By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    લીક થયેલા ઓડિયોના મામલે કોર્ટે થાઈલેન્ડના વડા પ્રધાનને સસ્પેન્ડ કર્યા
    15 minutes ago
    યુરોપમાં ગરમીનું મોજું ફરી વળતાં બાર્સેલોનામાં 100 વર્ષથી વધુ સમયનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો
    33 minutes ago
    90 વર્ષની ઉંમરે દલાઈ લામા ઉત્તરાધિકાર યુદ્ધ જે તિબેટના ભવિષ્યને આકાર આપશે
    44 minutes ago
    પ્રધાનમંત્રી મોદી 5 દેશોના પ્રવાસનો પ્રારંભ: જાણો સંપૂર્ણ શેડ્યૂલ
    1 hour ago
    યુએસ સેનેટે ટ્રમ્પના ‘વન બિગ બ્યૂટીફુલ બિલ’ને પસાર કરીને ગૃહમાં મોકલ્યું
    1 hour ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    1 hour ago
    દિલ્હીમાં જૂનાં વાહનોને બ્રેક: પેટ્રોલ પંપ પર ઇંધણ નહીં ભરવા દેવાય
    2 hours ago
    યુપીઆઈ પેમેન્ટની લોકપ્રિયતા સામે રિઝર્વ બેન્કની ડિજિટલ કરન્સી નિષ્ફળ
    20 hours ago
    આધાર, ટ્રેન બુકિંગ, PAN માટે આધાર ફરિજયાત, આજથી નવા નિયમો અમલમાં
    23 hours ago
    ઉત્તર પ્રદેશ એરપોર્ટ પર ઈન્ડિગો પ્લેનમાં મુસાફરોએ ‘પેટ્રોલ જેવી ગંધ’ની ફરિયાદ કરી ; ફ્લાઇટ રદ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હું સચિનને હંમેશા કહું છું કે મારા લીધે તારું નામ થયું છે: એલન લેમ્બે
    1 day ago
    અલ નાસિરે રોનાલ્ડો સાથે બે વર્ષ માટે સ્પોર્ટ્સ ઇતિહાસનો સૌથી મોટો કરાર કર્યો
    2 days ago
    એશિયા કપ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે, યુએઈ યજમાન બનવાની અપેક્ષા છે
    2 days ago
    ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો
    5 days ago
    નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટનો ખિતાબ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શેફાલી જરીવાલાનું મૃત્યુ પાછળનું કારણ આવ્યું બહાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
    24 hours ago
    આજે પણ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો મારી સાથે યોગ્ય વર્તન નથી કરતા
    2 days ago
    ‘કાંટા લગા’થી ફેમસ થયેલી શેફાલીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો
    4 days ago
    અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે 42 વયે નિધન
    4 days ago
    પાકિસ્તાની સેન્સર બોર્ડે દિલજીત દોસાંજની ‘સરદાર જી 3’ને રિલીઝ માટે મંજૂરી આપી
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    1 hour ago
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    5 days ago
    રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?
    5 days ago
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    2 weeks ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    20 hours ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરોખાર : ફટાકડાથી વિશ્વયુદ્ધ સુધીનો વિલન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સુરોખાર : ફટાકડાથી વિશ્વયુદ્ધ સુધીનો વિલન
Author

સુરોખાર : ફટાકડાથી વિશ્વયુદ્ધ સુધીનો વિલન

Khaskhabar Editor
Last updated: 2024/10/31 at 1:53 PM
Khaskhabar Editor 8 months ago
Share
8 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

ફટાકડા, કારના ટર્બો ચાર્જર અને જેટ પ્લેનના એન્જિન વચ્ચે એક સામ્યતા છે, આ ત્રણેય દહન માટે પુષ્કળ ઑક્સિજન ખેંચે છે

