By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    1 hour ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    1 day ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    1 day ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    2 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    28 minutes ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    1 hour ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    1 hour ago
    ‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે!
    1 hour ago
    ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    1 hour ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    1 day ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    2 days ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    2 days ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક
રાજકોટ

શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક

Khaskhabar Editor
Last updated: 2026/05/09 at 3:18 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
8 Min Read
SHARE

0 બજેટ કિચન ગાર્ડન

હજારો લોકોને પર્યાવરણ તરફ વળવાની પ્રેરણા આપતા રાજકોટનાં નીતાબેન મોદી

- Advertisement -

નીતાબેન રોજ સાંજે 4:30થી 6:30 દરમિયાન મો.નં. 72030 18575 પર ગાર્ડનીંગ માટે નિ:શુલ્ક માર્ગદર્શન આપે છે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

આજના દોડધામભર્યા જીવનમાં શુદ્ધ અને રાસાયણિક પ્રક્રિયા વગરના શાકભાજી-ફળફૂલ મેળવવા એ એક પડકાર બની ગયો છે. વટાણા, તુરીયા, કારેલા, રીંગણ જેવા શાકભાજી હોય કે કેળા, પપૈયા અને લીંબુ જેવા ફળોનું આપણા આહારમાં તેમનું સ્થાન અત્યંત મહત્વનું છે. જ્યારે બજારમાં જંતુનાશક દવાઓવાળા શાકભાજી-ફળફૂલનું પ્રમાણ વધ્યું છે, ત્યારે ‘કિચન ગાર્ડન’ એ ઉત્તમ સ્વાસ્થ્ય માટેનો શ્રેષ્ઠ ઉકેલ છે.
ઘરની આજુબાજુ ખાલી જમીન, આગાશી, છત કે બાલ્કનીમાં ફળફૂલ અને શાકભાજીની ખેતી કરવી તેને કિચન ગાર્ડન કહેવામાં આવે છે. ખાલી જમીનનો ઉપયોગ કરીને તેને સુંદર અને સ્વચ્છ રાખી શકાય છે. કિચન ગાર્ડન ઘરના શણગારમાં વધારો કરે છે. તેમાં નકામા પાણીનો ઉપયોગ કરી શકાય છે. કુટુંબની જરૂરિયાત મુજબ તાજા અને જંતુનાશક દવાથી મુક્ત શાકભાજી મળે છે. કિચન ગાર્ડનમાંથી મળતા ફળો અને શાકભાજી તાજા અને પૌષ્ટિક હોય છે. આજે જ્યારે ઘણા લોકો પોતાના ઘરે કિચન ગાર્ડન બનાવવા-વિકસાવવા માગે છે ત્યારે તમને યોગ્ય મદદ-માહિતી-માર્ગદર્શનની જરૂર પડે છે. આ સમયે રાજકોટમાં કિચેન ગાર્ડન બનાવવા-વિકસાવવા માટેનું એક સચોટ સરનામું બની ગયા છે, નીતાબેન અમરીશભાઈ મોદી.
શહેરના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં રહેતા નીતાબેન અમરીશભાઈ મોદી પર્યાવરણ પ્રત્યેની લાગણીને જીવનમૂલ્ય બનાવી અનોખું કાર્ય કરી રહ્યા છે. બાળપણથી જ તેમને છોડ અને પ્રકૃતિ પ્રત્યે વિશેષ લગાવ હતો, જે સમય જતાં તેમની જીવનયાત્રાનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો. માત્ર શોખ પૂરતો મર્યાદિત ન રહી, તેમણે આ ક્ષેત્રમાં ઊંડો અભ્યાસ કરવાનો નિર્ધાર કર્યો અને ભાવનગર યુનિવર્સિટીની સર પી.પી. સાયન્સ કોલેજમાંથી ઇ.જભ. ઇજ્ઞફિંક્ષુની ડિગ્રી મેળવી. અભ્યાસકાળ દરમિયાન વિવિધ નિષ્ણાતો અને માર્ગદર્શકો પાસેથી તેમણે ગાર્ડનીંગના

