ઘણા સમય પહેલા “ખાતા શીખો” શીર્ષક સાથે મેં એક લેખ મૂક્યો હતો. આ લેખના પ્રતિભાવમાં ખાસ્સી ચર્ચાઓ જાગી હતી. તે લેખમાં આપણા પોતાના શરીર સાથે વાત કરવાનો જે ખયાલ રજૂ કર્યો હતો તેમાં મોટા ભાગના લોકોને પોતાના શરીર સાથે વાત કરવાની બાબત બહુ અજીબ લાગતી હતી. કેટલાક કહે “આ તો બહુ નવું છે, આ તો રસપ્રદ છે” વી.વી!
અલબત્ત લોકોની આવી વાત મને સ્વાભાવિક લાગતી હોવા છતાં મનમાં ઊંડે ઊંડે એક અજીબ વેદના થાય, કાઇંક ખૂચે!
એમ થાય છે કે જીવ માત્રને પ્રકૃતિ તરફથી મળેલી કેટલીક અદભૂત ક્ષમતાઓથી કેવળ એક માનવી જ કેટલો બેખબર થઈ ગયો છે!
એક ગાય સામે ડુંગળીના લીલાછમ પાંદડાઓનો એક આખો મોટો પૂળો મૂકો તો તે નહી ખાય, બકરીઓ એક પણ વનસ્પતિ ખાવી નહી મૂકે પણ તેનો ચારો સહેજે ભીનો હશે, જરા અમસ્તો બગડી ગયો હશે તો તે એ નહી ખાય, એક શ્વાનને તમે અશ્વગંધાનો પૂળો આપો તો તે મોઢું ફેરવી જશે, એક બિલાડીને તમે ટામેટું આપો કે એક સિંહને તમે વિશ્વની શ્રેષ્ઠ બદામ આપો કે એક સર્પને તમે આ શહેરની ઉત્કૃષ્ઠ મીઠાઈ આપો તો તે એ ખાશે?
તમે એ વાત બહુ સારી રીતે જાણો છો કે આ તમામ સહિત પૃથ્વી પરનો કોઈ જીવ પોતાના શરીર માટે આદર્શ એવો આહાર પ્રાપ્ય હોય ત્યાં સુધી સુધી બીજી કોઈ વસ્તુમાં મો પણ નથી નાખતો!
અને માણસ ગમ્મે તેમાં મો નાખીને ગળા સુધી આવે એટલું ગળચી જાય છે, ચાહે તે અત્યંત ગંદી જગ્યાએ અતી ગંદા માણસે બનાવ્યું હોય!
તો આ જીવોને એવી સૂઝ કોણ આપે છે કે તેણે શું ખાવું અને શું ના ખાવું?
કબૂતરને એવું ક્યાં ડાયેટીશ્યને સમજાવ્યું હતું કે ભાઈ તારે ઘઉં ખાવા પણ લીલા મરચા ન ખાવા? પોપટને એવું કંઈ ડાયેટીશ્યને કહ્યું હતું કે રૂપાળો મોર ભલે જીવડાં ખાય, તારે એવું કદી ના ખાવું? કાગડાના હૈયે એવું કઈ ડાયેટીશ્યને ઠસાવી દીધું હતું કે યાર તારે ખીર પૂરી ખાવા, એઠવાડ ખાવોને માંસના ટુકડા પણ ઓહિયા કરી જવા!
અને આપણને કેમ કોઈએ આવું શીખવ્યું નથી?
સમજવા જેવી આ વાત છે, જરા વિચારો, ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન ગણાતો માણસ જીવનની બિલકુલ મૂળભૂત એવી બાબતની સમજથી વંચિત કેમ?
તે સાથે એ પણ વિચારો કે આપણે જેને આ પૃથ્વી પરનો એક તુચ્છ જીવ ગણી છીએ તેવા ચામાચીડિયાંને પણ જો પ્રકૃતિએ તે સમજ આપી હોય કે તેના માટે શું યોગ્ય નથી તો મનુષ્યને આવી સમજ આપવામાં ન આવી હોય તેવું બને ખરું?
મા પ્રકૃતિ જો સૃષ્ટિ પરના સમસ્ત જીવોના સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રતિક્ષણ કાર્યરત હોય તો તે મનુષ્યને આહારની સૂઝથી એ રીતે વંચિત રાખે ખરી કે જેથી કરીને તે પોતાના જીવનનો બહુ મોટો હિસ્સો એવો ખોરાક તૈયાર કરવામાં વીતાવી દે જે તેને વારંવાર રોગોનો શિકાર બનાવે?
ખરેખર આવું ના જ બને.
તો પછી મનુષ્યને તેના માટે અયોગ્ય એવો આહાર લેવા કોણ પ્રેરે છે?
આ સવાલનો જવાબ છે, મનુષ્ય પોતે!
