0 બજેટ કિચન ગાર્ડન
હજારો લોકોને પર્યાવરણ તરફ વળવાની પ્રેરણા આપતા રાજકોટનાં નીતાબેન મોદી
- Advertisement -
નીતાબેન રોજ સાંજે 4:30થી 6:30 દરમિયાન મો.નં. 72030 18575 પર ગાર્ડનીંગ માટે નિ:શુલ્ક માર્ગદર્શન આપે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજના દોડધામભર્યા જીવનમાં શુદ્ધ અને રાસાયણિક પ્રક્રિયા વગરના શાકભાજી-ફળફૂલ મેળવવા એ એક પડકાર બની ગયો છે. વટાણા, તુરીયા, કારેલા, રીંગણ જેવા શાકભાજી હોય કે કેળા, પપૈયા અને લીંબુ જેવા ફળોનું આપણા આહારમાં તેમનું સ્થાન અત્યંત મહત્વનું છે. જ્યારે બજારમાં જંતુનાશક દવાઓવાળા શાકભાજી-ફળફૂલનું પ્રમાણ વધ્યું છે, ત્યારે ‘કિચન ગાર્ડન’ એ ઉત્તમ સ્વાસ્થ્ય માટેનો શ્રેષ્ઠ ઉકેલ છે.
ઘરની આજુબાજુ ખાલી જમીન, આગાશી, છત કે બાલ્કનીમાં ફળફૂલ અને શાકભાજીની ખેતી કરવી તેને કિચન ગાર્ડન કહેવામાં આવે છે. ખાલી જમીનનો ઉપયોગ કરીને તેને સુંદર અને સ્વચ્છ રાખી શકાય છે. કિચન ગાર્ડન ઘરના શણગારમાં વધારો કરે છે. તેમાં નકામા પાણીનો ઉપયોગ કરી શકાય છે. કુટુંબની જરૂરિયાત મુજબ તાજા અને જંતુનાશક દવાથી મુક્ત શાકભાજી મળે છે. કિચન ગાર્ડનમાંથી મળતા ફળો અને શાકભાજી તાજા અને પૌષ્ટિક હોય છે. આજે જ્યારે ઘણા લોકો પોતાના ઘરે કિચન ગાર્ડન બનાવવા-વિકસાવવા માગે છે ત્યારે તમને યોગ્ય મદદ-માહિતી-માર્ગદર્શનની જરૂર પડે છે. આ સમયે રાજકોટમાં કિચેન ગાર્ડન બનાવવા-વિકસાવવા માટેનું એક સચોટ સરનામું બની ગયા છે, નીતાબેન અમરીશભાઈ મોદી.
શહેરના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં રહેતા નીતાબેન અમરીશભાઈ મોદી પર્યાવરણ પ્રત્યેની લાગણીને જીવનમૂલ્ય બનાવી અનોખું કાર્ય કરી રહ્યા છે. બાળપણથી જ તેમને છોડ અને પ્રકૃતિ પ્રત્યે વિશેષ લગાવ હતો, જે સમય જતાં તેમની જીવનયાત્રાનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો. માત્ર શોખ પૂરતો મર્યાદિત ન રહી, તેમણે આ ક્ષેત્રમાં ઊંડો અભ્યાસ કરવાનો નિર્ધાર કર્યો અને ભાવનગર યુનિવર્સિટીની સર પી.પી. સાયન્સ કોલેજમાંથી ઇ.જભ. ઇજ્ઞફિંક્ષુની ડિગ્રી મેળવી. અભ્યાસકાળ દરમિયાન વિવિધ નિષ્ણાતો અને માર્ગદર્શકો પાસેથી તેમણે ગાર્ડનીંગના
- Advertisement -
ઘરમાં જ 150થી વધુ પ્લાન્ટનો ઉછેર, અત્યાર સુધીમાં 2000થી વધુ છોડ ઉછેરી નિ:શુલ્ક વિતરણ
સૂક્ષ્મ પાસાઓ અંગે વિસ્તૃત જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ જ્ઞાનને તેમણે માત્ર પોતાના માટે નહીં પરંતુ સમાજ માટે ઉપયોગી બનાવ્યું. આજે નીતાબેન ઝીરો બજેટ કિચેન ગાર્ડનની કલ્પનાને વાસ્તવિકતા બનાવી હજારો લોકોને પ્રેરણા આપી રહ્યા છે.
