વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ઓમિક્રોન માટે એક નવા ખતરાની ચેતવણી આપી છે.
સંગઠનના યુરોપ યુનિટે મંગળવારે ચેતવણી આપી હતી કે વિશ્વભરમાં ઓમિક્રોનના વધતા કેસ નવા અને વધુ ખતરનાક જોખમો ઉભા કરી શકે છે. WHOએ કહ્યું કે ઓમિક્રોન જેટલો વધુ ફેલાશે, તેટલા તેના સ્વરૂપો પણ બદલાશે. હવે તે જીવલેણ બની ગયો છે, તે મૃત્યુનું કારણ બની શકે છે. સંસ્થાના વરિષ્ઠ કટોકટી અધિકારી કેથરિન સ્મોલવુડે કહ્યું છે કે ઓમિક્રોનના વધતા સંક્રમણ દરની વિપરીત અસર થઈ શકે છે.
સ્મોલવુડે કહ્યું કે તે જેટલો વધુ ફેલાશે, તેટલા વધુ તેના રૂપ બદલશે. એવી પણ આશંકા છે કે આ દરમિયાન નવા વેરિઅન્ટ્સ ઉદભવી શકે છે. હવે તેણે ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. તેનાથી મોત પણ થઇ શકે છે, કદાચ ડેલ્ટામાંથી કેટલાક વધુ કે ઓછા મૃત્યુ થાય.