કોરોનાકાળ દરમિયાન બે વર્ષના વિરામ બાદ 24મીએ જય માતાજીના બુલંદ નારા સાથે ભવ્ય આયોજન
સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો માટે મહા રક્તદાન કેમ્પ યોજાશે
- Advertisement -
આ ઉત્સવનુ મૂખ્ય આકર્ષણ જો કોઈ હોય તો તે રાત્રીના સમયે ગવાતા માતાજીના ગરબાનુ છે અનેક દેવીના ઉપાસકો શ્રધ્ધાળુઓ આસ્થા અને શ્રદ્ધા સાથે ગરબા ગાય છે આ પ્રસંગને માણવો એ એક લ્હાવો
ખાસ-ખબર સંવાદદાતા
આજથી 13 માસ બાદ એટલે કે 2023ના મે મહિનામાં જે મહાદેવ મંદિરનો સાર્ધ શતાબ્દી (150 વર્ષ)માં મંગલ પ્રવેશ થનાર છે તે શ્રીપંચનાથ મહાદેવ મંદિરમાં છેલ્લા સતાવીસ વર્ષ થી શ્રી રાંદલ માતાજીના લોટા ઉત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા બે વર્ષથી ઉદભવેલ કોરોના મહામારીના કારણોસર ફરજીયાત પણે આયોજન કરવામાં બ્રેક મારવી પડી હતી આ બે વર્ષના ફરજીયાત વિરામ બાદ શ્રી પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા રાજકોટની ધર્મપ્રેમી જનતાની લાગણી અને માંગણીને વાચા આપીને તા 24 એપ્રિલને રવિવારના રોજ શ્રી રાંદલ માતાજીના લોટા ઉત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
- Advertisement -
આ ધાર્મિક આયોજનમાં કુલ 108 માંડણી તેમાં દરેકમાં બે શ્રી રાંદલ માતાજીના લોટા (કુલ 216 લોટા)નું સ્થાપન કરવામાં આવનાર છે 108 યજમાન સવારે 8 વાગ્યે સંપૂર્ણ ધાર્મિક વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે અર્ચન પૂજન કરશે રાત્રીના 8 વાગ્યે આરતી અને 9 વાગ્યે માતાજીના ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે બીજા દિવસે સવારે 8 વાગ્યે પૂજન કરીને માતાજીના ચરણોમાં વંદન સાથે ઓણસાલ વ્હેલા પધારજો તેવી પ્રાર્થના સાથે ભારે હ્રદયે માતાજીના સ્થાપનાનુ ઉત્થાપન કરવામાં આવે છે.
આ ઉત્સવનુ મૂખ્ય આકર્ષણ જો કોઈ હોય તો તે રાત્રીના સમયે ગવાતા માતાજીના ગરબાનુ છે અનેક દેવીના ઉપાસકો શ્રધ્ધાળુઓ આસ્થા અને શ્રદ્ધા સાથે ગરબા ગાય છે આ પ્રસંગને માણવો એ એક લ્હાવો છે આજના યુવાનો પશ્વિમના દેશોની સંસ્કૃતિનુ અનુકરણ કરી રહ્યા છે ત્યારે આવા સમયે શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના યુવા ટ્રસ્ટીશ્રીઓ આજની યુવા પેઢીમાં ભારતીય સંસ્કૃતિના સિંચન થાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો આપવા તત્પર છે.
સાથોસાથ આ જે ધાર્મિક ઉત્સવનુ આયોજન કરવામાં આવેલ છે તે જ પવિત્ર ભૂમિ પર તાજેતરમાં જ સંપન્ન થયેલા મહાશિવરાત્રીના પર્વની ઉજવણી દરમ્યાન થેલેસેમીયા પીડીત બાળકો તેમજ જરૂરતમંદ લોકો કાજે શ્રી પંચનાથ હોસ્પિટલ તથા અન્ય સેવાભાવી સંસ્થા દ્રારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં મળેલ ભવ્ય સફળતા બાદ આ ધાર્મિક ઉત્સવમા પણ શ્રી પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ યોજવામાં આવેલ રક્તદાન કેમ્પમાં રાજકોટની ધર્મપ્રેમી જનતાને મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કરવા અને કરાવવા તેમજ સાક્ષાત શ્રી રાંદલ માતાજીના દર્શનનો લાભ લેવા માટે શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે આ ઉત્સવની સફળતા માટે ધર્મપ્રેમી જનતાની બહોળા પ્રમાણમાં ઉપસ્થિતિ આનંદદાયક છે અનિવાર્ય છે અને આવશ્યક પણ છે તેવુ અખબારી યાદીમાં જણાવેલ છે.
શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ ઉપપ્રમુખ વસંતભાઈ જસાણી માનદમંત્રી મયુરભાઈ શાહ કોષાધ્યક્ષ મહેન્દ્રસિંહ ગોહેલ ટ્રસ્ટીશ્રીઓ ડી વી મહેતા ડો રવીરાજ ગુજરાતી અનીલભાઈ દેસાઈ નીરજભાઈ પાઠક જૈમિનભાઈ જોષી સંદીપભાઈ ડોડીયા નિતીનભાઇ મણીયાર નારણભાઈ લાલકીયા મિતેષભાઇ વ્યાસ જેવા સેવાના ભેખધારીઓએ કોરોના મહામારીને અંકુશમાં લેવા આપણે બધા સફળ રહ્યા છીએ પણ તે સંપૂર્ણપણે નાબૂદ નથી થયો તેનો ખાસ ખ્યાલ રાખીને આ ઉત્સવમાં પધારનાર દરેક ધર્મપ્રેમી જનતાને માસ્ક તથા સામાજીક અંતર જાળવી રાખવા અપીલ કરેલ છે.