- Advertisement -

ઘરમાં જ 150થી વધુ પ્લાન્ટનો ઉછેર, અત્યાર સુધીમાં 2000થી વધુ છોડ ઉછેરી નિ:શુલ્ક વિતરણ

સૂક્ષ્મ પાસાઓ અંગે વિસ્તૃત જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ જ્ઞાનને તેમણે માત્ર પોતાના માટે નહીં પરંતુ સમાજ માટે ઉપયોગી બનાવ્યું. આજે નીતાબેન ઝીરો બજેટ કિચેન ગાર્ડનની કલ્પનાને વાસ્તવિકતા બનાવી હજારો લોકોને પ્રેરણા આપી રહ્યા છે.
તેમના નિવાસસ્થાને જ 150થી વધુ વિવિધ પ્રજાતિના છોડનું સંવર્ધન કરવામાં આવે છે. દરેક છોડની તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી માવજત કરે છે. તેઓ જણાવે છે કે યોગ્ય ગાર્ડનીંગ માટે માત્ર પાણી પૂરતું નથી પરંતુ યોગ્ય હવા-ઉજાસ, જમીનની ગુણવત્તા, ખાતરનું પ્રમાણ અને ઋતુ અનુસાર સંભાળ ખૂબ જ જરૂરી છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને તેઓ પ્રત્યેક છોડને અલગ રીતે ઉછેરે છે. ઘણા લોકો ગાર્ડનીંગમાં રસ ધરાવતા હોવા છતાં યોગ્ય માર્ગદર્શનના અભાવે સફળતા મેળવી શકતા નથી. આ ખામી દૂર કરવા નીતાબેન સંપૂર્ણપણે નિ:શુલ્ક માર્ગદર્શન આપે છે. તેઓ લોકોના અઘરા-અટપટા પ્રશ્નોનું સચોટ નિરાકરણ લાવી માર્ગદર્શન આપે છે અને પ્રાયોગિક રીતે પણ સમજાવે છે કે કેવી રીતે ઓછી જગ્યા અને ઓછા ખર્ચમાં સુંદર કિચન ગાર્ડન ઉભું કરી શકાય.
તેમના માર્ગદર્શનની સૌથી ખાસ બાબત એ છે કે તેઓ સંપૂર્ણ ઓર્ગેનિક અને ઘરગથ્થુ ઉપાયો પર ભાર મૂકે છે. ખાતર બનાવવા માટે તેઓ શાકભાજી અને ફળોની છાલનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. કોટનના કપડામાં છાલની પોટલી બનાવી તેને પાણીમાં પલાળી, તેમાં ગોળ અને એનજાય ઉમેરવાથી ઉત્તમ લિક્વિડ ખાતર તૈયાર થાય છે. આ ખાતર સંપૂર્ણપણે કુદરતી અને અસરકારક હોય છે. જંતુનાશક દવા માટે પણ તેઓ સરળ અને સસ્તો ઉપાય સૂચવે છે. એલોવીરાના પાન, ખાવાનો સોડા અને લીમડાનું તેલ પાણીમાં મિશ્રિત કરીને ઓર્ગેનિક પેસ્ટિસાઇડ તૈયાર કરી શકાય છે, જે છોડને નુકસાન પહોંચાડ્યા વગર જીવાતો દૂર કરે છે. બીયારણ માટે પણ નીતાબેન ઘરગથ્થુ વસ્તુઓ પર ભાર મૂકે છે. રાઈ, મેથી, મરચાં, હળદર, આદુ, કોથમીર, લસણ અને અજમો જેવી વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ હોય છે અને તેમાંથી ઉત્તમ છોડ ઉગાડી શકાય છે. આ રીતોથી લોકો ખર્ચ વગર જ સ્વસ્છ અને તાજા શાકભાજી મેળવી સ્વસ્થતા જાળવી શકે છે.
પર્યાવરણ પ્રત્યેની તેમની લાગણી માત્ર માર્ગદર્શન પૂરતી મર્યાદિત નથી. તેઓ પોતાના માતા અને સાસુની પુણ્યતિથિ નિમિત્તે નિ:શુલ્ક છોડનું વિતરણ કરે છે. અત્યાર સુધીમાં તેઓ 2000થી વધુ છોડ લોકોમાં વહેંચી ચૂક્યા છે. આ પહેલ દ્વારા તેઓ સમાજમાં શુદ્ધતા અને સાત્વિકતા સાથે સુંદરતા વધારવાનો સંદેશ આપી રહ્યા છે. નીતાબેન માને છે કે, માનવજીવનની શરૂઆતથી અંત સુધી વૃક્ષોનું મહત્વ અતિ છે. જન્મ સમયે ઘોડિયું હોય કે અંતિમ વિધિમાં અગ્નિસંસ્કાર – બંનેમાં વૃક્ષોનો જ ઉપયોગ થાય છે. આથી દરેક વ્યક્તિએ જીવનમાં ઓછામાં ઓછા પાંચ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. તેમણે પોતાના પરિવારમાં પણ આ સંસ્કાર જાળવી રાખ્યા છે. દીકરીના લગ્ન સમયે તેમણે દીકરીને બે વૃક્ષ ઉછેરવાની સલાહ આપી હતી. આજે તે વૃક્ષો લીમડો અને પીપળો માત્ર પરિવાર માટે નહીં પરંતુ આસપાસના લોકો માટે પણ ઉપયોગી બની રહ્યા છે.
નીતાબેન રોજ સાંજે 4:30થી 6:30 દરમિયાન ગાર્ડનીંગમાં રસ ધરાવતા લોકોને નિ:શુલ્ક માર્ગદર્શન આપે છે. કોઈપણ વ્યક્તિ તેમના મોબાઇલ નંબર 72030 18575 પર સંપર્ક કરી શકે છે. આ રીતે નીતાબેન મોદી માત્ર પોતાના ઘરને નહીં પરંતુ સમગ્ર સમાજને સ્વસ્થ્ય બનાવવાની દિશામાં કાર્ય કરી રહ્યા છે. તેમની આ પહેલ આજના પર્યાવરણ સંકટના સમયમાં એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહી છે, જે વધુ લોકો માટે માર્ગદર્શક બની શકે છે.

