By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદેથી ઉદ્ધવ ઠાકરેએ આપ્યું રાજીનામું, આજે ફ્લોર ટેસ્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદેથી ઉદ્ધવ ઠાકરેએ આપ્યું રાજીનામું, આજે ફ્લોર ટેસ્ટ
ખાસ-ખબરરાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદેથી ઉદ્ધવ ઠાકરેએ આપ્યું રાજીનામું, આજે ફ્લોર ટેસ્ટ

Khaskhabar Editor
Last updated: 2022/06/30 at 10:31 AM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

 

અડધા કલાક અગાઉ જ સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા જેમાં ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ આઘાડી સરકારને દસ દિવસ ચાલેલા મહારાષ્ટ્રના રાજનૈતિક સંગ્રામ બાદ આવતીકાલે રાજ્યપાલ દ્વારા આદેશ કર્યા અનુસાર વિધાનસભામાં વિશ્વાસનો મત લેવાનું કહેવામાં આવ્યું હતું. આ ચુકાદા બાદ ઉદ્ધવ ઠાકરે જેઓ અઠવાડિયા અગાઉ પોતાની સાથે વિદ્રોહી શિંદે જૂથના વીસ જેટલા ધારાસભ્યો પોતાના પક્ષમાં હોવાનો દાવો કરતા હતા તેમણે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે.

- Advertisement -

તેમણે કહ્યું હતું કે આવતીકાલે ફ્લોર ટેસ્ટ છે અને કોની પાસે કેટલા ધારાસભ્યો છે તે જાણવાની મને કોઈજ ઈચ્છા નથી. હું આવનારી સરકારને સમર્થન આપવા માટે તૈયાર છું. મને મુખ્યમંત્રી પદની કોઈજ ચિંતા નથી, મારે મુખ્યમંત્રી બનવું હતું કે નહોતું બનવું એ તમામને ખબર જ છે અને હું રાજીનામું આપું છું. ઉદ્ધવે પોતાની વિધાન પરિષદની બેઠક પણ છોડી દીધી છે.

BJP set to stake claim in Maharashtra, Devendra Fadnavis eyes CM post for 3rd time

Read @ANI Story | https://t.co/pXRiBG0qWH#Maharashtra #MaharashtraPoliticalCrisis #BJP #DevendraFadnavis pic.twitter.com/lQoEDsvI17

- Advertisement -

— ANI Digital (@ani_digital) June 30, 2022

આ અગાઉ સાંજે ઠાકરેએ મુંબઈ સ્થિત મંત્રાલય ખાતે કેબિનેટની અંતિમ બેઠકને સંબોધન કર્યું હતું અને ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર તેમજ ઓસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવા જેવા નિર્ણયો લીધા હતા. બીજી તરફ આ સમાચાર સાંભળીને ભાજપ કેમ્પમાં ખુશાલી છવાઈ ગઈ હતી અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત દાદા પાટીલને કાર્યકર્તાઓએ મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું.

સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્રના રાજનૈતિક સંગ્રામ અંગે આજે એક મહત્વનો ચૂકાદો આપતા મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારી દ્વારા આવતીકાલે ઉદ્ધવ ઠાકરેની મહા વિકાસ આઘાડી સરકારને બહુમત સાબિત કરવાના આદેશને સ્વીકાર્યો છે. આજે લગભગ સાડાત્રણ કલાક સુધી સુપ્રિમ કોર્ટમાં આ અંગે શિવસેના અને મહા વિકાસ આઘાડી વતી અભિષેક મનુ સિંઘવી અને એકનાથ શિંદે જૂથ તરફથી નીરજ કૌલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. કોર્ટે હમણાં રાત્રે બરોબર નવને દસ વાગ્યે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો.

આ ચુકાદામાં સુપ્રિમ કોર્ટે જેલમાં રહેલા બે ધારાસભ્યો એનસીપીના નવાબ મલિક અને અનિલ દેશમુખને આવતીકાલના વિશ્વાસના મતમાં મત આપવાની છૂટ આપી હતી.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી દ્વારા મહા વિકાસ આઘાડી સરકાર અને ઉદ્ધવ ઠાકરેને આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહ્યું હતું. ગવર્નરના આ આદેશ વિરુદ્ધ મહા વિકાસ આઘાડી સરકાર સુપ્રિમ કોર્ટમાં ગઈ હતી. આઘાડી તરફથી અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી.