તો બીજો સવાલ હવે એ ઊભો થાય છે કે એ કેવી રીતે?
મનુષ્ય સ્વયં તેના માટે શ્રાપ રૂપ એવો આહાર લેવાની પ્રેરણા પોતાની જાતને કઈ રીતે પૂરી પાડે છે?
અહી આહારના બે મુખ્ય પ્રકાર તમારે સમજવા પડશે;
તેમાં પ્રથમ તો છે ઊતતયક્ષશિંફહ રજ્ઞજ્ઞમ અને બીજું છે ઈજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ
ઊતતયક્ષશિંફહ રજ્ઞજ્ઞમ એટલે કે અનિવાર્ય આહાર એ છે જે તમારા શરીર અને મનને સ્વસ્થ બનાવી રાખવા માટેનું મૂળભૂત ઇંધણ છે, જે શરીર અને મનની સ્વાસ્થ્યપૂર્ણ સ્થિતિમાંથી નીપજેલ ભૂખ છે, જે શરીરની સર્વ સામાન્ય કાર્ય પ્રણાલીનો નિર્વાહ કરે છે.
ComfortFood એટલે કે તૃપ્તિઆહાર
- Advertisement -
ખોરાકનો આ એવો પ્રકાર છે જે સહુ કોઈ સદીઓથી લે છે પણ તે માટેની ભૂખ, તલપ ક્યાં ગર્ભમાં પેદા થાય છે તે બાબતે બહુ જૂજ લોકો જાણે છે. આ પ્રકારનો આહાર એટલે એકદમ તીખો, ખાટો, સખ્ખત ગરમ કે સખ્ખત ઠંડો, ચટપટો, ખુબ ઘી તેલ માખણ વાળો, ભજ્ઞક્ષભયક્ષિફિંયિંમ ળશહસ એટલે કે દૂધ આધારિત મીઠાઈઓ, ખુબ મરી મસાલા યુક્ત આહાર.
બે પાંચ દસ વખત અનાયાસે, સમજણ વગર , ઈચ્છાથી કે અનિચ્છાએ સંજોગોવશાત પણ આવો આહાર લીધા પછી સત્તત તેવા આહારની ઈચ્છા થતી રહે છે, અથવા તો આવી ઈચ્છા અસ્વસ્થ, અજંપા યુક્ત, ચિંતા, હતાશા, ગુસ્સા કે ઈર્ષ્યા જેવી મનોદશાના કારણે પેદા થાય છે. શરીરને આવા ખોરાકની મોટા ભાગે કોઈ જરૂરત જ નથી હોતી પણ મન જ્યારે સ્વયં પોતાની ભીતર પડેલી વિકૃતિ સહી નથી શકતું ત્યારે તે એક રાહત ઝંખે છે, યિહફડ્ઢફશિંજ્ઞક્ષ ઝંખે છે. ઊડ્ઢિયિંળય ફિંતયિં વાળા આ ભજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ માણસના દિમાગને એક ઝટકો આપે છે
અનિવાર્ય અને સુખદાયી આહાર બન્ને એક હોય ત્યારે પૂર્ણ સ્વાસ્થ્ય પ્રગટે
પોતાના માટે અયોગ્ય એવો આહાર લેવા મનુષ્યને કોણ પ્રેરે છે?
- Advertisement -
અને માનવીનું મગજ પોતે સર્જેલા કુંડાળામાંથી બહાર આવે છે. તેને ખરેખર તો પેલી ક્ષયલફશિંદશિું માથી બહાર આવવું પડે છે. તેની પાછળનું રહસ્યમય કારણ એ છે કે જીવંત શરીર માત્રની પ્રથમ અગ્રીમતા ખોરાકના પાચનની હોય છે. આ એક શક્ષબીશહિં , બુ મયરફીહિં એવી શારીરિક શક્ષયિંહહશલયક્ષભય છે. અને જ્યારે વ્યક્તિએ થોડા વધુ પ્રમાણમાં આવું ભજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ લીધું હોય ત્યારે તેના પાચનનું આયોજન કરવા અને આવા ફબક્ષજ્ઞળિફહ રજ્ઞજ્ઞમ થી શરીરને ન્યૂનતમ નુકશાન થાય તેવા રાસાયણિક સંયોજનો તૈયાર કરવામાં મગજ ધંધે લાગી જાય છે. આ રીતે મગજ પાચન માટેની કાર્યવાહી હાથ ધરવા પેલી નકારાત્મકતામાંથી કામચલાઉ રીતે બહાર આવતા તે પોતાના ખુદના પરિતાપથી મુક્ત થતાં હળવાશ અનુભવે છે અને તે એવું સમજવા લાગે છે કે આવા યડ્ઢિયિંળય સ્વાદથી જ તેની તબિયત સારી