- Advertisement -

જોકે દિવાળી સાથે ફટાકડાને ખાસ લેવાદેવા નથી પણ આપણે ત્યાં એક પ્રથા શરૂ થાય પછી ધીમે ધીમે એ એટલી આરૂઢ થઈ જાય છે કે મૂળ માહાત્મ્ય ભુલાઈ જાય છે અને આવી પ્રથાઓ પડી રહે છે જેમ જીવ જતો રહે અને નિર્જીવ શરીર પડ્યું રહે એમ. ખેર, ફટાકડા માત્ર હાનિકારક ધુમાડો અને ઝેરી પાર્ટિકલ (કણો) પેદા કરે એવું નથી તે હવાનો પુષ્કળ ઓકિસજન પણ ‘ખાઈ’ જાય છે. જેમ જેટ પ્લેન ને ઉડવા માટે કે કારને એકદમ તાકાતથી ચાલવા માટે પુષ્કળ ઓકસીજન જોઈએ એમ ફટાકડાને પણ ધડાકા ભેર ફૂટવા માટે પુષ્કળ ઓકસીજન જોઈએ. આ ઓકસીજન એને હવામાંથી પૂરતો નથી મળતો. પ્રચંડ ધડાકો કરવા માટે પુષ્કળ ઓકસીજન પેદા કરતું રસાયણ ફટાકડામાં ઉમેરવું પડે છે જેને ઓક્સીડાઈઝર કહેવાય છે. ઓક્સિડાઈઝર તરીકે ફટાકડામાં હમેશા પોટેશિયમ નાઇટ્રેટ (ઊંગઘ3) નો ઉપયોગ થતો આવ્યો છે. પોટેશિયમ નાઇટ્રેટ એક અતિ જાણીતું રસાયણ છે જે વિશ્વના ટોપ 10 ઉપયોગી રસાયણમાં આવે છે.

પરંતુ આ પોટેશિયમ નાઇટ્રેટે વિશ્વનો ઇતિહાસ બદલી નાખેલો છે એની વાત આજે કરવી છે. ફટાકડા એ બોમ્બ જેવા જીવલેણ શસ્ત્રનું નાનું સ્વરુપ છે. રૂડયાર્ડ કિપ્લિંગે જંગલ બૂક નામની વાર્તા લખેલી એમાં માણસ ના રક્ત ફૂલ (એટલે કે અગ્નિ) નામના શસ્ત્ર થી હિંસકમાં હિંસક પ્રાણીઓ પણ ભયભીત થઈ જાય છે એવી વાત આવે છે.પણ આગ સાથે જો પ્રચંડતા ભળે તો એ વધુ ઘાતક બને. ભારતીયો ફટાકડા પ્રાચીન સમયથી ફોડે છે એના ખાસ પુરાવા નથી પણ ભારતીયો પ્રેકટિકલ હતા. એમણે ફટાકડાનો પ્રેકટીકલ ઉપયોગ શોધી કાઢેલો. ભારતીયો બારૂદ એટલે કે દારૂગોળા અથવા ગન પાઉડર બનાવવાની પ્રક્રિયા થી પ્રાચીન સમય થી વાકેફ હતા. આમ તો ગન પાઉડરની બનાવટનો શ્રેય ચાઈનીઝોને અપાય છે પરંતુ આ ચાઇનીઝ દાવાનું ખંડન એક જર્મન વંશી સંસ્કૃત પ્રોફેસરે કર્યું હતું. ગુસ્તાવ ઓપર્ટ નામના એક જર્મન પ્રોફેસર હતા જે મદ્રાસ પ્રેસિડેનસી કોલેજમાં સંસ્કૃત ભણાવતા હતા. એમણે પ્રાચીન ભારતીય યુદ્ધ કળાઓ ઉપર 1880મા શોધ નિબંધ લખ્યો ને દર્શાવ્યું કે હિંદુઓ (ભારતીયો) પ્રાચીન કાળથી ગન પાઉડર અર્થાત્ બારૂદ બનાવી જાણે છે. ગુસ્તાવે આ વાતને સાબિત કરતા અનેક પુરાવા પણ રજૂ કરેલા છે. (સર્ચ : On the weapons, army organisation and political maxims of ancient hindoos with special reference to gun powder to firearms, Oppert G 1880) ગુસ્તાવે શુક્રનીતિ સાર નામના અસુર ગુરુ શુક્રાચાર્ય દ્વારા લિખિત ગ્રંથમાંથી ગન પાઉડર(બારુદ/દારૂગોળો) બનાવવાની વિધિ ને પુરાવા તરીકે રજૂ કરી. આ વિધિમાં પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે સુરોખાર એક અતિ અગત્યનું ઘટક છે. ગુસ્તાવે શુક્ર નીતિ સાર નામના અસુર ગુરુ શુક્રાચાર્ય દ્વારા લિખિત ગ્રંથમાંથી ગન પાઉડર(બારુદ/દારૂગોળો) બનાવવાની વિધિ ને પુરાવા તરીકે રજૂ કરી. આ વિધિમાં પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે સુરોખાર એક અતિ અગત્યનું ઘટક છે. ઇસ 1605મા સ્પેનના રાજાએ ભારતથી પોટેશિયમ નાઇટ્રેટ મંગાવ્યું હતું એના ઐતિહાસિક પુરાવા છે. ભારતમાં પોટેશિયમ નાઇટ્રેટ ને સુરોખાર /શોરક /શુરા /શોરા/ સુવર્ચલ લવણ જેવા અનેક નામથી ઓળખાય છે.

