સોમનાથથી દ્વારકા તરફ જતી કર્ણાટકના યાત્રાળુઓની બસ ટ્રક સાથે અથડાઈ, 12 ઘાયલ
ખાસ-ખબર ન્યૂઝ 5ોરબંદર, તા.24
પોરબંદર-દ્વારકા હાઈવે પર કુછડી ગામ નજીક સોમવારે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કર્ણાટકના વિજાપુર જિલ્લાના ચડચણ તાલુકાની યાત્રાળુઓથી ભરેલી બસ બંધ પડેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે યાત્રાળુઓ મહદેવ લક્ષ્મણ મૈત્રી (ઉ.વ 61) અને મલ્લીકાર્જુન સરમણખા અદલગી (ઉ.વ 45)ના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. અકસ્માતમાં 10 યાત્રાળુઓને ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- Advertisement -
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યાત્રાળુઓની બસ સોમનાથથી દ્વારકા તરફ જઈ રહી હતી. કુછડી ગામ નજીક ગોલાઈ પાસે રસ્તા પર બંધ પડેલા ટ્રક સાથે બસ અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે બસમાં સવાર યાત્રાળુ સોમ શેખરે જણાવ્યું હતું કે, અમે સોમનાથથી દ્વારકા જઇ રહ્યા હતા. આ દરમિયાન ટર્ન લેતા સમયે રોડ પર કોઇપણ પ્રકારના સિગ્નલ વિના જ એક બંધ ટ્રક પડી હતી તેની પાછળ અમારી લકઝરી બસ અથડાઇ. આ અકસ્માતમાં મારા કાકાનો દિકરો વિશ્વનાથ અને અન્ય એક યુવક મલપ્પાનું મોત થયું છે. અમે કર્ણાટકથી આઠ દિવસના પ્રવાસે નિકળ્યા હતા.
ઈજાગ્રસ્તોના નામ
રમેશ કલ્પ્યા કોરી (ઉ.વ26)
નાગરાજ સિધ્ધપા(ઉ.વ-28)
દેવેન્દ્ર પાટીલ (ઉ.વ.65)
સધ્ધિરાજ ચિકલી (ઉ.વ.70)
રાજશખેર બસવરાજ(ઉ.વ48)
અપ્પાસહેબ શિવરાય(ઉવ 42)
સહેસિંહઘર અવજી (ઉ. વ 60)
સોમેશખર અવજી (ઉ.વ 63)
દર્શન એલપા એમબીકર (ઉ.વ 35)
વિશ્વનાથ અવજી (ઉ.વ 54)