સ્થાપના દિવસે પાર્ટી કાર્યાલયે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.08
- Advertisement -
જૂનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ નિમિતે યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર પ્રમુખ પુનિત શર્મા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મહામંત્રી ભરત શિંગાળા, મનન અભાણી, વિનોદ ચાંદગેરા, યુવા મોરચાના પ્રમુખ વિનસ હદવાણી, મહામંત્રી અભય રીબડીયા, પરાગ રાઠોડ, મોરચા પ્રદેશ કારોબારી સદસ્ય ચિરાગ શેઠીયા, લોકસભાના વિસ્તારક વૈભવભાઈ પટેલ, વિવિધ મોરચાના હોદેદારો વોર્ડ પ્રમુખ મહામંત્રી વગેરે કાયેકતાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેની સાથે ભારતીય જનૅતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે શ્રી ગિરનાર કમલમ્ ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ આગેવાનો કાર્યકરો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદીમાં જણાવ્યું છે.