બોલો… કોરોના પણ બુદ્ધિશાળી છે !
બ્લડ ગ્રુપ A અને B વાળા લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ અને જલ્દી !
O બ્લડ ગ્રુપવાળા લોકો જલ્દી સ્વસ્થ થઇ જાય છે
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના વાયરસ પર સતત નવા-નવા અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં આ વાયરસ અંગે ઘણી જાણકારી સામે આવી છે. હવે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વ્યક્તિના બ્લડ ગ્રુપના હિસાબે એના શરીર પર કોરોનાની અસર થાય છે. કેટલાક બ્લડ ગ્રુપ એવા હોય છે જેમાં કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો ખુબ વધુ છે. સાથે જ બ્લડ ગ્રુપના હિસાબે જ દર્દીઓમાં રિકવરીમાં જલ્દી અને મોડું થાય છે.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો
- Advertisement -
INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link
સર ગંગા રામ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન મેડિસિન દ્વારા આ સ્ટડી કરવામાં આવી છે. આ શોધ ફ્રન્ટિયર્સ ઈન રેગ્યુલર એન્ડ ઇન્ફેક્શન માઈક્રોબાયોલોજીમાં પ્રકાશિત થયો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે બ્લડ ગ્રુપ એ અને બી વાળા લોકોમાં કોરોનાથી સંક્રમિત થવાની આશંકા વધુ હોય છે કે રક્ત સમૂહના રોગની ગંભીરતા અને મૃત્યુદર વચ્ચે કોઈ સબંધ નથી.
સર ગંગા રામ હોસ્પિટલના બ્લડ ટ્રાન્સફ્યુઝન મેડિસિન વિભાગના ડોક્ટર રંજને જણાવ્યું કે આ અભ્યાસના માધ્યમથી એ પણ જાણવા મળ્યું છે કે બી+ ગ્રુપના પુરુષ રોગીમાં મહિલાની તુલનામાં કોરોનાનો ખતરો વધુ છે. સાથે જ 60 વર્ષના જે લોકોનું ગ્રુપ બી અને એબી છે, એવા રોગીઓને પણ કોરોના સંક્રમણનો ખતરો વધુ છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે બ્લડ ગ્રુપ અ અને છઇં+ ના દર્દીઓમને રિકવર થવામાં વધુ સમય લાગે છે, જયારે બ્લડ ગ્રુપ(ઓ) વાળા લોકો જલ્દી સ્વસ્થ થઇ ગયા છે. આ લોકોમાં સંક્રમણના લક્ષણ વધુ દિવસ સુધી દેખાતા નથી.
- Advertisement -
હોસ્પિટલના રિસર્ચ વિભાગના કન્સલ્ટન્ટ ડો. રશ્મિ રાણાએ જણાવ્યું કે આ અભ્યાસ વિવિધ બ્લડ ગ્રુપ અને કોરોના વાયરસ વચ્ચેના સંબંધને શોધવા માટે કરવામાં આવ્યો છે.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Twitter એકાઉન્ટને લાઈક, ફોલ્લૉ અને શેર કરો
.
TWITTER – https://twitter.com/khaskhabarrjt
જેમાં બ્લડ ગ્રુપ સાથે કોવિડ-19ની સંવેદનશીલતા, રોગની સારવાર, પુન:પ્રાપ્ત કરવામાં સમય લાગ્યો છે, અને મૃત્યુ દરની તપાસ કરવામાં આવી છે. જેમાં 2586 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. તે તમામ કોરોનાથી પીડિત હતા. આ દર્દીઓને 8 એપ્રિલ, 2020 થી 4 ઓક્ટોબર, 2020 સુધી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.