મહિનાના અંતમાં કે જુલાઈમાં યોજાઈ શકે છે GST કાઉન્સિલની બેઠક: આ મિટીંગમાં 12%નો GST દર દૂર કરવા નિર્ણય લેવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હાલમાં, દેશમાં ચાર GST સ્લેબ છે (5%, 12%, 18% અને 28%). આગામી બેઠકમાં, GST કાઉન્સિલ GST સ્લેબને સરળ બનાવવા માટે એક મોટું પગલું ભરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાઉન્સિલ સ્લેબની સંખ્યા ચારથી ઘટાડીને ત્રણ કરવાનો વિચાર કરી રહી છે. કાઉન્સિલ દ્વારા 12% દર દૂર કરવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કર માળખાને સરળ બનાવવા માટે આ પગલું લેવામાં આવે તેવી અપેક્ષા છે. સૂત્રોનો દાવો છે કે GST કાઉન્સિલના સલાહકાર અધિકારીઓમાં લગભગ એકમત છે કે 12% સ્લેબ હવે સંબંધિત નથી. ઇંઝમાં પ્રકાશિત સમાચાર મુજબ, સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી આવશ્યક વસ્તુઓને 5% સ્લેબમાં રાખી શકાય છે. બાકીની વસ્તુઓને 18% સ્લેબમાં ખસેડી શકાય છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, આવકને અસર કર્યા વિના કર દરોને સરળ બનાવવાનો આ શ્રેષ્ઠ માર્ગ હોઈ શકે છે. જોકે, આ અંગે કોઈપણ અંતિમ નિર્ણય GST કાઉન્સિલ લેશે. GST કાઉન્સિલની આગામી બેઠક જૂનના અંતમાં અથવા જુલાઈમાં યોજાઈ શકે છે. GST કાઉન્સિલમાં કેન્દ્રીય નાણામંત્રી અને રાજ્યોના નાણામંત્રીઓનો સમાવેશ થાય છે. છેલ્લી બેઠક ડિસેમ્બર 2024 માં યોજાઈ હતી. જૂન અથવા જુલાઈમાં યોજાનારી બેઠકમાં, દરોમાં ઘટાડો કરવા, તેનું પાલન સુનિશ્ચિત કરવા ઉપરાંત, અન્ય બાબતો પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે.
24 સપ્ટેમ્બર 2021ના રોજ 45મી GST કાઉન્સિલની બેઠકમાં GST દરોમાં ઘટાડો કરવા માટે મંત્રીઓના જૂથની રચના કરવામાં આવી હતી. આ જૂથનું નેતળત્વ અગાઉ કર્ણાટકના ભૂતપૂર્વ ઘ્પ્ બસવરાજ એસ બોમાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. પાછળથી નવેમ્બર 2023 માં, ઞઙ નાણામંત્રી સુરેશ કુમાર ખન્નાને આ જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી, 27 ફેબ્રુઆરી 2024 ના રોજ, બિહારના નાયબ ઘ્પ્ સમ્રાટ ચૌધરી તેના ક્ધવીનર બન્યા. હાલમાં, દેશમાં 5%, 12%, 18% અને 28% ના ચાર GST સ્લેબ છે. હાલમાં, આવશ્યક વસ્તુઓ પર ઓછો ટેક્સ રાખવામાં આવે છે અને લક્ઝરી વસ્તુઓ પર વધુ ટેક્સ રાખવામાં આવે છે. ગરીબો માટે પેક વગરના ખોરાક, મીઠું, દૂધ, તાજા શાકભાજી, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પર કોઈ ટેક્સ નથી. નિષ્ણાતોનું કહેવું છે કે 12% સ્લેબ દૂર કરવાનો વિચાર સારો છે. ઊઢ ઇન્ડિયાના ટેક્સ પાર્ટનર સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું કે, આગામી GST કાઉન્સિલની બેઠકમાં ટેક્સ સ્લેબને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 12% સ્લેબ દૂર કરીને તેને ત્રણ દર બનાવવાથી વસ્તુઓ સરળ બનશે. આ ફેરફારમાં આવકને અસર ન થવા દેવી મહત્વપૂર્ણ છે. 12% સ્લેબમાં સામાન્ય માણસની જરૂરિયાતો અને ઔદ્યોગિક માલનો સમાવેશ થાય છે. તેમને 5% અથવા 18% સ્લેબમાં ખસેડવાથી આવક પર અસર પડી શકે છે.
12% થી 18% સ્લેબમાં જતી વસ્તુઓના ભાવ વધી શકે છે.
જો GST કાઉન્સિલની બેઠકમાં 12% ટેક્સ સ્લેબ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવે છે, તો તેની હેઠળ આવતી વસ્તુઓ 5 અને 18 ટકાના સ્લેબમાં ખસેડવામાં આવશે. 12 થી 5 ટકાના સ્લેબમાં આવતી વસ્તુઓ જેમ કે મસાલા અને કેરોસીન વગેરે સસ્તી થવાની ધારણા છે. બીજી તરફ, 12 થી 18 ટકાના સ્લેબમાં આવતી વસ્તુઓ જેમ કે ડિટર્જન્ટ અને પ્લાસ્ટિકની વસ્તુઓ વગેરે મોંઘી થઈ શકે છે.
- Advertisement -
ઘણા વિકસિત દેશોમાં, GSTના એક કે બે સ્લેબ લાગુ પડે છે. જો ત્રણ ટેક્સ સ્લેબનું માળખું અપનાવવામાં આવે, તો ભારત વૈશ્વિક ધોરણોની નજીક આવી શકે છે. નિષ્ણાતો કહે છે કે GST આવકમાં સતત વધારાને કારણે, દરોને સરળ બનાવવાની જરૂર છે. વર્ષ 2024-25માં, કુલ GST આવક 9% થી વધુ વધીને રૂ. 22,08,861 કરોડ થઈ ગઈ. 2023-24માં તે રૂ. 20,18,249 કરોડ હતી. ચાલુ નાણાકીય વર્ષમાં, એપ્રિલ 2025માં રૂ. 2,36,716 કરોડનો રેકોર્ડ સંગ્રહ થયો હતો. મે 2025માં પણ રૂ. 2,01,050 કરોડનો આવક થયો હતો, જે અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો સંગ્રહ છે.
12% ટેક્સ સ્લેબમાં આવતી વસ્તુઓ
ક્ધડેન્સ્ડ મિલ્ક, કેવિઅર, 20 લિટર બોટલોમાં પેક કરેલું પીવાનું પાણી. વોકી-ટોકી, ટાંકી અને બખ્તરબંધ વાહનો, કોન્ટેક્ટ લેન્સ. ચીઝ, ખજૂર, સૂકા ફળો, ચટણીઓ. પાસ્તા, જામ, જેલી, ફળોના રસના પીણાં, નમકીન. ટૂથ પાવડર, ફીડિંગ બોટલ, કાર્પેટ, છત્રીઓ, ટોપીઓ. સાયકલ, ઘરગથ્થુ વાસણો, લાકડાના અથવા વાંસના ફર્નિચર. પેન્સિલો, ક્રેયોન્સ, શણ અથવા કપાસની થેલીઓ અને જૂતા જેની કિંમત 1000 રૂપિયાથી ઓછી છે. ડાયગ્નોસ્ટિક કીટ, માર્બલ અને ગ્રેનાઈટ બ્લોક્સ.