રહે છે. શરીર એટલું શક્ષયિંહહશલયક્ષિં હોય છે કે એક ભીખારીનું શરીર પણ પોતાના ઉદરની અંદર લાંબો સમય ખોરાકને પચ્યા વિના રહેવા નથી દેતું અને આમ વ્યક્તિ આહારના યોગ્યપણા બાબતે ગેરસમજ કેળવવાની શરૂઆત કરે છે. ખેર, તો આ ભજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ માણસના મનમાં વારંવાર તેના માટેની ઝંખના પેદા કરે છે કારણ કે માણસ માત્ર ફમમશભશિંદય યિંક્ષમયક્ષભુ ધરાવે છે. આજે જે વસ્તુ ખાવાથી થોડી મજા આવી તો તે કાલે પણ એ માંગશે, પરમ દિવસે પણ આ માંગશે ને એમ ધીમે ધીમે અયોગ્ય આહાર જ ભોજન પ્રણાલી બની રહેશે! સામાન્ય જીવોને પણ પ્રાપ્ત છે એવી આહાર અંગેની સૂઝ માણસ આ રીતે ગુમાવે છે અને જે આહાર અંગેની સૂઝ, સ્ફુરણા ગુમાવે છે તે પોતાનું સઘળું સ્વત્વ ગુમાવે છે! માનવી પોતાની પ્રત્યેક અતૃપ્ત અને ક્યારેય સંતોષાઈ શકે એમ ના હોય એવી ઈચ્છાઓ અને વૃત્તિઓનું શમન આવા ઈજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ થી કરે છે અને એક તબક્કે આ પ્રકારનું ફૂડ મન અને શરીરની અનિવાર્યતા બની રહી છેલ્લે સંસ્કારમાં રૂપાંતર પામે છે અને આ સંસ્કારનું વિષ તેને વધુમાં વધુ ફબક્ષજ્ઞળિફહ ફક્ષમ ળીહશિં ાજ્ઞિભભયતતયમ રજ્ઞજ્ઞમ શક્ષફિંસય તરફ દોરી જાય છે. નહિતર આહાર તો કેવળ ઇંધણ છે અને વળી આત્મિક ઊંચાઈ ધરાવતી વ્યક્તિ માટે તો તે ઇંધણ પણ નથી. તો કાચા ખાદ્ય પદાર્થ ઋચતા ના હોય તો પણ તેને થોડા ભજ્ઞજ્ઞસ કરવા સિવાય બીજી કોઈ વિષશ જરૂરત હોતી નથી, પણ એક વિકૃતિ સંસ્કાર બને પછી મનમાં જે અસ્વસ્થતા હોય છે તે ઘણી જટિલ હોવાથી તેના શમન માટે તમારે એકદમ કોમ્પલેક્ષ જટિલ ફૂડ એટલે કે જેના પર અનેક અનેક પ્રક્રિયાઓ કરવામાં આવી છે તેવા ઈવશક્ષયતય પંજાબી વિગેરે ખોરાક જોઈએ છે. જોકે યાદ રહે કે ચીનનું જ્ઞશિલશક્ષફહ ઈવશક્ષયતય રજ્ઞજ્ઞમ આપણાં ચાઈનીઝ ફૂડથી ઘણું અલગ હોય છે, અને વળી તો પણ ચાઈનીઝ લોકો તેમના ફૂડ જેટલા જ જટિલ છે. ઢજ્ઞી ફહહ સક્ષજ્ઞૂ શિ.ં તો શરીરને શું જોઈએ છે તે જાણવા સમજવા તે પ્રકારની સૂઝ સ્ફુરણાને પુન: સક્રિય કરવા શરીર સાથે સંવાદ કરવાની આદત કેળવશો તો 20 25 દિવસમાં આ સ્ફુરણા જાગૃત થશે ને પ્રતિક્ષણ તમને ખબર પણ નહી પડે તેમ તમારી સાથે એકરૂપ થઈ તમારામાં વૃત્તી બની રહી માર્ગ ચિંધતી રહેશે! કારણ કે પ્રકૃતિએ તમને જન્મ આપ્યો તે ઘટના સ્વયં તેની તરફથી તમને આપવામાં આવેલું વચન છે કે ળુ મયફિ ભવશહમ, ષીતિં બય ૂશવિં ળય, શ ૂશહહ ાજ્ઞિયિંભિં ફહહ જ્ઞર ુજ્ઞીિ ષજ્ઞીક્ષિયુ. લાંબા સમય સુધી ફક્ત શરીરની જરૂરિયાત મુજબનો ખોરાક લેવાથી શરીરમાં સ્વાસ્થ્ય પેદા થશે, માનસિક સ્વાસ્થ્ય ખીલશે અને મનમાં અયોગ્ય ખોરાક માટેની ઝંખનાનો અંત આવ્યા પછી મન પોતાના સ્વપ્નોની પૂર્તિ માટે માનસિક અને શારિરક ક્ષમતા પ્રાપ્ત કરશે.



