ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.31
રાજુલા શહેરમાં છેલ્લા ધણા સમયથી અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઇ રહી છે. અને લોકોને પીવાનુ પાણી નિયમિત મળતુ નથી. આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પાણી માટે વલખા મારવા પડે છે. અને ચાર થી પાંચ દિવસમાં એકવાર પાણીનું વિતરણ કરવામાં આવે છે. જેથી પીવાનુ પાણી શહેરીજનોને નિયમિત ન મળતા મુશ્કેલીમાં મુકાયાં છે. ત્યારે નગરપાલિકામાં કર્મચારી તરીકે ફરજ બજાવતા મનુભાઇ વીરાભાઇ ધાખડા અને તેમના પુત્ર રવીરાજભાઇ ધાખડા જેઓ હાલ રાજુલા શહેર પ્રમુખ તરીકે કામ કરી રહી છે. અને ધાખડા પરીવાર દ્વારા અનોખું સેવાકાર્ય કરવામા આવ્યું છે.
- Advertisement -
અને ઘૂઘરીયાળી રોડ પર મનુભાઇ ધાખડાની ખેતવાડી આવેલ છે તેમના કૂવામાંથી કનેક્શન આપી સંપ સુધી પાણી પહોંચાડયું હતું. અને કનેક્શન આપતા હવે રાજુલા શહેરીજનોને નિયમિત પાણી મળી રેહશે. આ બાબતે રવીરાજભાઇ ધાખડાએ જણાવેલ કે, મારા પિતા મનુભાઇ ધાખડા જેઓ નગરપાલિકામાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે. અને ચીફ ઓફિસર દ્વારા પાણીના પ્રશ્ન માટે કંઇ નિરાકરણ લાવવા માટે ચર્ચા કરાઇ હતી. જે બાદ શહેરજનોને પાણી મળી રહે તે માટે અમારી વાડીના કૂવામાંથી નગરપાલિકાના સંપમાં કનેક્શન આપ્યુ છે. જ્યાં સુધી પાલિકાને પાણીની જરૂર પડશે ત્યાં સુધી નિશુલ્ક પાણી આપતા રહીશું. આખરે હવે શહેરીજનોને ઉનાળાની ત્રતુમાં પાણીની સમસ્યા નહીં સર્જાઇ. અને પાણીનું વિતરણ શરૂ થતાં લોકોમા આનંદની લાગણી પ્રસરી હતી.