By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયાના બાલી ટાપુ નજીક સમુદ્રમાં દુર્ઘટના: જહાજ ડૂબતાં 4ના મોત, 38 લાપતા
    14 hours ago
    રેકોર્ડ ગરમી વચ્ચે પોર્ટુગીઝ દરિયા કિનારા પર દુર્લભ ‘રોલ ક્લાઉડ’ જોવા મળ્યો
    17 hours ago
    ‘20 થી 30 ગોળીબાર’: ઉટાહમાં ઇસ્કોન મંદિરને શંકાસ્પદ નફરત ગુનામાં નિશાન બનાવવામાં આવ્યું
    2 days ago
    લીક થયેલા ઓડિયોના મામલે કોર્ટે થાઈલેન્ડના વડા પ્રધાનને સસ્પેન્ડ કર્યા
    2 days ago
    યુરોપમાં ગરમીનું મોજું ફરી વળતાં બાર્સેલોનામાં 100 વર્ષથી વધુ સમયનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનિયા-રાહુલે રૂ. 2000 કરોડની સંપત્તિ પચાવવા કાવતરું ઘડયું હતું : ED
    13 hours ago
    21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી યોજાશે ચોમાસું સત્ર
    14 hours ago
    ઉત્તરાખંડમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, ચારધામ યાત્રાને રોકી દેવામાં આવી
    14 hours ago
    ટોચના રશિયન તેલ ખરીદદારો પર ટેક્સ લગાવવાની અમેરિકાની યોજના પર જયશંકરની પ્રતિક્રિયા
    17 hours ago
    દિલ્હી હાઈકોર્ટે પતંજલિને ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ ‘અપમાનજનક’ જાહેરાતો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પહેલા દિવસે ભારતનો સ્કોર 310/5, ગિલની બીજી ઐતિહાસિક સદી, શુભમન-જાડેજા અણનમ
    13 hours ago
    મોહમ્મદ શમીને કાનૂની ઝટકો, કલકત્તા હાઈકોર્ટે પત્ની હસીન જહાંને માસિક મોટી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો
    2 days ago
    હું સચિનને હંમેશા કહું છું કે મારા લીધે તારું નામ થયું છે: એલન લેમ્બે
    3 days ago
    અલ નાસિરે રોનાલ્ડો સાથે બે વર્ષ માટે સ્પોર્ટ્સ ઇતિહાસનો સૌથી મોટો કરાર કર્યો
    4 days ago
    એશિયા કપ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે, યુએઈ યજમાન બનવાની અપેક્ષા છે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રામાયણનું ટીઝર રીલીઝ થયું, રાવણના લુકામાં દેખાયો યશ
    16 hours ago
    ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી  મંદાકિનીના પિતા જોસેફનું નિધન
    18 hours ago
    પાકિસ્તાની સેલિબ્રિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ફરી સરકારે લગાવ્યો પ્રતિબંધ
    18 hours ago
    શું ખરેખર જેઠાલાલ-બબીતાએ “તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા” છોડ્યું
    2 days ago
    શેફાલી જરીવાલાનું મૃત્યુ પાછળનું કારણ આવ્યું બહાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    2 days ago
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    7 days ago
    રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?
    7 days ago
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    2 weeks ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 days ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે પંચાયતી રાજ દિવસ: ચાલો નજર કરીએ તેના ઈતિહાસ પર અને જાણીએ વિવિધ યોજનાઓ વિશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > આજે પંચાયતી રાજ દિવસ: ચાલો નજર કરીએ તેના ઈતિહાસ પર અને જાણીએ વિવિધ યોજનાઓ વિશે
રાષ્ટ્રીય

આજે પંચાયતી રાજ દિવસ: ચાલો નજર કરીએ તેના ઈતિહાસ પર અને જાણીએ વિવિધ યોજનાઓ વિશે

Khaskhabar Editor
Last updated: 2024/04/24 at 1:23 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

