માધવપુર મેળો: ઈન્ટરનેશનલ ફેસ્ટીવલ
રાજકોટ સહિત આઠ જિલ્લાઓમાં હિસ્ટોરીકલ સર્કીટ બનાવવાનું આયોજન
રાજકોટની 112 હવેલીઓમાં શણગાર: સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર: 25 હજારથી વધુ સાધુ-સંતો, ભક્તોને પોરબંદર લઈ જવાશે
રાજકોટ સહિત આઠ જિલ્લાઓમાં હિસ્ટોરીકલ સર્કીટ બનાવવાનું આયોજન
રાજકોટથી જેતપુર સુધીનો ટૂંક સમયમાં સિક્સલેન હાઈવે બનશે
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં એક ભારત, શ્રેષ્ઠ ભારત અને આઝાદીના અમૃત મહોત્સવને સાંસ્કૃતિક વિરાસત સાથે જોડવાના અભિયાનના ભાગરૂપે માધવપુર ઘેડનો 2022નો મેળો માત્ર પોરબંદર જિલ્લા પૂરતો સિમિત નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના તીર્થ સ્થળો, પ્રવાસન સ્થળો પણ આ ટુરિઝમ સર્કીટ સાથે જોડાય તે માટે રાજ્ય સરકારના માર્ગદશન હેઠળ આજરોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને વિવિધ સંપ્રદાયોના સંતો, મહંતો, પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.પોરબંદરના કલેકટર અશોક શર્મા અને સ્થાનિક તંત્ર સાથે પણ રાજકોટ જિલ્લાનું તંત્ર સંપર્કમાં છે અને રાજકોટ જિલ્લામાંથી પણ જરૂરિયાત મુજબ અધિકારીઓ-સ્ટાફની માગણી મુજબ નિયુક્તિ કરવામાં આવશે.
આ બેઠકમાં એક સાંસ્કૃતિક પર્વ તરીકે સહભાગી બનવા અને રાજકોટ જિલ્લામાં પણ સારી રીતે ઉજવણી થનાર છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ઉપરાંત રાજકોટની 112 જેટલી હવેલીઓને શણગારાશે. ઉપરાંત 25000 ભક્તોને માધવપુર લઈ જવાશે.
- Advertisement -
માધવપુરનો મેળો તા. 10થી 14 સુધી યોજાનાર છે પરંતુ આ મેળો તા. 15 સુધી લંબાવાય તેવી પણ શક્યતાઓ છે તેમજ નોર્થ ઈસ્ટના તમામ મુખ્યમંત્રીઓ, રાજકોટ એરપોર્ટથી પોરબંદર જવા રવાના થશે ઉપરાંત તમામ ભારત સરકારના તમામ મંત્રીઓ, અધિકારીઓ, મુખ્યમંત્રીઓ, ગર્વનર અને રાષ્ટ્રપતિ પણ પોરબંદર- માધવપુરના મેળામાં હાજરી આપશે. ઉપરાંત ગુજરાતભરમાંથી વૈષ્ણવ સમાજના ભક્તો, સંતો, હજારોની સંખ્યામાં હાજરી આપશે. આ આયોજન માટે ભારત સરકાર દ્વારા અલગથી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વધુમાં રાજકોટથી જેતપુર સુધીનો સિક્સલેન હાઈવે ટૂંક સમયમાં તૈયાર થનાર છે જેના માટે નેશનલ હાઈવેને મંજૂરી પણ મળી ગઈ છે તેવી તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી હતી.