By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    1 week ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    1 week ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    1 week ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    1 week ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ક્રેઝ
    9 hours ago
    સંતાન માટે પિતાનું સર્વસ્વ: દીપડાને મારી પુત્રને જીવન દાન આપ્યું
    10 hours ago
    સંસદમાં આર્થિક સર્વે રજૂ
    10 hours ago
    બારામતીમાં ‘દાદા’ની વિદાય અજિત પવાર પંચતત્ત્વમાં વિલીન
    10 hours ago
    UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
    12 hours ago
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    1 week ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    1 week ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    2 weeks ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં 3 વર્ષમાં 25,841 વ્યક્તિએ આત્મહત્યા કરી : સરેરાશ રોજ 25 વ્યક્તિ કરે છે આત્મહત્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાતમાં 3 વર્ષમાં 25,841 વ્યક્તિએ આત્મહત્યા કરી : સરેરાશ રોજ 25 વ્યક્તિ કરે છે આત્મહત્યા
અમદાવાદ

ગુજરાતમાં 3 વર્ષમાં 25,841 વ્યક્તિએ આત્મહત્યા કરી : સરેરાશ રોજ 25 વ્યક્તિ કરે છે આત્મહત્યા

Khaskhabar Editor
Last updated: 2025/09/10 at 4:59 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

10 સપ્ટેમ્બર આત્મહત્યા નિવારણ દિવસ : આત્મહત્યાનું આ પ્રમાણ ચિંતાનો વિષય

સોશિયલ મીડિયાને કારણે યુવાનોમાં દેખાદેખીનું પ્રમાણ વધ્યું

- Advertisement -

માનસિક બીમારીને કારણે સૌથી વધુ લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવે છે

આત્મહત્યા કરવાનું વિચારતી વ્યક્તિના કાઉન્સિલિંગ માટે ગુજરાત સરકારે 104 હેલ્પલાઇન શરૂ કરી છે

ગુજરાતમાં સૌથી વધુ 36થી 45 વયજૂથના આત્મહત્યાનું વિચારનારા લોકોએ ‘104’ હેલ્પલાઈનની મદદ લીધી

- Advertisement -

સોશિયલ મીડિયામાં હજારો ફ્રેન્ડસ પણ પોતાની વ્યથા ઠાલવી શકે તેવા મિત્રો ન હોવાથી હતાશામાં આવી અંતિમ પગલું ભરે છે
ખાસ-ખબર ન્યૂઝ  અમદાવાદ

આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવવું તે કોઈ સમસ્યાનો ઉકેલ નથી. આમ છતાં અનેક લોકો આ પ્રકારનું અવિચારી-પગલું ભરીને જીવનનો અંત લાવી દે છે. ગુજરાતમાંથી 3 વર્ષમાં કુલ 25,841 વ્યક્તિએ આત્મહત્યા કરી છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 25 વ્યક્તિ આત્મહત્યા કરે છે. 10 સપ્ટેમ્બરે આત્મહત્યા નિવારણ દિવસ’ છે ત્યારે આત્મહત્યાનું આ પ્રમાણ ચિંતા અને ચિંતનનો વિષય બની ગયો છે. વર્ષ 2023થી 10 સપ્ટેમ્બર વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવણી કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. આ ઉપરાંત આત્મહત્યા કરવાનું વિચારતી વ્યક્તિના કાઉન્સિલિંગ માટે ગુજરાત સરકાર દ્વારા 104 હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર અત્યાર સુધીમાં 7737 કોલ્સ આવ્યા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 2847, વડોદરામાંથી 609, બનાસકાંઠામાંથી 537 કોલ્સનો સમાવેશ થાય છે. અત્યારસુધી આવેલા 7737 કોલ્સમાંથી 4326 એટલે કે અડધાથી વધુ કોલ્સમાં માનસિક સમસ્યાનું કારણ સામે આવ્યુ છે. વય જૂથ પ્રમાણે જોવામાં આવે તો 39થી 45 અને 25થી 35ની વયના લોકો દ્વારા સૌથી વધુ કોલ્સ આ હેલ્પલાઈનમાં કરવામાં આવ્યા છે. વર્ષ 2024માં કુલ 2023 કોલ્સનો સમાવેશ થાય છે. તજજ્ઞોના મતે આત્મહત્યા માટે નિષ્ફળતા ઉપરાંત પોતાના પર જ અપેક્ષાનો બોજ, ડિપ્રેશન જેવા પરિબળો મહદ્અંશે જવાબદાર હોય છે. હાલ સોશિયલ મીડિયામાં અનેક લોકોના હજારો ‘ફ્રેન્ડ્સ’ હશે પણ વ્યક્તિ જ્યાં પોતાનું હૃદય ઠાલવી શકે તેવા સાચા મિત્ર હોતા નથી. જેના કારણે તે વધુને વધુ હતાશામાં આવીને આત્મહત્યાનું પગલું ભરી લે છે. સોશિયલ મીડિયાને કારણે દેખાદેખીનું પ્રમાણ વધ્યુ છે. જેના કારણે મિત્ર પાસે નવી કાર, ભવ્ય બંગલો, વિદેશની ટ્રીપના ફોટા સોશિયલ મીડિયામાં જોતા અનેક લોકો હું પાછળ રહી ગયો તેવા વિચાર સાથે હતાશામાં ગરકાવ થઇ જાય છે.