તેમના નિવાસસ્થાને જ 150થી વધુ વિવિધ પ્રજાતિના છોડનું સંવર્ધન કરવામાં આવે છે. દરેક છોડની તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી માવજત કરે છે. તેઓ જણાવે છે કે યોગ્ય ગાર્ડનીંગ માટે માત્ર પાણી પૂરતું નથી પરંતુ યોગ્ય હવા-ઉજાસ, જમીનની ગુણવત્તા, ખાતરનું પ્રમાણ અને ઋતુ અનુસાર સંભાળ ખૂબ જ જરૂરી છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને તેઓ પ્રત્યેક છોડને અલગ રીતે ઉછેરે છે. ઘણા લોકો ગાર્ડનીંગમાં રસ ધરાવતા હોવા છતાં યોગ્ય માર્ગદર્શનના અભાવે સફળતા મેળવી શકતા નથી. આ ખામી દૂર કરવા નીતાબેન સંપૂર્ણપણે નિ:શુલ્ક માર્ગદર્શન આપે છે. તેઓ લોકોના અઘરા-અટપટા પ્રશ્નોનું સચોટ નિરાકરણ લાવી માર્ગદર્શન આપે છે અને પ્રાયોગિક રીતે પણ સમજાવે છે કે કેવી રીતે ઓછી જગ્યા અને ઓછા ખર્ચમાં સુંદર કિચન ગાર્ડન ઉભું કરી શકાય.
તેમના માર્ગદર્શનની સૌથી ખાસ બાબત એ છે કે તેઓ સંપૂર્ણ ઓર્ગેનિક અને ઘરગથ્થુ ઉપાયો પર ભાર મૂકે છે. ખાતર બનાવવા માટે તેઓ શાકભાજી અને ફળોની છાલનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. કોટનના કપડામાં છાલની પોટલી બનાવી તેને પાણીમાં પલાળી, તેમાં ગોળ અને એનજાય ઉમેરવાથી ઉત્તમ લિક્વિડ ખાતર તૈયાર થાય છે. આ ખાતર સંપૂર્ણપણે કુદરતી અને અસરકારક હોય છે. જંતુનાશક દવા માટે પણ તેઓ સરળ અને સસ્તો ઉપાય સૂચવે છે. એલોવીરાના પાન, ખાવાનો સોડા અને લીમડાનું તેલ પાણીમાં મિશ્રિત કરીને ઓર્ગેનિક પેસ્ટિસાઇડ તૈયાર કરી શકાય છે, જે છોડને નુકસાન પહોંચાડ્યા વગર જીવાતો દૂર કરે છે. બીયારણ માટે પણ નીતાબેન ઘરગથ્થુ વસ્તુઓ પર ભાર મૂકે છે. રાઈ, મેથી, મરચાં, હળદર, આદુ, કોથમીર, લસણ અને અજમો જેવી વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ હોય છે અને તેમાંથી ઉત્તમ છોડ ઉગાડી શકાય છે. આ રીતોથી લોકો ખર્ચ વગર જ સ્વસ્છ અને તાજા શાકભાજી મેળવી સ્વસ્થતા જાળવી શકે છે.
પર્યાવરણ પ્રત્યેની તેમની લાગણી માત્ર માર્ગદર્શન પૂરતી મર્યાદિત નથી. તેઓ પોતાના માતા અને સાસુની પુણ્યતિથિ નિમિત્તે નિ:શુલ્ક છોડનું વિતરણ કરે છે. અત્યાર સુધીમાં તેઓ 2000થી વધુ છોડ લોકોમાં વહેંચી ચૂક્યા છે. આ પહેલ દ્વારા તેઓ સમાજમાં શુદ્ધતા અને સાત્વિકતા સાથે સુંદરતા વધારવાનો સંદેશ આપી રહ્યા છે. નીતાબેન માને છે કે, માનવજીવનની શરૂઆતથી અંત સુધી વૃક્ષોનું મહત્વ અતિ છે. જન્મ સમયે ઘોડિયું હોય કે અંતિમ વિધિમાં અગ્નિસંસ્કાર – બંનેમાં વૃક્ષોનો જ ઉપયોગ થાય છે. આથી દરેક વ્યક્તિએ જીવનમાં ઓછામાં ઓછા પાંચ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. તેમણે પોતાના પરિવારમાં પણ આ સંસ્કાર જાળવી રાખ્યા છે. દીકરીના લગ્ન સમયે તેમણે દીકરીને બે વૃક્ષ ઉછેરવાની સલાહ આપી હતી. આજે તે વૃક્ષો લીમડો અને પીપળો માત્ર પરિવાર માટે નહીં પરંતુ આસપાસના લોકો માટે પણ ઉપયોગી બની રહ્યા છે.
