રાજકોટ AIIMS માં દિવ્યાંગ વ્યક્તિને ક્લાસ-2 ઓફિસર બનાવાયો
દિવ્યાંગ વ્યક્તિને મેડિકલ ફિટનું સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું
- Advertisement -
આ દિવ્યાંગ રાજકોટ AIIMS ના પૂર્વ ડાયરેક્ટ ડો. કટોચનો પુત્ર છે
રાજકોટ એઈમ્સમાં એક મોટો કૌભાંડ સામે આવ્યો છે, જેમાં સંસ્થાના પૂર્વ ડિરેક્ટર ડૉ. સી.ડી.એસ. કટોચે પોતાના દિવ્યાંગ પુત્ર ભાવેશ કટોચને ખોટી રીતે ક્લાસ-2 અધિકારી તરીકે નિયુક્ત કરાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે.
સાંસદ પરષોત્તમ રૂપાલાએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે તેમને AIIMSમાં ગેરકાયદેસર ભરતી અંગે ફરિયાદ મળી હતી. તેમણે કહ્યું હતું કે, ‘AIIMS ભરતી મુદ્દે મને ફરિયાદ મળી હતી. આ ભરતીને લઈને વિવાદ સર્જાયો છે અને તેની તપાસ કરવામાં આવશે. અમે ફરિયાદના આધારે તપાસના આદેશ પણ આપ્યા છે. કોઈપણ ગેરરીતિ એઈમ્સમાં ચલાવી નહીં લેવાય. જે પ્રમાણે ભરતી કરવામાં આવી છે, તેના ડિરેક્ટર સાથે પણ અમે ચર્ચા કરીશું.’
- Advertisement -
બનાસકાંઠાના સાંસદ અને રાજકોટ AIIMSના સભ્ય ગેનીબેન ઠાકોરે રાજકોટ ભરતી કૌભાંડ મુદ્દે જણાવ્યું હતું કે ‘રાજકોટ એઈમ્સ ગેરકાયદે ભરતીને ચલાવી લેવાય નહી. આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે અને દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમે માંગ કરી રહ્યા છીએ.
દિવ્યાંગને મેડિકલ ફિટનું સર્ટિફિકેટ અપાયું
રાજકોટ AIIMS ના પૂર્વ ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચે પોતાના દિવ્યાંગ દીકરા ભાવેશને મેડિકલ ફિટ બતાવીને કલાસ-2 અધિકારી બનાવી દીધો છે. પૂર્વ ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચનો દીકરો ભાવેશ આંચકીના રોગથી પીડાય છે. ભાવેશને આંચકી ઉપડતા એઈમ્સમાંથી સારવાર લીધી હોય તેવી વિગતો પણ સામે આવી છે. આ ઉપરાંત ભાવેશની બંને આંખમાં પણ તકલીફ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ AIIMS ના પૂર્વ ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચના દીકરા ભાવેશને આટલી શારીરિક તકલીફો હોવા છતાં મેડિકલી ફિટ હોવાનું સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. એટલું જ નહિ પરંતુ આ સર્ટિફિકેટને આધારે ભાવેશને ક્લાસ-2 અધિકારી પણ બનાવી દેવાયો છે. સરાજાહેર કાયદાના લીરેલીરા ઉડાડીને આચરવામાં આવેલા આ કૌભાંડથી માત્ર રાજકોટ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે.
અસુવિધા અને અપૂરતા સાધનાનો લઇને એઇમ્સ પર સવાલ
રાજકોટની એઈમ્સ ભરતી મુદ્દે તો અન્ય અસુવિધાને લઇને પણ વિવાદમાં આવતી રહે છે. હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી હતી. જ્યારે એઈમ્સના મેડિકલ સ્ટોરમાં ફાર્માના વિદ્યાર્થીને સાપ કરડ્યો હતો.સુવિધાના અભાવે વિદ્યાર્થીએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. યુવકને સારવાર આપવા માટે જરૂરી સાધનો ન હોવાનો આરોપ ઉઠ્યાં હતા. સાધનો ન હોવાથી યુવકને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જન ઔષધિમાં કામ કરતા અરમાન જેઠવા ને સાપ કરડયો હતો. જેમણે એઇમ્સમાં અસુવિધા અને પુરતા સાધનો ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ઉલ્લેખનિય છે કે,AIMS હોસ્પિટલ શરૂ થઈ બે વર્ષ થયા પરંતુ હજી પણ અનેકવાર હોસ્પિટલમાં અપુરતા સાધનો અને અગવડતાને લઇને ફરિયાદો ઉઠતી રહે છે.




