પોતાની સાથે પોતાના ગામડાંને પણ ધર્મના ધોધમાં સ્નાન કરાવવા આંગણે વેદ જ્ઞાન વાર્તાલાપ યોજ્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14
- Advertisement -
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે ગામડાના ધાર્મિક વૃત્તિના ખેડુત પરીવારે આર્યસમાજ સંસ્થા ની વૈદિક વિચારધારા સમજી પોતાના ઘરે થી ગામડાના અન્ય પરીવારો પણ હિંદુ શાસ્ત્રોના મહાન ધાર્મિક ગ્રંથો નુ જ્ઞાન મેળવી ધર્મ ના ધોધ મા સ્નાન કરી વેદ નુ મહત્વ અને મહાત્મ્ય સમજે એવા સરાહનીય ઉદ્દેશથી વેદ યાત્રા યોજી હતી. ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા હરબટીયાળી ગામે રહેતા કેશવજીભાઈ ભીમજીભાઈ સંઘાણી ના ખેડુત પરીવાર ટંકારા આર્યસમાજ ની વૈદિક વિચારધારા સાથે જોડાયેલા છે. તેઓ ધાર્મિક આર્ય વિચારધારાના પ્રવાહ મા પોતાની સાથે ગામડાના લોકો પણ જીવનમા સત્ય, સંયમ અને ધર્મ ના શુધ્ધ વિચારો સમજે અને એ માર્ગ પર ચાલીને વેદ થી વધુ પરીચિત થાય એવા ભાવ થી પોતાના આંગણે વેદ પુજન, વેદ નો મહિમા માટે વેદ જ્ઞાન સભા યોજી હતી. જે પૂર્ણ થતા હિંદુ ધર્મના મહાન ધાર્મિક ગ્રંથો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ સહિતના ચારેય વેદ મસ્તક પર ધારણ કરી ગડાના માર્ગો પર વેદ યાત્રા યોજી હતી. વેદ પદ યાત્રા દરમિયાન ખેડુત પરીવાર ના સભ્યોએ પોતાના મસ્તક ઉપર ગ્રંથો નુ સન્માન જળવાઈ એ રીતે મસ્તક પર ઉપાડી યાત્રાના માર્ગ પર વૈદિક મંત્રોચ્ચાર, ઈશ્ર્વર સ્તુતિ, પ્રાર્થના સાથે પ્રાચીન વાજીંત્રો ના તાલે રાસે રમતા ભ્રમણ કર્યુ હતુ.
આ તકે, ટંકારા આર્ય સમાજના પ્રચારક વડીલ મહિલા પ્રભાબેન મનીપરા, હિનાબેન બારૈયા, દિવ્યાબેન પરમાર ઉપરાંત આર્ય સદસ્યો, આર્ય વીરો, આર્ય મહિલા મંડળની માતૃશક્તિ, ગામડાના લેઉઆ પાટીદાર સમાજના અગ્રણીઓ જોડાયા હતા.અંતમા, આર્યસમાજ ટંકારાના મંત્રી દેવજીભાઈ પડસુંબીયા એ ચારેય વેદ નુ મહત્વ અને મહાત્મ્ય ની સરળ સમજુતી આપી હતી. વૈદિક ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગે યજમાન કેશવજીભાઈ સંઘાણી, વજીબેન સંઘાણી,જયસુખભાઈ સંઘાણી,નીતાબેન સંઘાણી, હિતેષભાઈ સંઘાણી, દર્શનાબેન સંઘાણી દ્વારા ઉપસ્થિતોને મહાપ્રસાદ ગ્રહણ કરાવ્યો હતો.