રાજકોટની મોદી સ્કૂલે શિક્ષકોને ધંધે લગાડ્યા
મોદી સ્કૂલમાં શિક્ષકોને 20 રૂ.ની ટિકિટ 50 રૂ.માં વેંચવા આપી: શિક્ષકો ટિકિટ વેંચે એ પહેલાં જ તેમની પાસેથી સંચાલકોએ એક-એક હજાર રૂપિયા ઉઘરાવી લીધા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આવેલી મોદી સ્કૂલની દાદાગીરી દિન-પ્રતિદિન વધતી જતી જોવા મળે છે. આ સ્કૂલ વિદ્યાર્થીઓ અને વાળીઓને ત્રાસ આપવા માટે પંકાયેલી છે એ ઉપરાંત મોદી સ્કૂલની દાદાગીરી અને ત્રાસમાંથી તેમના શિક્ષકો પણ બાકાત નથી. હાલ કોરોનાની ગાઈડલાઈનનો ઉલાળીયો કરીને થર્ટી ફર્સ્ટ પર આયોજિત એક ફેનફેરની ટિકિટ ફરજીયાત વેંચવા માટે મોદી સ્કૂલ દ્વારા તેમના શિક્ષકો પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવું તેમના જ કેટલાંક શિક્ષકોઈ નામ ન આપવાની શરતે જણાવ્યું છે.
આ અગાઉ પણ મોદી સ્કૂલ અનેકવાર વિવાદોમાં આવી ચૂકી છે. ગેરકાયદે બાંધકામ, ફી વધારોથી લઈ શિક્ષકોને પૂરતો પગાર ન ચૂકવવો વગેરે મામલે મોદી સ્કૂલના સંચાલકોની દાદાગીરી જગજાહેર છે. મોદી સ્કૂલના સંચાલકો હવે ન્યૂયર પર આયોજિત ફનફેરની ટિકિટો ફરજીયાત વેચવા માટે શિક્ષકોને દબાણ કરી રહ્યા છે.
- Advertisement -
મળતી માહિતી પ્રમાણે શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી મોદી સ્કૂલના શિક્ષકોને 20 રૂપિયાની ટિકિટ 50 રૂપિયા લેખે વેચવા માટે આપવામાં આવી છે. પ્રતિ શિક્ષક આ ટિકિટના એક હજાર રૂપિયા સ્કૂલ દ્વારા એડવાન્સમાં લઈ લેવામાં આવ્યા છે જ્યારે આ સિવાય 15 ટિકિટ વધારાની આપી છે. જ્યારે 150 ફૂટ રીંગ રોડ પર આવેલી મોદી સ્કૂલના શિક્ષકોને 100 ટિકિટ આપવામાં આવી જેના પણ એડવાન્સ રૂપિયા શાળા સંચાલકો દ્વારા ઉઘરાવી લેવાયા છે.
મોદી સ્કૂલ દ્વારા ત્રણ દિવસ સુધી નાના મવા સર્કલે યોજાવવાના ફનફેરની ટિકિટ ફરજીયાત વેંચવા માટે દબાણ થતા શાળાના શિક્ષકો ધંધે લાગ્યા છે કેમ કે શાળા દ્વારા આ ટિકિટોના પૈસા અગાઉથી જ શિક્ષકો પાસેથી લઈ લેવામાં આવ્યા હોય આ ટિકિટ ન વેંચાઈ તો શિક્ષકોના પૈસા પાણીમાં જાય તેમ છે.