વંથલીના સેંદરડા અને ટિનમસ ગામના અનેક ખેડૂતોના ખેતરમાં આગ
PGVCL ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવે તેવી માંગ ઉઠી
ખાસ-ખબર ન્યૂઝ, જૂનાગઢ, તા.15
ઉનાળો ભરપૂર તપ્યો છે અને 41 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો ઉચક્યો છે. ત્યારે હાલ ખેડૂતોએ કાળી મજૂરી કરીને ઘવનું વાવેતર કરીને પાક તૈયાર કરવામાં આવ્યો હતો.અને તૈયાર થયેલ ઘવ બજારમાં પોહચે તે પેહલા ખેતર માંથી પસાર થતી વીજ લાઈનમાં સ્પાર્ક થતા અનેક ખેતરોમાં તૈયાર થયેલ ઘવમાં આગ લાગતા ઘવનો ઉભો પાક બળીને ખાખ થઇ ગયો હતો અને ખેડૂતોના મોઢે આવેલ કોળિયો ઝૂટવાય ગયો હતો અને અંદાજે 100 જેટલા વીઘામાં ઘવ બળીને ખાખ થઇ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થતા ખેડૂતો પીજીવીસીએલ પાસે વળતરની માંગ કરી રહ્યું છે.
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેંદરડા અને ટિનમસ ગામે ગુરુવારે હોળીના દિવસે પીજીવીસીએલના વીજ વાઇરમાં બે વીજ તારમાં સ્પાર્ક થતા આગના તણખા ઘવના પાકમાં પડતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને ધીરે ધીરે આગ એટલી હદે પ્રસરી ગઈ કે, અનેક ખેતરોને ઝપટમાં લીધા હતા ત્યારે ખેડૂતોના કેહવા મુજબ 150 વીઘાના ખેતરોમાં તૈયાર થયેલ લાખો રૂપિયાના ઘવ બળીને ખાખ થઇ ગયા હતું અને ખેડૂતોને રાતા પાણીયે રોવાનો વારો આવ્યો હતો.
- Advertisement -
ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો હતો કે, પીજીવીસીએલની બેદરકારીના લીધે આ આગ લાગી હતી અને ખેડૂતોને તૈયાર થયેલ ઘવ બળીને ખાખ થતા પીજીવીસીએલ તાત્કાલિક નુકશાનીનું વળતર ચૂકવે તેવી માંગ કરી છે. સેંદરડા અને ટીનમસ ગામના વાડી વિસ્તારમાં ઘઉંના પાકમાં પીજીવીસીએલના વાયરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી તેવો ખેડૂતોએ દાવો કર્યો છે.અને 100 વીઘાના ઘવ બળીને ખાખ થતા ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાની થઇ છે.આગ લાગતા આસપાસના અનેક ખેડૂતો ભેગા થયા હતા અને આગને કાબુમાં લેવાની કોશિશ કરી હતી પર ચારે કોરથી આગ એટલી ઝડપે પ્રસરી હતી કે આસપાસના અનેક ખેતરો આગની લપેટમાં આવી ગયા અને ખેડૂતોનો તૈયાર થયેલ ઘવનો પાક બળી જતા ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યું છે. એક તરફ ઘવની સીઝન પૂર્ણ થવાના આરે છે અને ખેડૂતો તૈયાર થયેલ ઘવના પાકને બજાર સુધી લઇ જાય અને ત્રણ ચાર મહિનાની મેહનત કરી ઘવનો પાક તૈયાર કર્યો હતો એવા સમયે પીજીવીસીએલની બેદરકરી કે, ભૂલના લીધે આગ લાગવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે.અને તાત્કાલિક ખેતરોનો સર્વે કરીને વળતર ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.જોકે આ આગના બનાવને લીધે સ્થાનિક આગેવાનો પણ દોડી ગયા હતા અને ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું અને સરકારમાં પણ તેની જાણ કરશે અને વેહલી તકે વળતર મળે તેવી હૈયા ધારણા આપી હતી હાલ તો ખેડૂતોના ઘવ આગમાં ખાખ થઇ જતા આર્થિકરીતે મોટી નુકશાની થવા પામી છે.
ખેડૂતોને નિયમ અનુસાર વળતર ચૂકવાશે: નાયબ ઈજનેર વંથલી
વંથલી તાલુકાના સેંદરડા અને ટિનમસ ગામમાં વીજ વાયર સ્પાર્ક થતા આગ લાગવાની ઘટના અંગે ખાસ ખબર સાથે પીજીવીસીએલ વંથલીના નાયબ ઈજનેર દર્શનાબેન વીસાવાડિયાએ જણાવ્યું હતું કે, આ ઘવના ખેતરોમાં જે આગ લાગવાની ઘટના બની તેના માટે ટિમ સ્થળ પર પોહચી ગઈ હતી અને તપાસ શરુ કરી છે.જયારે આગ લાગી ત્યારે પવન પણ વધારે હતો જેના લીધે બે વીજ તાર ભેગા થયા હોય અને સ્પાર્કના લીધે આગ લાગી હોઈ હાલ તેનો સર્વે ચાલી રહ્યો છે અને પીજીવીસીએલનો ઇન્સ્યોરન્સ કરાવેલ હોઈ તેને નિયમ મુજબ સર્વે કરીને નિયમો અનુસાર ખેડૂતોને વળતર ચુકવામાં આવશે તેમ નાયબ ઇજનેરે જણાવ્યું હતું.