ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
વિશ્વ જ્યારે આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે આદિવાસીઓ સાથે છેવાડાના ગામડાથી લઈ શહેરોમાં થતા શોષણનું નિરાકરણ આવે તથા ગ્રામ્ય વિસ્તારમાં આવતા આદિવાસી મજૂરો સાથે અન્યાય ન થાય અને પૂરતું વેતન મળે તે માટે દસાડા નાયબ કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધી સામાજિક સંસ્થાના સંયોજક એલ.એસ.પરમાર સહિતના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ
વધુમા આવેદનપત્રમા જણાવવામાં આવ્યું હતું કે દક્ષિણ રાજસ્થાન ઉદયપુર, ડુંગરપુર, બાસવાડા મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં દાહોદ, પંચમહાલ,મહીસાગર આદિવાસી સમુદાયના બહુમતી ધરાવતા વિસ્તારોમાં માનવ અધિકારનુ હનન થઈ રહ્યુ છે અને તેમનું અસ્તિત્વ ટકાવવું અઘરું બની ગયું છે આદિવાસી સમુદાયના લોકો રોજગારી માટે પોતાનું વતન છોડી ભટકી રહ્યા છે આદિવાસીઓને રોજગારી મળે તે માટે સરકાર દ્વારા ચોક્કસ કામગીરી કરવામાં આવે જેથી તેઓનું શોષણ થતું અટકે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.