24 એપ્રિલ એટલે નેશનલ પંચાયતી રાજ દિવસ, પંચાયતી રાજના શિલ્પી બળવંતરાય મહેતા સમિતિની મુખ્ય ભલામણો કઈ હતી?, ઈતિહાસ સાથે હાલ ગુજરાત સરકાર ગ્રામપંચાયત માટે કઈ કઈ યોજના ચલાવે છે તેના પર પણ કરો નજર

- Advertisement -

 

આજે પંચાયતી રાજ દિવસ..લોકશાહીના એ મૂળ પાયાનો દિવસ જ્યાંથી ગામનો, તાલુકાનો કે જિલ્લાના વિકાસનો ઉદય થાય છે. એવી વ્યવસ્થા કે જે લોકશાહીનો મૂળ હેતુ, લોકો દ્વારા લોકો માટે અને લોકોનું સુશાશનને સાર્થક કરે છે. પંચાયતી રાજને ભારતનું ઘરેણું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. કારણ કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે જેનો પાયાનો એકમ પંચાયતી રાજ છે અને તેમા પણ ખાસ કરીને ગ્રામ પંચાયત ઉપરોક્ત વાતને સારી અને સાચી રીતે ફળીભૂત કરે છે.કહેવત છે કે જેને સમાજનો ઈતિહાસ ખબર નથી તે ઈતિહાસ શું રચી શકવાના..ત્યારે આજે સમગ્ર ભારતીય સમુદાયના સમાજના પાયાના કાર્યકર તરીકે પંચાયતી રાજના ઊંડેથી જાણીએ અને તેના ઈતિહાસ પર નજર કરીએ તેમાં જેણે ગ્રામ સ્વરાજનું સપનું જોયું તેવા ભારત રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજીના એક વિચારથી કરીએ…

1947માં દેશ આઝાદ થયા પછી જવાહરલાલ નેહરુએ લોકશાહી દેશના વહિવટના વિક્ન્દ્રીકરણ માટે પંચાયતી રાજનો મહત્વ આપ્યું હતું. ગુજરાત રાજ્યના દ્વિતીય મુખ્યમંત્રી બળવંતરાય મહેતા એક ભારતીય રાજકારણી હતા. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેમને લોકશાહી વિકેન્દ્રીકરણ તરફના તેમના યોગદાન માટે “પંચાયતી રાજ શિલ્પી” તરીકે ગણવામાં આવે છે. બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ એ પોતાનો અહેવાલ 24-11-1957 ના રોજ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો જેનાં આધારે 2 ઓક્ટોબર 1959ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે રાજસ્થાનનાં નાગૌર જિલ્લાના બગદરી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ. જો કે રાજસ્થાન બાદ ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પંચાયતીરાજનો ક્રમશ અમલ શરુ થયો હતો.પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારું પ્રથમ રાજય ” આંધ્રપ્રદેશ” હતુ.

- Advertisement -

ગામને નાણાં ઉઘરાવવા સુધીની સત્તા મળી

બળવંતરાય મહેતા સમિતિની મુખ્ય ભલામણો કે જેને ગામડાને પ્રાધાન્ય આપી તેમણે વહીવટ આપ્યો અને ગામની સત્તા આપી અને નાણા ઉઘરાવાનો સુધીની જવાબદારી આપી અને આ જ ભલામણોએ ભારતના પંચાયતી રાજના માળખાને ન કેવળ મજબૂત કરવાનું કામ કર્યું પણ ગામડાને બેઠું કરવા, તેને લોકશાહીનો ભાગ બનાવવા, ગામની સરકાર ચલાવવાનો મોકો આપ્યો. અને આ જ તકે ગામડાની શકલ બદલી આજે એવા ઘણા ગામડા છે જે શહેરોની ભભકાને ઝાંખા પાડે છે.

