નરેશ પટેલનો ચેપ અન્યને પણ લાગ્યો : પાટીદાર નેતાઓનાં ઉશ્કેરણીજનક નિવેદનો
નરેશ પટેલ, હાર્દિક પટેલ, લાલજી પટેલ અને ગીતા પટેલે ફરી સરકારને સીડી બનાવી સમાજની પ્રગતિ કરવાની વાત કરી!
ખાસ-ખબર સંવાદદાતા
જસદણ ખાતે યોજાયેલા પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં પટેલ સમાજના અગ્રણી નેતાઓ નરેશ પટેલ, હાર્દિક પટેલ, લાલજી પટેલ, ગીતા પટેલ સહિતનાઓએ ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા છે. પાટીદાર નેતાઓના આ નિવેદનમાં સમાજને એક કરવાની વાત ઓછી અને સરકારને દબાવવાની વાત વધુ છે. અગાઉ પણ પાટીદાર નેતાઓ અનેકવાર પટેલ સમાજને એક કરવાની વાતમાં પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સંતોષતા જોવા મળ્યા છે ત્યારે ફરી એકવખત જસદણ ખાતે પાટીદાર સમાજના કાર્યક્રમમાં આવું જ ચિત્ર ઉપસ્થિત થયું છે જેમાં સરકારને સિડી બનાવી પાટીદાર સમાજની પ્રગતિ કરવાની વાત તેના સમાજના નેતાઓ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે, પાટીદાર નેતાઓ ફક્ત પોતાના સમાજની જ એકતા અને પ્રગતિની વાત કરતા જોવા મળે છે પરંતુ અન્ય સમાજ કે સર્વે સમાજને સાથે રાખી ચાલવાની વાત કરી શકતા નથી. અધૂરામાં પૂરું પાટીદાર નેતાઓ સરકાર પર અધિકાર જમાવવાની અને આગામી ચૂંટણીમાં પટેલ સમાજ કોના તરફે રહેશે એવું કહી પોતે જ સર્વસ્વ હોવાનો દાવો કરે છે. સરકાર દ્વારા પાટીદાર સમાજને ઘણું મળ્યું છે અને મળી રહ્યું છે છતાં હજુ પણ પાટીદાર સમાજનો સરકાર પ્રત્યેનો અસંતોષ દર્શાય આવે છે જે પાટીદાર નેતાઓનો વ્યક્તિગત અસંતોષ લાગી રહ્યો છે. પહેલાથી જ પાટીદાર સમાજ પ્રગતિશીલ સમાજ છે. એક સમાજ છે છતાં પાટીદાર સમાજની એકતાની વાતો કરી પાટીદાર નેતાઓ પોતાના અને અન્ય સમાજના લોકો સમક્ષ વિવિધ નિવેદનો આપી આડકતરી રીતે ઉશ્કેરી રહ્યા છે. સરકાર સામે સમયાંતરે કરવામાં આવેલી પાટીદાર નેતાઓની વિવિધ માંગણીઓનો શાંતિપૂર્વક નિવેડો લાવવામાં આવ્યો છે. આમ છતાં જો પાટીદાર સમાજને સંતોષ ન હોય તો શું હવે પાટીદાર સમાજને અલગ ’પાટી’સ્તાન જોઈએ છે?
ચૂંટણીઓમાં પાટીદાર સમાજ કોની સાથે છે એ સમય આવ્યે બતાવીશું : નરેશ પટેલ
- Advertisement -
પાટીદાર સમાજના કાર્યક્રમમાં ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલે ફરી સરપંચથી સાંસદ સુધી તમામ પાટીદારો જ હોય તેવો રાગ આલાપતા જણાવ્યું હતું કે, સરકારી નોકરીઓમાં પણ ઘણાં પાટીદાર દીકરા-દીકરીઓને સ્થાન મળ્યું છે, પરંતુ યોગ્ય સ્થાને તેમને ન બેસાડવામાં આવે તો સમાજના કામ યોગ્ય રીતે નથી થઈ શકતા. પાટીદારો પર કરવામાં આવેલા કેસ પરત ખેંચવામાં આવ્યા નથી. આ તમામ કેસ પાછો ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજૂઆત કરી હતી અને ફરી કરીશું. આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજમાં કોની સાથે છે તે સમય આવ્યે બતાવીશું.
હવે અમારા મુખ્યમંત્રી છે એટલે અમે હક્કથી માંગણીઓ કરીશું : ગીતા પટેલ
પાટીદાર સમાજના કાર્યક્રમમાં પાસ નેતા ગીતા પટેલે કહ્યું હતું કે, 2017માં પાટીદાર આંદોલન પછી કરવામાં આવેલા ખોટા કેસો પરત ખેંચવામાં આવ્યા નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે પણ અમારી માંગ આ જ હતી અને હવે તો અમારા મુખ્યમંત્રી છે. હવે તો અમે હક્કથી માંગણીઓ કરીશું.