ખાતર, જંતુનાશક દવા અને બિયારણ તૈયાર કરવા માટે ખાસ માર્ગદર્શન

ફર્ટીલાઇઝર (ખાતર) : ઘરમાં જે શાકભાજી અને ફળો આપણે લઇએ છીએ તેની છાલને યોગ્ય રીતે અલગ કરી તેને એક કોટનના કાપડમાં ભરી તેની પોટલી તૈયાર કરવી. તે પોટલીને ત્રણ લિટર પાણીમાં પલાળીને રાખવી. પાણીમાં પાંચ ગ્રામ જેટલો ગોળ ઉમેરવો, બે ચમચી એનજાય નાખવી. આ પોટલીને એક દિવસ માટે પાણીમાં રાખવી ત્યારબાદ તે પાણીને છોડમાં છાટવું. આમ ઝીરો બજેટમાં જ એક શ્રેષ્ઠ ખાતર તૈયાર થઇ જશે.

પેસ્ટીસાઇડ (જંતુનાશક દવા) : ત્રણથી ચાર એલોવીરાના પાન લેવા તેના ઝીણા કટકા કરવા, બે ચમચી ખાવાના સોડા, પાંચથી છ ટીપા લીમડાનું તેલ લઇ એક લિટર પાણીમાં તેમનું મિશ્રણ કરવું પછી તે લિક્વીડ તૈયાર થઇ જશે. આ લિક્વીડને છોડ પર છાંટવું. આમ ઝીરો બજેટમાં જ શ્રેષ્ઠ અને ઓર્ગેનીક જંતુનાશક દવા તૈયાર થઇ જશે.

