રશિયા અને યુક્રેન વચ્ચે સતત 3 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. કેટલાય દેશો યુક્રેનને મદદ કરી રહ્યા છે, આ વચ્ચે એક રશિયન પત્રકારે યુક્રેનની મદદ માટે એક દાખલો બેસાડયો છે. રશિયન પત્રકાર દિમિત્રિ મુરાતોવએ શાંતિ માટે પોતાના નોબલ પુરસ્કારની હરાજી કરવાની જાહેરત કરી છે. દિમિત્રિ આ હરાજીથી મળનારા પૈસા UNICEFને દાન કરી દેશે, જેથી યુક્રેનના યુદ્ધમાં પીડિત બાળકોને મદદ મળી શકે.
- Advertisement -
દિમિત્ર મુરાતોવએ આ નોબેલ શાંતિ પુરસ્કાર ઓક્ટોમ્બર 2021માં જીત્યો હતો. મુરાતોવએ ફિલીપનની પત્રકાર મારિયા રેસાની સાથે સંયુક્ત રૂપે શાતિનો નોબેલ પુરસ્કાર મેળવ્યો હતો. મુરાતોવએ પુરસ્કારની હરાજીથી મળેલી 5,00,000 ડોલરની રોકડ રકમ દાન કરવાની જાહેરાત કરી છે.
મુરાતોવ ખાસ કરીને યુદ્ધમાં અનાથ થયેલા બાળકો માટે ચિંતામાં છે. તેમણે આ વિશે જણાવ્યું કે, યુદ્ધ શરણાર્થી બાળકોના ભવિષ્ય માટે એક તક આપવી છે. અમે તેમને સારૂ ભવિષ્ય આપવા માંગીએ છિએ.
ઉલ્લેખનીય છે કે, દિમિત્રિ સ્વતંત્રએ નોવાયા ગેજેટ ન્યુઝપેપરની સ્થાપના કરી હતી, અને જયારે માર્ચમાં ન્યુઝપેપર બંધ થયું ત્યારે તેઓ મુખ્ય સંપાદક હતા. મુરાટોવએ પોતાના આ પુરસ્કારને 6 નોવાયા ગજેટના પત્રકારોને સમર્પિત કર્યો હતો, જેમની રિપોર્ટિંગના સમયે હત્યા કરી દેવામાં આવી હતી. એમાંથી કેટલાક રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૌથી હાઇ પ્રોફાઇલ વિવેચકોમાંના એક હતા. યુક્રેન પર રશિયાના હુમલાને લઇે સાર્વજનિક અસંતોષના દબાણ અને પત્રકારો પર રશિયાની કાર્યવાહીના કારણે આ ન્યુઝપેપર બંધ કરવું પડયું,.