નીતાબેન રોજ સાંજે 4:30થી 6:30 દરમિયાન ગાર્ડનીંગમાં રસ ધરાવતા લોકોને નિ:શુલ્ક માર્ગદર્શન આપે છે. કોઈપણ વ્યક્તિ તેમના મોબાઇલ નંબર 72030 18575 પર સંપર્ક કરી શકે છે. આ રીતે નીતાબેન મોદી માત્ર પોતાના ઘરને નહીં પરંતુ સમગ્ર સમાજને સ્વસ્થ્ય બનાવવાની દિશામાં કાર્ય કરી રહ્યા છે. તેમની આ પહેલ આજના પર્યાવરણ સંકટના સમયમાં એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહી છે, જે વધુ લોકો માટે માર્ગદર્શક બની શકે છે.
ખાતર, જંતુનાશક દવા અને બિયારણ તૈયાર કરવા માટે ખાસ માર્ગદર્શન
ફર્ટીલાઇઝર (ખાતર) : ઘરમાં જે શાકભાજી અને ફળો આપણે લઇએ છીએ તેની છાલને યોગ્ય રીતે અલગ કરી તેને એક કોટનના કાપડમાં ભરી તેની પોટલી તૈયાર કરવી. તે પોટલીને ત્રણ લિટર પાણીમાં પલાળીને રાખવી. પાણીમાં પાંચ ગ્રામ જેટલો ગોળ ઉમેરવો, બે ચમચી એનજાય નાખવી. આ પોટલીને એક દિવસ માટે પાણીમાં રાખવી ત્યારબાદ તે પાણીને છોડમાં છાટવું. આમ ઝીરો બજેટમાં જ એક શ્રેષ્ઠ ખાતર તૈયાર થઇ જશે.
પેસ્ટીસાઇડ (જંતુનાશક દવા) : ત્રણથી ચાર એલોવીરાના પાન લેવા તેના ઝીણા કટકા કરવા, બે ચમચી ખાવાના સોડા, પાંચથી છ ટીપા લીમડાનું તેલ લઇ એક લિટર પાણીમાં તેમનું મિશ્રણ કરવું પછી તે લિક્વીડ તૈયાર થઇ જશે. આ લિક્વીડને છોડ પર છાંટવું. આમ ઝીરો બજેટમાં જ શ્રેષ્ઠ અને ઓર્ગેનીક જંતુનાશક દવા તૈયાર થઇ જશે.
સીડ (બીયારણ) : રાઇ, મેથી, મરચા, હળદર, આદુ, કોથમરી, લસણની કડી અને અજમાં આ તમામ વસ્તુ ઘરમાંથી જ મળી જાય છે અને તે બિયારણ તરીકે શ્રેષ્ઠ છે. આ તમામ બિયારણના આધારે શ્રેષ્ઠ છોડને ઉછેરી શકાય છે.
ઘરે બેઠાં આરોગ્ય અને માનસિક શાંતિ મેળવવાનો ઉત્તમ ઉપાય છે કિચન ગાર્ડન
કિચન ગાર્ડન બનાવવાનો ઉદ્દેશ આર્થિક લાભ જ નહીં, પણ પોતાના પરિવારને આરોગ્ય અને પોષણ આપવાનો છે. સામાન્ય રીતે લોકો પોતાનાના આંગણામાં ટામેટાં, કોથમીર, મરચાં જેવાં શાકભાજી ઉગાડે છે. અલગ-અલગ હવામાનના હિસાબે અલગ-અલગ શાક ઉગાડવું એ અનેક લોકોનો શોખ હોઈ શકે છે. ઘરેલું મહિલાઓ ફાજલ સમયમાં એક હોબીની જેમ કિચન ગાર્ડન બનાવી શકે છે. આમ તો ગાર્ડનના અનેક ફાયદા છે, જેમ કે ખાલી જમીનનો યોગ્ય ઉપયોગ, વર્ષભર તાજી શાકભાજીની ઉપલબ્ધતા, બજારની તુલનામાં ઉત્તમ ગુણવત્તાયુક્ત શાકભાજી, પોષણમાં વધારો વગેરે. છોડ રોપવા, કાપણી, સિંચાઈ અને બાગકામનો દરેક સ્તર આપણને ખુશી અને સમયના યોગ્ય ઉપયોગની રીત શીખવે છે. ગાર્ડનીંગ કે બાગકામ આપણા માનસિક આરોગ્ય માટે ખૂબ જરૂરી છે, આ મેડિટેશનનો જ એક પ્રકાર છે.



