઠવ્યું છે.
- Advertisement -
વધુમાં રાકેશભાઈ જસાભાઈએ આજદિન સુધી કરેલી ફરિયાદો, આવેદનોની તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે. ભુપગઢ ગામમાં અન્ય કોઈને કોઈ તકલીફ નથી, ગ્રામજનો સંપીને રહે છે અને એકબીજાની તકલીફમાં સાથે રહે છે. ભુપગઢમાં સરપંચ તરીકે અનુસુચિત જ્ઞાતિના કેન્ડીકેટને જંગી બહુમતીથી ચૂંટેલા હોય અને સામા પક્ષે તેમના કેન્ડીકેટ હોય અને તેઓની કારમી હાર થતાં રાજકીય ખાર રાખીને પણ એક યા બીજા પ્રકારે લોકોને પરેશાન કરે છે.
આમ રાકેશભાઈ જસાભાઈએ આજદિન સુધીમાં કરેલ અરજીઓ, આવેદનોની સંખ્યાની તપાસ તટસ્થાથી કરવામાં આવે તો રાકેશભાઈ લોકો પ્રત્યે કેવું વૈમનસ્ય રાખે છે તેનો ખ્યાલ આવી જશે. તેઓએ આજદિન સુધીમાં કરેલ અરજીઓ, આવેદનો પૂર્વગ્રહ રાખીને ખોટી અને ઉપજાવી કાઢેલ બાબતોને લઈને કરેલી છે.
અમારા ગામમાં ન્યાય સમિતિ, સરપંચ, ઉપસરપંચ આમ બંધારણીય રીતે ચૂંટાયેલ હોદ્દેદારો હોય છતાં પણ પોલીસ તેમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર કે ચર્ચા કર્યા વગર ગ્રામજનની અટક કરી લે છે જેથી કરીને બે સમાજો વચ્ચે વર્ગવિગ્રહ અને વૈમનસ્ય ફેલાય છે અને ગામની શાંતિ ડહોળાઈ છે જેથી ગ્રામજનો આ બાબત બહાર આવી શકે તે માટે રાકેશ જસાભાઈ રાઠોડ પર કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી છે. અમારા શાંત ગામમાં કોઈ પણ પ્રકારનો અણબનાવ બને, શાંતિનો ભંગ થાય બે જ્ઞાતિઓ વચ્ચે વર્ગવિગ્રહ થાય તો તેના માટે ફકત આ એક જ વ્યક્તિ રાકેશભાઈ જસાભાઈ જવાબદાર ગણાશે. ભારતીય કાયદાઓને દુરુપયોગ કરીને રાકેશભાઈ પુરા ગામને હેરાન પરેશાન કરે છે જેથી તેના વિરુદ્ધ ધોરણસરની, કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી છે. જો ફકત આ એક માણસને ક્ધટ્રોલ કરવામાં આવે તો અમારુ ગામ ખૂબ જ પ્રગતિ કરે તેમ છે અને ગામની અંદર ભાઈચારાની લાગણી બની રહે.
ગ્રામજનોએ આવેદનમાં જણાવ્યું કે રાકેશભાઈ જસાભાઈ જ્યારે કોઈ પણ પ્રકારની અરજી, ફરિયાદ, આવેદન આપે ત્યારે તેની તટસ્થ તપાસ કરવામાં આવે જેથી સત્ય હકીકત બહાર આવી શકે અને નિર્દોષ ગ્રામજનોની હેરાનગતિ ઘટે અને રાકેશભાઈ જસાભાઈ વિરુદ્ધ કાયદેસર ગુન્હો નોંધી ગામની શાંતિ ડહોળવા માટે અને લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માટેની કલમો લગાવી સખ્ય નશ્યતે પહોંચાડવા માંગ કરવામાં આવી છે.