પંચાયત રાજ એક એવી બંધારણીય પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનો મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તરો છે: ગામ, તાલુકો અને જિલ્લો. પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્‌ભવ્યો છે. “રાજ”નો શાબ્દિક અર્થ “શાસન” અથવા “સરકાર” થાય છે. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે “ગ્રામ સ્વરાજ” એવો શબ્દ પ્રયોજાયો હતો. કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને 1950થી 60ના દાયકામાં અપનાવવામાં આવી હતી. ૨૪ એપ્રિલ, ૧૯૯૩ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય(૭૩મો સુધારો) એક્ટ 1992 બંધારણીય દરજ્જો પૂરો પાડે છે. ૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો: આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાન. હાલમાં, પંચાયતી રાજ પદ્ધતિ નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને, બધા કેન્દ્રશાસિત પ્રદેશો (અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં અમલમાં છે. દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે અમુક બેઠકો અનામત રાખવામાં છે.

સરકારની યોજનાઓ વિશે રસપ્રદ માહિતી

સરદાર આવાસ યોજના
ગુજરાત ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્‍ય કારીગરો માટે રાજય સરકારની ઘરથાળના મફત પ્‍લોટની યોજના સને ૧૯૭૨ થી અમલમાં છે. સને ૧૯૭૬ માં આવા ફાળવેલ પ્‍લોટો ૫ર મકાન બાંધવા માટેની સહાય યોજના અમલમાં આવી. ”મફત પ્‍લોટ મફત ઘર” એ સૂત્રને સાકાર કરતી સરદાર ૫ટેલ આવાસ યોજના વર્ષ ૧૯૯૭ થી અમલમાં આવી. હાલ એક આવાસની એક યુનિટની કિંમત વધારીને 43000 કરવામાં આવી છે. જેમાં સરદાર ૫ટેલ આવાસ યોજનાની સરકારી સહાય 36000 છે. 7000 લાભાર્થી શ્રમફાળો ગણી લેવામાં આવે છે.

પંચવટી યોજના
ગામડાના ૫ડતર વિસ્‍તારો, ગ્રામ્‍યલોકોના સહકારથી નવ૫લ્‍લવિત અને પુન: સ્‍થાપ‍િત કરી ગ્રામ્‍ય સ્‍તરે લોકજાગૃતિનું નિર્માણ થઇ શકે તેમજ ગ્રામ્‍યપ્રજાના ગામના રહેઠાણ વિસ્‍તારની નજીકમાં વૃક્ષાચ્‍છાદિત વન મળે તેવું આયોજન છે.પારં૫રિક સાંસ્‍કૃતિ વારસા પ્રત્‍યે આસ્‍થા જળવાય તે હેતુને ઘ્‍યાનમાં રાખીને સમગ્ર રાજયમાં પંચવટી યોજના રાજય સરકારે અમલમાં મૂકેલ છે.

સ્વચ્છ ગામ યોજના
ગામમાં સફાઇ યોગ્ય રીતે થાય અને સફાઇ પ્રત્યે સભાવના, જાગૃતિ કેળવી સફાઇનું ઉંચુ સ્તર, લાવી, ગ્રામ્યજીવન સ્તર ઉચું લઇ જવા માટે પ્રોત્સાહનરૂપે સફાઇ અને સ્વચ્છતા માટે સહાય આપવામાં આવે તો સહાયનો ઉપયોગ ગામની સ્વચ્છતાની જાળવણી માટે અને સ્વચ્છતાના સાધનો વસાવવા માટે પ્રેરાઇને ગ્રામ પંચાયત પોતાનું ગામ સ્વચ્છ અને નિર્મળ બને તે હેતુથી પ્રેરાઇને કટીબધ્ધ બને તે માટે સને ૨૦૦૭-૦૮ ના વર્ષમાં નવી યોજના અમલમાં મુકવામાં આવી છે.