સીડ (બીયારણ) : રાઇ, મેથી, મરચા, હળદર, આદુ, કોથમરી, લસણની કડી અને અજમાં આ તમામ વસ્તુ ઘરમાંથી જ મળી જાય છે અને તે બિયારણ તરીકે શ્રેષ્ઠ છે. આ તમામ બિયારણના આધારે શ્રેષ્ઠ છોડને ઉછેરી શકાય છે.

ઘરે બેઠાં આરોગ્ય અને માનસિક શાંતિ મેળવવાનો ઉત્તમ ઉપાય છે કિચન ગાર્ડન

કિચન ગાર્ડન બનાવવાનો ઉદ્દેશ આર્થિક લાભ જ નહીં, પણ પોતાના પરિવારને આરોગ્ય અને પોષણ આપવાનો છે. સામાન્ય રીતે લોકો પોતાનાના આંગણામાં ટામેટાં, કોથમીર, મરચાં જેવાં શાકભાજી ઉગાડે છે. અલગ-અલગ હવામાનના હિસાબે અલગ-અલગ શાક ઉગાડવું એ અનેક લોકોનો શોખ હોઈ શકે છે. ઘરેલું મહિલાઓ ફાજલ સમયમાં એક હોબીની જેમ કિચન ગાર્ડન બનાવી શકે છે. આમ તો ગાર્ડનના અનેક ફાયદા છે, જેમ કે ખાલી જમીનનો યોગ્ય ઉપયોગ, વર્ષભર તાજી શાકભાજીની ઉપલબ્ધતા, બજારની તુલનામાં ઉત્તમ ગુણવત્તાયુક્ત શાકભાજી, પોષણમાં વધારો વગેરે. છોડ રોપવા, કાપણી, સિંચાઈ અને બાગકામનો દરેક સ્તર આપણને ખુશી અને સમયના યોગ્ય ઉપયોગની રીત શીખવે છે. ગાર્ડનીંગ કે બાગકામ આપણા માનસિક આરોગ્ય માટે ખૂબ જરૂરી છે, આ મેડિટેશનનો જ એક પ્રકાર છે.

You Might Also Like

ખસીકરણનો વર્ષે રૂ.1.13 કરોડનો ખર્ચ છતા 4 મહિનામાં 5,999 લોકોને શ્ર્વાને બચકા ભર્યા

ઉનાળું વેકેશન ન લંબાવવા મુખ્યમંત્રીને પત્ર, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માગ

એક્શન મોડમાં મેયર નેહલ શુક્લ: સિવિક સેન્ટરે પહોંચી જનતાના પ્રશ્ર્નો સાંભળ્યા

પોલીસનું વજન ઘટશે તો જ ગુનેગારોમાં ‘ખૌફ’ વધશે!

કોકરોચ જનતા પાર્ટીને ઝટકો દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખાખી માત્ર યુનિફોર્મ નથી, લોકોના વિશ્ર્વાસની જવાબદારી છે: PI જયેશ વાઢીયા
Next Article ભારતને ‘નર્ક’ કહેતા અમેરિકી માનસિકતા સામે સવાલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
AIના અંધાધૂંધ વપરાશે આફત સર્જી, એક ભૂલના કારણે કંપનીને આવ્યું $500 મિલિયનનું બિલ!
આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!
ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ
‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ખસીકરણનો વર્ષે રૂ.1.13 કરોડનો ખર્ચ છતા 4 મહિનામાં 5,999 લોકોને શ્ર્વાને બચકા ભર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

ઉનાળું વેકેશન ન લંબાવવા મુખ્યમંત્રીને પત્ર, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માગ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

એક્શન મોડમાં મેયર નેહલ શુક્લ: સિવિક સેન્ટરે પહોંચી જનતાના પ્રશ્ર્નો સાંભળ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?