તજજ્ઞોના મતે આત્મહત્યા માટે નિષ્ફળતા ઉપરાંત પોતાના પર જ અપેક્ષાનો બોજ, ડિપ્રેશન જેવા પરિબળો મહદ્અંશે જવાબદાર

વય જૂથ પ્રમાણે આવેલા કોલ્સનું પ્રમાણ
વયજૂથ 2019 2020 2021 2022 2023 2024 2025
0થી15 00 01 02 02 03 00 02
16થી24 24 33 109 215 140 115 175
25થી35 24 73 426 467 326 516 492
36થી45 11 60 265 509 702 866 322
46થી55 02 28 62 111 215 277 295
56થી65 01 13 44 83 76 125 174
66થી75 06 07 19 50 17 88 31
76થી વધુ 00 15 28 11 19 36 24
કુલ 68 230 955 1448 1498 2023 1515

હેલ્પલાઇનમાં
કયા જિલ્લાથી
સૌથી વધુ કોલ્સ?
જિલ્લો – કોલ્સ
અમદાવાદ – 2847
વડોદરા – 609
બનાસકાંઠા – 537
રાજકોટ – 511
ગાંધીનગર – 415
સુરત – 372
ભાવનગર – 290
જામનગર – 227
સાબરકાંઠા – 183
મહેસાણા – 182
ક્યા કારણથી આપઘાતના
સૌથી વધુ વિચાર ?
કારણ – કોલ્સ
માનસિક બિમારી – 4326
પારિવારીક – 2323
પ્રેમ સંબંધ – 496
આર્થિક – 243
બીમારી – 169
સતામણી – 109
શિક્ષણ – 69
અન્ય – 02

You Might Also Like

હિંમતનગરથી હૈદરાબાદ સુધીનો બાળ તસ્કરીનો ખતરનાક ખેલ

સોનામાં આજે ₹16 હજારનો ઉછાળો: અઠવાડિયામાં ચાંદીમાં ₹88 હજાર અને સોનામાં ₹33 હજારનો વધારો

કૉંગ્રેસ સાંસદ શક્તિસિંહના ભત્રીજાએ અકસ્માતે પત્નીને ગોળી મારી પોતે પણ આત્મહત્યા કરી લીધી

‘વિમાન જ ખામીવાળું હતું…’ અમદાવાદ પ્લેન ક્રેશ બાબતે અમેરિકન સંસદના રિપોર્ટમાં થયો દાવો

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર 3 મહિના ચાલશે રિસરફેસિંગ

TAGGED: suicide
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘10 દિવસમાં નાગરિકતા સાબિત કરો નહીંતર હકાલપટ્ટી’
Next Article ઉપરાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા રાધાકૃષ્ણન વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહને મળ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગ્રીનલેન્ડ ચોકડી પર ખાનગી કારચાલકોનો બેફામ આતંક

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
મોરબી: સુરક્ષાના હેતુથી હોટલ-ગેસ્ટ હાઉસ માટે ‘પથિક’ સોફ્ટવેર ફરજિયાત
હળવદ: ભવાનીનગર ઢોરામાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, ₹1.33 લાખનો મુદ્દામાલ જપ્ત
ધ્રાંગધ્રા DCW કંપની સામે આંદોલન પર બેઠેલા કામદારની તબિયત લથડી
થાનગઢના સોનગઢ ગામના ખારા વિસ્તારમાં કોલસાનું બેફામ ખનન
કોર્પોરેશન ચોકમાં લૂંટ ચલાવનાર ત્રિપુટી ઝડપાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

હિંમતનગરથી હૈદરાબાદ સુધીનો બાળ તસ્કરીનો ખતરનાક ખેલ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
અમદાવાદ

સોનામાં આજે ₹16 હજારનો ઉછાળો: અઠવાડિયામાં ચાંદીમાં ₹88 હજાર અને સોનામાં ₹33 હજારનો વધારો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
અમદાવાદ

કૉંગ્રેસ સાંસદ શક્તિસિંહના ભત્રીજાએ અકસ્માતે પત્નીને ગોળી મારી પોતે પણ આત્મહત્યા કરી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?