- Advertisement -
‘પાટીદારો, ઈંડા-નોન વેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો’

જસદણ ખાતે યોજાયેલા સમારોહમાં ઇઅઙજ સંતે આયનો ધર્યો
સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંત અપૂર્વમુનિએ કહ્યું, ‘સરદાર પટેલનું શિર ઝૂકી જાય તેવાં કાર્યો ન કરો!’
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ પ્રસંગે પાટીદારોનું એક મહાસંમેલન આયોજીત થયું હતું. જેમાં તમામ પાટીદાર અગ્રણીઓ ત્યાં હાજર રહ્યાં હતાં. એ દરમિયાન બીએપીએસ સંસ્થાના અપૂર્વમુની સ્વામીએ પાટીદારો અંગે કંઇક વિશેષ વાતો કરતા તેમના નિવેદને ભારે જોર પકડ્યું છે.
રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મહંત અપૂર્વમુની સ્વામીએ જસદણમાં પાટીદારો, ઈંડા તેમક્ષ જ નોનવેજને લઈને એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે પાટીદાર સમાજના લોકોને ટકોર કરતા જણાવ્યું હતું કે, ‘સમાજના લોકો ઈંડા તેમજ નોનવેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો. સરદાર પટેલનું માથું શરમથી ઝૂકી ન જાય તેનો ખ્યાલ રાખી દરેક કામ કરો. સરદાર વલ્લભભાઈનું માથું શરમના કારણે ઝુકી ન જાય તેનું ધ્યાન પાટીદારોએ રાખવાનું છે. આજે પાટીદાર સમાજના લોકો ઈંડા તેમજ નોનવેજની લારીએ ઉભા ઉભા નોનવેજ ખાય છે. આજના સમયમાં પાટીદાર સમાજમાં કેટલાંક લોકો દુરાચારી છે, વ્યભિચારી છે. ત્યારે પાટીદારનો દીકરો દુરાચારી કે વ્યભિચારી નહીં પરંતુ નિર્વ્યસની હોવો જોઈએ.’
ગમ્મે તેટલાં ખકઅ-ખઙ હોય, જરૂરિયાત સમયે સાથે ઉભા ન રહે તો શું કામનું? : હાર્દિક

જસદણના પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાર્દિક પટેલે પાટીદાર સમાજને લઈને કરેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે આજે ઘરનો ડાયરો છે,ઘરના લોકો છે તો એક વાત કરવી છે. આ સાથે હાર્દિકે જણાવ્યુ કે મનમાં ફાકો હોય કે પાટીદાર સમાજ એક છે તો તેમા તથ્ય નથી, ભેગા થવુ, ગ્રાઉન્ડમાં આવીને સાથે બેસવુ એ સંગઠિત થયા તેવુ નથી, પાટીદાર સમાજે માત્ર એક મેદાનમાં સંગઠિત નથી થવાનું પરંતુ સામાજિક અને રાજકીય રીતે સંગઠિત થવાનું છે. આ સાથે હાર્દિકે પાટીદાર આંદોલનને યાદ કરતા જણાવ્યું કે આંદોલન સમયે 1.25 કરોડ પાટીદારો અને 50 ખકઅ હતા તેમ છતા આંદોલનના 4 વર્ષ બાદ ન્યાય મળ્યો તથા આંદોલનમાં 14 લોકો શહીદ થયા હતા. હાર્દિક પટેલે પાટીદાર ધારાસભ્યો તથા સાંસદોને અનુલક્ષીને કહ્યુ કે ગમે તેટલા ખકઅ-ખઙ હોય પણ જરૂરિયાત સમયે સાથે ન ઉભા રહે તો શું ફાયદો, જે સમાજનું હિત,ભવિષ્ય,પ્રગતિ નથી ઇચ્છતા તેઓને ફેંકી દેવા હાર્દિકે હુંકાર ભર્યો હતો.
જઙૠ અધ્યક્ષ લાલજી પટેલે ખખડાવ્યા ખાંડા
પાટીદાર સમાજના જઙૠના સંયોજક લાલજી પટેલે આ તકે ઉપસ્થિત રહીને બે મોટી અને મહત્વની માંગણીઓ સમાજ સાથે મળીને સરકાર પાસે મૂકી છે.પાટીદાર આંદોલન વેળા જે કઈ ઘટનાઓ ઘટી અને જે યુવકો મોતને ભેટ્યા હતા તેમના પરિવારોને નોકરી અને સમાજના યુવકો પર થયેલા કેસ પાછા ખેંચવાની વાતને દોહરાવી હતી. લાલજી પટેલે એક ગર્ભિત ઈશારો કરતા એમ પણ કહ્યું કે, માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે.
ખોડલધામનાં ટ્રસ્ટી નરેશ પટેલે અગાઉ શું કહ્યું હતું ?
ઉલ્લેખનીય છે કે,ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે.



