ખાનગી ન્યૂઝને આપેલ ઇન્ટરવ્યૂમાં એલન મસ્કે કહ્યું, ટ્વિટર મારા માટે “ખૂબ જ પીડાદાયક” રહ્યું છે. ટ્વિટરનો અનુભવ સુખદ કે પાર્ટી માટે યોગ્ય ન હતો
માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે એક ખાનગી ન્યૂઝને આપેલ ઇન્ટરવ્યૂમાં એલન મસ્કે એક મોટું નિવેદન આપ્યું છે. એલન મસ્કને પૂછવામાં આવ્યું કે, શું તેમને ટ્વિટર ખરીદવાનો અફસોસ છે, તો અબજોપતિએ કહ્યું કે, ટ્વિટર તેમના માટે “ખૂબ જ પીડાદાયક” રહ્યું છે. ટ્વિટરનો અનુભવ સુખદ કે પાર્ટી માટે યોગ્ય ન હતો. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે પણ કહ્યું કે, તે કંટાળાજનક નથી, પરંતુ તેણે લોકપ્રિય માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ખરીદી હોવાથી તે રોલરકોસ્ટર રાઇડ જેવી લાગે છે.
- Advertisement -
એલન મસ્કે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ટ્વિટર ખરીદ્યા પછી પીડાનું સ્તર ખૂબ ઊંચું છે, પરંતુ અબજોપતિએ પણ તેમના ખરીદવાના નિર્ણયને એમ કહીને ટેકો આપ્યો હતો કે, તેમને હજુ પણ લાગે છે કે “ટ્વિટર સંભાળવું એ યોગ્ય બાબત હતી.” એલન મસ્કને લાગે છે કે, ટ્વિટર ખરીદવાનો તેમનો નિર્ણય યોગ્ય હતો. અબજોપતિને પોતાના નિર્ણય પર કોઈ અફસોસ નથી. જોકે તેમણે સ્વીકાર્યું છે કે, ટ્વિટર તેમના માટે “ખૂબ જ પીડાદાયક” રહ્યું છે.
WATCH: Elon Musk says buying Twitter has been "quite painful" and "stressful".pic.twitter.com/JKmGi07bgG
— TLDR News UK (@TLDRNewsUK) April 12, 2023
- Advertisement -
એલન મસ્કે ટ્વિટરની છટણી પર આપ્યું મોટું નિવેદન
એલન મસ્કે ટ્વિટરમાં છેલ્લા કેટલાક સમયથી ઘણી છટણી વિશે ઈન્ટરવ્યુમાં વાત કરી છે. એલન મસ્કે કહ્યું કે, ટ્વિટરના 80 ટકા કર્મચારીઓને દૂર કરવું સરળ નહોતું. સોશિયલ મીડિયા કંપનીના કર્મચારીઓની સંખ્યા 8,000 થી ઘટાડીને લગભગ 1,500 કરવામાં આવી છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે, તેમને તમામ અસરગ્રસ્ત ટ્વિટર કર્મચારીઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરવાની તક મળી નથી અને તેથી લોકોને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી. તેણે કહ્યું, આટલા બધા લોકો સાથે રૂબરૂ વાત કરવી શક્ય નથી.
શું ટ્વિટર વેચી દેશે એલન મસ્ક?
મસ્કે કહ્યું કે, કામનો બોજ એટલો બધો છે કે તે ક્યારેક ઓફિસમાં સૂઈ જાય છે. સૂવા માટે લાઇબ્રેરીમાં સોફાનો સહારો લઈ રહ્યા છે. એલન મસ્કે એ પણ ખુલાસો કર્યો કે તે વિચારે છે કે તેણે રાત્રે ટ્વીટ પોસ્ટ કરવાનું ટાળવું જોઈએ. શું તમે તમારા ટ્વીટથી ઘણી વખત પોતાની જાતને પગમાં ગોળી મારી છે? તેના જવાબમાં મસ્કે કહ્યું કે, હા, મને લાગે છે કે મારે ત્રણ વાગ્યા પછી ટ્વિટ ન કરવું જોઈએ. રસપ્રદ વાત એ છે કે, ટ્વિટર ખરીદવાના પોતાના નિર્ણયને સમર્થન આપતાં મસ્કે એ પણ કહ્યું હતું કે, જો તેને ટ્વિટર માટે યોગ્ય વ્યક્તિ મળશે તો તે કોઈને ટ્વિટર વેચશે.