સિંઘવીએ દલીલ કરી હતી કે વિધાનસભાના અમુક સભ્યોને કોરોના છે તો બે સભ્યો જેલમાં છે અને કોંગ્રેસના બે સભ્યો વિદેશમાં છે આવામાં બહુમતિ સાબિત કરવામાં તકલીફ થશે. આ ઉપરાંત અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે રાજ્યપાલે મુખ્યમંત્રીને વધુ સમય આપ્યો ન હતો. ઉદ્ધવ સરકારની સુપ્રિમ કોર્ટમાં મુખ્ય દલીલ એ હતી કે જ્યારે સુપ્રિમ કોર્ટે વિદ્રોહી ધારાસભ્યોની અયોગ્યતા વિષેનો કેસ 11 જુલાઈ સુધી મુલતવી રાખ્યો છે અને તે દિવસે તેનો ચૂકાદો પણ આવવાનો છે તો આ સમય દરમ્યાન મુખ્યમંત્રીને રાજ્યપાલ કેવી રીતે બહુમત સાબિત કરવા કહી શકે? સુપ્રિમ કોર્ટે આ દલીલ વિષે એમ સતત પૂછ્યું હતું કે આ બંને વચ્ચે શું સંબંધ છે?

#WATCH Mumbai | Uddhav Thackeray submits his resignation as Maharashtra CM to Governor Bhagat Singh Koshyari, who has asked him to continue as CM until an alternate arrangement is made: Raj Bhavan pic.twitter.com/lmEzl8ghBY

— ANI (@ANI) June 29, 2022

આ સમગ્ર દલીલ દરમ્યાન અભિષેક મનુ સિંઘવીએ રાજ્યપાલની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે શું એકનાથ શિંદેનું જૂથ 11 જુલાઈ સુધી રાહ નહોતું જોવાનું? રાજ્યપાલે સરકારને બહુમતિ સાબિત કરવા માટે ઉતાવળ કરી છે. સુપ્રિમ કોર્ટે વળતો પ્રશ્ન કર્યો હતો કે જો રાજ્યપાલે બહુમતિ સાબિત કરવાનું કહ્યું છે તો એમાં ખોટું શું છે?

સિંઘવીએ દલીલ કરતા કોર્ટને પૂછ્યું હતું કે બંને જૂથના બે-બે દંડક (વ્હીપ) છે તો કયા વ્હીપનો આદેશ વિધાનસભ્યો માનશે? ન્યાય ત્યારે જ થશે જો ડેપ્યુટી સ્પિકરને વિદ્રોહી ધારાસભ્યો પર નિર્ણય લેવાની છૂટ મળે અથવાતો બહુમત સાબિત કરવા માટે 11 જુલાઈની રાહ જોવામાં આવે.

શિંદે જૂથના વકીલ નીરજ કૌલ દ્વારા કરવામાં આવેલી દલીલમાં કહેવામાં આવ્યું હતું કે ડેપ્યુટી સ્પિકરની ન્યાય કરવાની શક્તિ પર શંકા છે. તેમણે આ પ્રકારના કિસ્સાઓમાં સુપ્રિમ કોર્ટના અગાઉના ચુકાદાઓ ટાંક્યા હતા. સુપ્રિમ કોર્ટે પણ નોંધ્યું હતું કે જ્યારે કોઈ મુખ્યમંત્રી બહુમત સાબિત કરવા માટે ખંચકાટ અનુભવતો હોય ત્યારે પ્રથમદર્શી રીતે તેની પાસે બહુમત નથી એમ માની લેવું પડે છે.

નીરજ કૌલે જણાવ્યું હતું કે શિવસેના પક્ષમાં પણ ‘આ લોકો’ લઘુમતિમાં છે અને આથી તેઓ બહુમત લેવાથી દૂર ભાગી રહ્યા છે. આગળ દલીલ એમ પણ કરી હતી કે આવતીકાલ બાદ ફરીથી બહુમત લેવામાં પણ કોઈને વાંધો ન હોઈ શકે. કૌલે ઉમેર્યું હતું કે રાજ્યપાલને વિશેષાધિકાર પ્રાપ્ત હોય છે અને તેનું સન્માન થવું જોઈએ જ્યારે તેમને એવું લાગે કે સરકાર પાસે બહુમતિ નથી ત્યારે તેઓ તેને સાબિત કરવાનું કહી શકે છે. આ બાબતે કૌલે મધ્ય પ્રદેશ અંગે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાને પણ ટાંક્યો હતો. નીરજ કૌલે દાવો કર્યો હતો કે શિંદે જૂથ જ અસલી શિવસેના છે.

સુપ્રિમ કોર્ટના આજના ચુકાદા બાદ હવે મહારાષ્ટ્રના રાજનૈતિક સંગ્રામમાં હવે એક નવો વળાંક આવ્યો છે અને હવે દડો ઉદ્ધવ ઠાકરેની કોર્ટમાં છે કે તેઓ બહુમત લેવાના પ્રયાસ બાદ રાજીનામું આપે છે કે પછી એ પહેલા જ રાજ્યપાલને મળીને રાજીનામું આપી દે છે.

You Might Also Like

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ

બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

TAGGED: maharashtra, RESIGN, shivsena, uddhavthackeray
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોવિડ પોઝિટિવ, હોમ આઈસોલેટમાં રખાયા
Next Article ગુજરાતનાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી કોરોના સંક્રમિત, હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?