આ શોરા શબ્દ છેક ફારસીમાં જઈને છેવટે સોડા શબ્દને જનમ આપે છે. ફ્રાન્સના રાજા લૂઈ 16માં એ પણ 1680મા ભારતથી હાઈ કવાલિતી સુરોખાર મંગાવેલો. યુરોપિયનો ને ત્યાં સુરોખાર (પોટેશિયમ નાઇટ્રેટ) બનતો જ નહોતો કેમકે એમને તે બનાવતા આવડતું નહોતું. આ કામ લુણીયા તરીકે ઓળખાતા લોકો ભારતમાં કરતા. સુરોખાર એક પ્રકારનું લવણ એટલે કે ક્ષાર જ છે. ભારતમાં બિહાર નું સુરોખાર શ્રેષ્ઠ ગુણવત્તાનું સુરોખાર કહેવાતું હતું. આથી જ્યારે ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ ભારતમાં ધામાં નાખ્યા ત્યારે એની સહુથી મોટી નિર્યાત અફીણ કે ગળી કે કાપડ નહિ પણ સોલ્ટ પેટર અર્થાત્ સુરોખાર હતી. તેઓ અહીથી હજારો ટન ના હિસાબે સુરોખાર લઈ જતા અને એનો ગન પાઉડર બનાવીને પોતાની સૈન્ય શક્તિ વધારતા હતા. એથી એક સમય એવો આવ્યો કે ભારતમાં બેસ્ટ તોપચીઓ ફ્રેન્ચ અને અંગ્રેજ મૂળના હતા. ઇસ 1839મા જોહન ક્લાર્ક નામનો એક આસિસ્ટન્ટ સર્જન મદ્રાસ અંગ્રેજી આર્મીમાં ફરજ બજાવતો હતો તે નોંધે છે કે “કોઈ એવી રાસાયણિક પ્રક્રિયા છે જે આપણને સમજાતી નથી પણ એના વડે (ભારતીયો) સુરોખાર બનાવે છે”. સુરોખાર બનાવવા માટેની કાચી સામગ્રી બહુ નવાઈ પમાડે એવી હતી. એ હતી સડેલ વનસ્પતિ અને પ્રાણીઓ ના અવશેષ !! ભારતીયો આ સડવા માંડેલ ચીજોમાંથી એકદમ સફેદ ક્રિસ્ટલ જેવો સુરોખાર પેદા કરતા હતા જેની એક વિશિષ્ટ પણ એકદમ દેશી પ્રક્રિયા હતી. ઇસ 1912મા નેચર મેગેઝિન માં પ્રકાશિત થયેલ એક શોધપત્ર નોંધે છે કે ભારતીયો વિશ્વનું સહુથી વધુ પોટેશિયમ નાઇટ્રેટ (સુરોખાર) સપ્લાય કરે છે. હવે પ્રશ્ન એમ થવો જોઈએ કે કેમ સુરોખાર તરફ યુરોપિયનો ને આટલો પ્રેમ હતો? કેમ તે લોકો ભારતથી મોં માંગ્યા ભાવે સુરોખાર ખરીદીને પોતાની નાવોમાં ભરીને યુરોપ પહોચાડતા હતા? અંગ્રેજો અને બીજી યુરોપિયન પ્રજાઓના આ સુરોખાર પ્રેમ નું કારણ હતું : ગન પાઉડર એટલે કે બારૂદ બનાવવા માટે અનિવાર્ય જરુરીયાત. યુરોપિયનો એ અમેરિકા શોધી લીધું હતું. ત્યાં શાસન માટે સતત યુદ્ધો અને સંઘર્ષો થતા હતા. વળી એમને યુરોપમાં અંદર અંદર પણ છમકલાં ચાલુ રહેતા. આથી સખત માત્રામાં બારૂદ (ગન પાઉડર) ની જરૂર પડતી. આ ગન પાઉડર બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટ અથવા સુરોખાર અનિવાર્ય હતો.

