બાલાજી હનુમાનજી મંદિર ખાતે આજના શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી બાલાજી દાદાના દર્શને ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. અહીં શનિવારે હજારો ભક્તો દાદાના દર્શને આવે છે અને દાદા સૌની મનોકામનાઓ પૂર્ણ કરે છે, દર શનિવારે અહીં દાદાને વિવિધ વિભિન્ન શણગારો કરવામાં આવે છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીં રાજોપચાર પધ્ધતિથી થતી સંધ્યા આરતીનું વિશેષ મહત્વ રહેલું છે આપ પણ પરિવાર સાથે દાદાની સંધ્યા આરતીનો અલભ્ય લાભ લો તેમ બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે.
શ્રી બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ ખાતે દાદાના દર્શનાર્થે ભાવિકો ઉમટ્યા
Follow US
Find US on Social Medias