દેશમાં છેલ્લાં 24 કલાકમાં 33750 કેસ
123 દર્દીનાં મોત: 1.50 લાખ એકટીવ, નવા કેસમાં 22.5 ટકાનો ઉછાળો
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં કોરોના વાયરસના કેસમાં તોતિંગ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસમાં 22.5 ટકાનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 33 હજારથી વધુ કેસ નોંધાયા છે. જયારે 123 લોકોના કોરોનાથી મોત નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 33,750 કેસ નોંધાયા છે. જયારે તેની સામે 10,846 કોરોના દર્દીઓ રિકવર થયા છે. એક દિવસમાં કોરોનાથી 123 દર્દીઓના જીવ ગયા છે. હાલ દેશમાં 1,45,582 દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે કુલ 3,42,95,407 દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. કોરોનાથી મૃત્યુઆંક 4,81,893 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 1,45,68,89,306 ડોઝ અપાયા છે.
આજથી 15-18 વર્ષની વયના માટે પણ રસીકરણ શરૂ થઈ ગયું છે. ભારત બાયોટેકની કોવેકસીન બાળકોને અપાઈ રહી છે. કોવિન એપ પર રસી માટે આજે સવાર સુધીમાં 8 લાખથી વધુ કિશોર-કિશોરીઓએ રજિસ્ટ્રેશન કરાવેલું છે.