- Advertisement -

અમેરિકાની સિવિલ વોર્સ (ગૃહ યુદ્ધ) , યુરોપના ઇંગ્લેન્ડ ફ્રાન્સ વચ્ચેના સતત હાલતા વિગ્રહ અને બીજા અનેક લોહિયાળ યુદ્ધોમાં જે તોપ અને બંદૂકો ગરજી તે બધીમાં ભારતીય પોટેશિયમ નાઇટ્રેટ હતો. પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે તો વિશાળ માત્રામાં પોટેશિયમ નાઇટ્રેટ ની જરૂર પડી હતી. પરંતુ બડભાગી (કે બદનસીબ??) યુરોપિયનો ને એ યુદ્ધો થતા પહેલા દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાં પક્ષીઓ એ દરિયા કિનારે કરેલી હગાર (ચરક) ના વિશાળ ડુંગરા મળી આવ્યા જેમાં પોટેશિયમ નાઇટ્રેટ (સુરોખાર) મોટી માત્રામાં ઉપલબ્ધ હતો..યુરોપિયનો એ ચાઇનીઝ ગુલામોને ત્યાં મોકલીને એ પહાડો ખોદવાનું કામ શરૂ કર્યું. અને આં વિશાળ પોટેશિયમ નાઇટ્રેટ ના જથ્થાથી જે વિશાળ પાયે ગન પાઉડર બન્યો એને પરિણામે પહેલું અને બીજું વિશ્વયુદ્ધ થયા જેમાં લાખો માણસો મૃત્યુ પામ્યા. જો સુરોખાર ના હોત તો અંગ્રેજો ભારતમાં ના આવ્યા હોત, ભારત કદી ગુલામ બન્યું ના હોત, કદાચ હજી અમેરિકા યુરોપના તાબામાં હોત , એકેય વિશ્વયુદ્ધ થયું ના હોત , ફ્રેન્ચ અને અંગ્રેજ લડ્યા ના હોત, અનેક બોમ્બ ધડાકા અને અનેક નિર્દોષ પ્રાણીઓ અને મનુષ્યોની કતલ પણ ના થઈ હોત. એકેય બોમ્બ, એકેય ગન ના બન્યા હોત, અમેરિકામાં ગન કલ્ચર આવ્યું ના હોત,રાસાયણિક ખાતરની કથિત ક્રાંતિ પણ ના આવી હોત. એકદમ ઉચ્ચ ગુણવતા નું ખાતર , શીતક (પાણી ઠંડું કરવા કે બરફ બનાવવા વપરાતો પદાર્થ) , ફૂડ પ્રિઝરવેટીવ અને એક જોરદાર આયુર્વેદિક ઔષધિ એવું સુરોખાર મનુષ્યો માટે “રક્ત-ફૂલ” નીવડ્યું. . જેણે અનેક નિર્દોષ લોકો અને પ્રાણીઓના રક્ત વહાવ્યા. એક ઉત્તમ શોધ જ્યારે અધમ લોકોના હાથમાં જાય ત્યારે શું થાય તે જોવા જેવું છે. દિવાળી આવે ત્યારે જોજો કે તમે સુરોખાર નો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છો કે નહિ.. ધડાકા અને ધુમાડા યુદ્ધ સમયે કરવાના હોય છે, (પણ હવે જગત એકેય યુદ્ધ ખમી શકે એમ નથી) આનંદ તો આત્મીયતાના ઉજાસથી વ્યક્ત થઈ શકે છે. શું કહો છો?

You Might Also Like

વાદળ ફાટવું પ્રકૃતિનું રૌદ્ર રૂપ અને તેની પાછળનું વિજ્ઞાન

આંકડાશાસ્ત્ર બધા વિજ્ઞાનનો બાપ!

EB-5 કે L-1વિઝા

શા માટે ભારતમાં ડિવોર્સના કેસ વધી રહ્યા છે?

નવી દૃષ્ટિ આપનાર માર્ગદર્શક

TAGGED: firecrackers, World Wars
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સત્યનો સાથ આપી ધૈર્ય રાખો અને સૌનું સન્માન જાળવશો તો જીત નિશ્ચિત
Next Article ડ્રાયફ્રુટ્સની રસઝરતી વાતો: ઓછા જાણીતા પરંતુ વધુ સ્વાસ્થ્યપ્રદ વિવિધ ડ્રાયફ્રૂટ્સ વિશે જાણીએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

ટ્રમ્પ દ્વારા એલોન મસ્કને દેશનિકાલની ધમકી બાદ ટેસ્લાના શેરમાં 8%નો ઘટાડો થયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
લીક થયેલા ઓડિયોના મામલે કોર્ટે થાઈલેન્ડના વડા પ્રધાનને સસ્પેન્ડ કર્યા
યુરોપમાં ગરમીનું મોજું ફરી વળતાં બાર્સેલોનામાં 100 વર્ષથી વધુ સમયનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો
90 વર્ષની ઉંમરે દલાઈ લામા ઉત્તરાધિકાર યુદ્ધ જે તિબેટના ભવિષ્યને આકાર આપશે
પ્રધાનમંત્રી મોદી 5 દેશોના પ્રવાસનો પ્રારંભ: જાણો સંપૂર્ણ શેડ્યૂલ
અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વાદળ ફાટવું પ્રકૃતિનું રૌદ્ર રૂપ અને તેની પાછળનું વિજ્ઞાન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

આંકડાશાસ્ત્ર બધા વિજ્ઞાનનો બાપ!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

EB-5 કે L-1વિઝા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?