તિગત સંવેદનશીલતાના સાપેક્ષમાં બદલાવ લાવવો આવશ્યક: ડો. સંજીવ ઓઝા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વિદુષી સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અમલી “સેતુ” પ્રોગ્રામ અંતર્ગત સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તારિખ 29/01/2025ના રોજ કુલપતિ પ્રોફે. ડો. ઉત્પલભાઈ જોશીની અધ્યક્ષતામાં “જાતિગત સંવેદનશીલતા” વિષય પર સેમીનારનું બે સેશનમાં આયોજન કરવામાં આવેલ હતું.
પહેલાં સેશનના દિપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા શુભ શરૂઆત કરવામાં આવી હતી. સમાજકાર્ય ભવનનાં અધ્યક્ષ ડો. રાજુ દવે દ્વારા ઉપસ્થિત અતિથિ- મહેમાનોનું શાબ્દિક સ્વાગત બાદ પુસ્તક અને પુષ્પ વડે સ્વાગત સત્કાર કરવામાં આવેલ. કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીએ વિષય અંતર્ગત આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, જાતિગત સંવેદનશીલતાનું શિક્ષણ છોકરાઓને આપવાની જરુર વધારે છે. ત્યારબાદ જેન્ડર રિસોર્સ સેન્ટરનાં ઓફિસર શ્રીમતી સ્વીટીબેન ઝીણીયા દ્વારા જેન્ડર રિસોર્સ સેન્ટરનો પરિચય અને મહેન્દ્ર મકવાણા દ્વારા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જણાવવામાં આવ્યો. કાર્યક્રમનાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ વૈદ્ય ડો. સંજીવ ઓઝાએ વિષય અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. વિદુષી સેન્ટરનાં કોર્ડીનેટર શ્રીમતી શ્રદ્ધાબેન બારોટ દ્વારા આભારવિધિ સાથે પહેલું સેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં બીજાં સેશનની શરુઆત મુખ્ય અતિથિ વિશેષ અને મુખ્ય વક્તા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ વૈદ્ય ડો. સંજીવ ઓઝાએ જણાવ્યું હતું કે જાતિગત સંવેદનશીલતા સાપેક્ષમાં સામાજિક વર્તમાન બદલાવ લાવવો આવશ્યક છે. જેન્ડર રિસોર્સ સેન્ટરનાં અધિકારી શ્રીમતી શૈલેન્દ્રકુમારી ઝાલા અને મહેન્દ્ર મકવાણા દ્વારા જેન્ડર રિસોર્સ સેન્ટર ની કામગીરી, પ્રવૃત્તિ અને મહિલાઓનાં કાયદાઓની સવિસ્તાર માહિતી આપી. સમાજ કાર્ય ભવનનાં અધ્યક્ષ ડો. રાજુભાઈ દવેનાં માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ડો. પ્રીતેશભાઈ પોપટ દ્વારા કરવામાં આવ્યું હતુ, કાર્યક્રમને સફળ બનાવવા વીદુષી સેન્ટરનાં કોર્ડીનેટર શ્રદ્ધાબેન બારોટ, સમાજ કાર્ય ભવનનાં હિરલબેન, બિનાબેન અને ચાંદની બેને જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિવિધ ભવનોનાં અધ્યક્ષઓ, અધ્યાપકશ્રીઓ અને વિવિધ કોલેજો માંથી શૈક્ષણિક સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો. કાર્યક્રમના અંતે પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.