મસાલા-મીઠા પાન પર ટેક્સ લાગે કે નહીં એ અંગે એડવાન્સ ઓથોરિટીની સ્પષ્ટતા
પાનના ગલ્લા પર હવે ૠજઝનો ‘ચૂનો’ લાગશે: મીઠા પાન ખાવા હવે મોંઘા પડશે
- Advertisement -
નાગરવેલનું પાન ‘કૃષિ પેદાશ’ પણ મીઠું પાન ‘કોમર્શિયલ પ્રોડક્ટ’
વાર્ષિક 20 લાખથી વધુના ટર્નઓવર પર રજિસ્ટ્રેશન ફરજિયાત
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
મુઘલકાળમાં પાનનો ઉપયોગ ટેક્સ ચૂકવવા માટે થતો હતો, પરંતુ આજના સમયમાં પાન ખાવા પર ટેક્સ ચૂકવવાનો વારો આવ્યો છે. નાગરવેલના પાન પર જીએસટીના દર અંગે ઊભી થયેલી દ્વિધા પર એડવાન્સ ઓથોરિટીએ મહત્વની સ્પષ્ટતા કરી છે. એક કરદાતાની અરજીના જવાબમાં ઓથોરિટીએ જણાવ્યું કે, નાગરવેલના સાદા પાનનું વેચાણ ‘કૃષિ પેદાશ’ ગણાય છે, તેથી તેને ટેક્સમાંથી મુક્તિ અપાઈ છે. પરંતુ, જ્યારે આ જ પાનમાં કાથો, ચૂનો, સોપારી, વરિયાળી કે કિમામ જેવા ઘટકો ઉમેરીને તેને ’મીઠા પાન’ કે ’મસાલા પાન’ તરીકે વેચવામાં આવે છે, ત્યારે તે ખેતી પેદાશ મટીને ‘તૈયાર ફૂડ પ્રોડક્ટ’ બની જાય છે. અરજદારે દલીલ કરી હતી કે પાનમાં ઉમેરાતા તમામ ઘટકો કુદરતી હોવાથી તેને પણ કરમુક્ત ગણવા જોઈએ. ઓથોરિટીએ આ દલીલ ફગાવતાં કહ્યું કે, મસાલા, ચોકલેટ જેવા ફ્લેવર ઉમેરવાથી તે કોમર્શિયલ પ્રોડક્ટ બને છે. જેથી 18 ટકા જીએસટી લાગુ પડશે.
રૂ.50થી રૂ.1200 સુધીના પાન વેચાય છે
રાજ્યમાં અનેક પ્રીમિયમ પાનની દુકાનોમાં રૂ. 50થી લઇને રૂ. 1200 સુધીના મીઠા પાન વેચાય છે. ચોકલેટ, પાઈનેપલ, મેંગો, સ્ટ્રોબેરી, કોકનટ, ફાયર, મસાલા ફાયર, રબડી, કપલ પાન, અને હનિમૂન પાન જેવી વિવિધ વેરાઈટી છે. મોટા ભાગે પાન વેચનારાઓ બિલ આપતા નથી, જેથી વાસ્તવિક ટર્નઓવરનો અંદાજ લગાવવો મુશ્કેલ બને છે.
માત્ર પાન વેચાય તો જીએસટી નહીં પણ ટર્નઓવર મહત્વપૂર્ણ
જીએસટીના એક સીએના જણાવ્યા મુજબ કૃષિ ઉત્પાદન તરીકે પાન વેચાય તો જીએસટી ન લાગે. વેપારીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 20 લાખથી વધુ હોય તો નોંધણી ફરજિયાત છે. મીઠા પાન જેવી તૈયાર પ્રોડક્ટ વેચે તો 18 ટકા જીએસટી લાગુ પડે છે.



