નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર ગંભીર આરોપ
તાજેતરમાં, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ જયશંકર પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી ઠેકાણાઓ પરના હુમલાઓ વિશે પાકિસ્તાનને પહેલાથી જ ચેતવણી આપી દીધી છે. હવે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલના આ આરોપો પર જોરદાર નિશાન સાધ્યું છે.
- Advertisement -
નિશિકાંત દુબેએ કોંગ્રસ પર આરોપ લગાવતા કહ્યું કે 1968માં જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી દેવામાં આવી હતી. તેમણે તે સમયના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને નિશાન બનાવ્યા. તેમણે દાવો માંડ્યો કે 1965 માં ભારત પાકિસ્તાન સામે યુદ્ધ તો જીત્યું પણ ઇન્દિરા સરકારે 1968 માં કચ્છ રણનો 828 ચોરસ કિલોમીટર પાકિસ્તાનને આપ્યો હતો. આ વાત પુરવાર કરવા તેમણે X પોસ્ટ પર દસ્તાવેજની નકલ પણ શેર કરી જેમાં તે ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ સાથે ડૂબેએ ઇન્દિરા ગાંધીને ‘આયર્ન લેડી’ કહી કટાક્ષ કર્યો અને જણાવ્યું કે ભારતનો વિરોધ હોવા છતાં કચ્છ રણપ્રદેશનો ભાગ પાકિસ્તાનને સોંપવામાં આવ્યો. તેમણે X પર લખ્યું,”ખૂબ જ પીડાદાયક છે કે 1965નું યુદ્ધ જીત્યા પછી કોંગ્રેસ પાર્ટીએ 1968 માં ગુજરાતનાં કચ્છના રણનો 828 ચોરસ કિલોમીટરનો ભાગ પાકિસ્તાનને આપી દીધો. અમે ભારત-પાકિસ્તાન મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર પર લાવ્યા, યુગોસ્લાવિયાના વકીલ અલી બાબરને મધ્યસ્થી તરીકે નિયુક્ત કર્યા. આખી સંસદે તેનો વિરોધ કર્યો, પરંતુ ઇન્દિરા દનધિ આયર્ન લેડી હતી, તેમણે ડરથી આપણાં ભાગની હરાજી કરી. આ આયર્ન લેડીનું સત્ય છે. કોંગ્રેસનો હાથ હમેશા પાકિસ્તાન સાથે રહે છે.”
નિશિકાંત દુબેએ ૧૯૯૧માં કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલા એક કરારની યાદ અપાવી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ હુમલા અથવા સૈનિકોની હિલચાલ વિશે માહિતી એકબીજા સાથે શેર કરવી જરૂરી છે. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા, નિશિકાંત દુબેએ x પર પોસ્ટ કરી અને લખ્યું, “રાહુલ ગાંધી, આ તમારી સરકારના સમય દરમિયાન થયેલો કરાર છે. 1991 માં, તમારી પાર્ટી સમર્થિત સરકારે એક કરાર કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન કોઈપણ હુમલા અથવા સૈન્ય હિલચાલ વિશે માહિતી એકબીજા સાથે શેર કરશે. શું આ કરાર રાજદ્રોહ છે?”
નિશિકાંત દુબે દ્વારા પોસ્ટ
- Advertisement -
તેમણે લખ્યું, “કોંગ્રેસ પાકિસ્તાની વોટ બેંક સાથે હાથ મિલાવે છે, શું તમને વિદેશ મંત્રી એસ જયશંકર પર વાંધાજનક ટિપ્પણીઓ કરવી શોભે છે? પ્રશ્ન અમારી સરકાર કે તમારી (કોંગ્રેસ) સરકારનો નથી, પ્રશ્ન એ છે કે આપણે 1947 થી પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર માનીએ છીએ.” પોતાની પોસ્ટમાં, ભાજપના સાંસદે લખ્યું, “78 વર્ષથી આપણે કાશ્મીરના મુદ્દા પર તેમની સાથે લડી રહ્યા છીએ. પાકિસ્તાને કાશ્મીરના આપણાં ભાગને પોતાના નિયંત્રણમાં રાખ્યો છે. તેમ છતાં, તમે છૂટછાટો આપતા રહ્યા, પછી ભલે તે 1950નો નહરુ લિયાકત કરાર હોય, 1960નો સિંધુ જળ કરાર હોય કે 1975નો શિમલા કરાર હોય.”
નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે અમે સંસદમાં પણ સંરક્ષણ વ્યૂહરચના પર ચર્ચા કરતા નથી. તેમણે કોંગ્રેસને ૧૯૯૧ અને ૧૯૯૪ના કરારોની યાદ અપાવી અને તેમના પર નિશાન સાધ્યું.
તેમણે કહ્યું, “૧૯૯૧માં જ્યારે તમે (કોંગ્રેસ) ચંદ્રશેખરની આગેવાની હેઠળની સરકારને ટેકો આપી રહ્યા હતા અને ૧૯૯૪માં જ્યારે પીવી નરસિંહ રાવ સત્તામાં હતા, ત્યારે તેનો અમલ કરવામાં આવ્યો હતો અને તમે લખ્યું હતું કે સેના, નૌકાદળ ક્યાં તૈનાત કરવામાં આવશે અને વાયુસેના કેવી રીતે કાર્ય કરશે.” ભાજપના સાંસદે કહ્યું, શું આ રાજદ્રોહ નથી? શું કોંગ્રેસે વોટ બેંકની રાજનીતિ માટે દગો નથી કર્યો? મને લાગે છે કે ભારત સરકારે તેમની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવો જોઈએ. દેશની બહારના તત્વો સામે લડાઈ ચાલુ છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે દેશની અંદરના તત્વો સામે પણ કાર્યવાહી કરવામાં આવે.
કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો
નિશિકાંત દુબેના આરોપો પર કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે નિશિકાંત દુબે વારંવાર પોતાની મૂર્ખતા દર્શાવે છે. તેમણે કહ્યું, “ભૂતપૂર્વ પીએમ રાજીવ ગાંધીએ 6 માર્ચ, 1991 ના રોજ ચંદ્રશેખર સરકાર પાસેથી ટેકો પાછો ખેંચી લીધો હતો અને આ કરાર કદાચ એપ્રિલ 1991 માં થયો હતો.” સુપ્રિયા શ્રીનાતે કહ્યું, “આ કરાર શાંતિકાળ માટે છે અને તે સુનિશ્ચિત કરવા વિશે છે કે શાંતિકાળમાં બંને દેશોની સેનાઓ વચ્ચે કોઈ ગેરસમજ ન થાય. તો સૌ પ્રથમ ભાજપ અને નિશિકાંત દુબે સ્વીકારી રહ્યા છે કે વિદેશ મંત્રી જયશંકરે માહિતી આપી હતી અને રાહુલ ગાંધી જે કહી રહ્યા હતા તે સાચું હતું.”