ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ, પતંગ મહોત્સવ અને ફ્લાવર શો ને રદ્દ કરવામાં આવ્યા છે પરંતુ તેની તૈયારી કરવામાં સરકારને 50 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ ખર્ચ કોના ઇશારે થયો છે તે એક મોટો પ્રશ્ન છે. રાજ્યમાં જ્યારે ઓમિક્રોનનો કેસ આવ્યો ત્યારે અને કેસોની સંખ્યા 100ને પાર થઇ ત્યારે આ તમામ સરકારી ઉજવણીઓ બંધ કરવાની આવશ્યકતા હતી છતાં સરકારે તેને ચાલુ રાખી હતી પરિણામે લોકોના રૂપિયા ડૂબ્યાં છે, જે અટકાવી શકાયા હોત.
દેશ અને દુનિયામાં જે રીતે કોરોનાના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા હતા તે જોતા સરકાર અને સરકારના ઉપરી અધિકારીઓ પણ ગુજરાતમાં કોરાનાના કેસ વધશે તેનાથી ખુબ સારી રીતે વાકેફ હતા તો આ મહોત્સવોની તૈયારી શા માટે કરવામાં આવી તેવો સવાલ પૂછાઇ રહ્યો છે જેનો સરકારના મંત્રી કે કોઇ અધિકારી પાસે જવાબ નથી.
ગુજરાતમાં વાયબન્ટની તૈયારી છેલ્લા બે મહિનાથી ચાલતી હતી. અધિકારી અને મંત્રીઓએ વિદેશ પ્રવાસ પણ કર્યા છે. ગાંધીનગરને શણગારવામાં અને બીજા કોન્ટ્રાક્ટ આપવામાં સરકારને 50 કરોડ રૂપિયાનું આંધણ થયું છે જે વ્યર્થ ગયું છે, કારણ કે જે હેતુ માટે આ ખર્ચ કરવામાં આવ્યો હતો તે હેતુ સર્યો નથી. સરકારના અધિકારીઓ તેમજ કર્મચારીઓના કલાકો અને દિવસો વેડફાઇ ચૂક્યાં છે.
- Advertisement -
વિશ્ર્વના દેશો અને ભારતમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધતા જતા હતા અને સરકાર વાયબ્રન્ટ અને અન્ય ઉત્સવોમાં વ્યસ્ત બની હતી.