સમરસ ગ્રામ યોજના
રાજયની ચૂંટણીઓમાં પક્ષ અને પ્રતિક હોય છે પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષનું આવું કોઇ પ્રતિક હોતું નથી. તેની પાછળ મહત્‍વના કારણો રહેલા છે. આર્ય સંસ્‍કૃતિની એ આગવી પરંપરા રહી છે, ગામનું મુળ અસ્‍તિત્‍વ, એનું અસલપણું, એના પ્રસંગો, રૂઢીઓ વગેરે જળવાઇ રહ્યાં છે. ગામની વિવિધ કોમો-જ્ઞાતિઓ વારતહેવારે થતાં ઉત્‍સવોમાં ભાગ લે છે અને કૌટુંમ્‍બિક ભાવના જળવાઇ રહે છે. એમની આ વિશિષ્‍ટતા છિન્નભિન્ન ન થાય એ માટે પંચાયત ધારો ઘડનારાઓએ આપણી આ પાયાની સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થામાં ચૂંટણીમાં પક્ષિય ધોરણ રાખ્‍યું નથી.

ઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના
ઇ-ગ્રામ પંચાયતની વિવિઘ કામગીરીને ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીના અમલ દ્વારા અદ્યતન, સુવ્‍યવસ્‍િથત, સમયબદ્ઘ, સરળ, ઝડપી, ક્ષતિરહિત અને પારદર્શક બનાવવી. ગ્રામ્‍યજનોને જરૂરી માહિતી, પ્રમાણ૫ત્ર, વિવિઘ કચેરીઓનાં ફોર્મસ, અરજીના નમૂના વિગેરે ઉ૫લબ્‍ઘ કરાવવા. શહેરમાં નાગરિકોને મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામજનોને ૫ણ ઇ-ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવી.

જમીન સંપાદન અને માળખાકીય સુવિધાઓ
ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગરીબલક્ષી ગ્રામીણ આવાસ યોજનાઓની વસાહતમાં પર્યાપ્‍ત સાધનોના અભાવે પીવાનું પાણી, ગટર વ્‍યવસ્‍થા, સ્‍વચ્‍છતા, શેરીની પ્રકાશ વ્‍યવસ્‍થા, ઘરોમાં વીજળીકરણ, આંતરિક રસ્‍તાઓ, એપ્રોચરોડ વગેરે જેવી પાયાની નાગરિક સુવિધાઓ પૂરતી નથી ત્યારે ગ્રામીણ આવાસન યોજના માટે ગામતળ ન હોય તેવા ગામ માટે તેમજ વિવિધ ગ્રામીણ આવાસ યોજના હેઠળ સંકુલ માળખાકીય સુવિધા સાથે પુરૂ પાડવાનું થતું હોય તે ગામ માટે ગામતળની જમીન ઉપલબ્‍ધ કરાવવી

તીર્થગામ / પાવનગામ યોજના
રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા લોકો વચ્‍ચે પરસ્‍પર સદ;ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના.

You Might Also Like

સોનિયા-રાહુલે રૂ. 2000 કરોડની સંપત્તિ પચાવવા કાવતરું ઘડયું હતું : ED

21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી યોજાશે ચોમાસું સત્ર

ઉત્તરાખંડમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, ચારધામ યાત્રાને રોકી દેવામાં આવી

ટોચના રશિયન તેલ ખરીદદારો પર ટેક્સ લગાવવાની અમેરિકાની યોજના પર જયશંકરની પ્રતિક્રિયા

દિલ્હી હાઈકોર્ટે પતંજલિને ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ ‘અપમાનજનક’ જાહેરાતો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો

TAGGED: 24 એપ્રિલ, history of Panchayati Raj, Panchayati Raj Day, રાષ્ટ્રીય પંચાયતી દિવસ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હીનાં વાતાવરણમાં એકાએક પલ્ટો: વરસાદનાં કારણે 15 ફ્લાઈટ ડાઈવર્ટ કરાઈ
Next Article ISROની ચેતવણી: તેજીથી પિગળતા હિમાલયના ગ્લેશિયર વિશ્વ માટે બની શકે છે ખતરો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ભારતે 2036 ઑલિમ્પિક અને પૅરાલિમ્પિક માટે અમદાવાદને અધિકારીક રીતે નોમિનેટ કર્યું

khaskhabarrajkot khaskhabarrajkot 13 hours ago
રામનાથ મહાદેવના સાનિધ્યમાં ડૂબતાં બાળકનો ચમત્કારિક બચાવ
ચેક FSLમાં મોકલવાની રિવિઝન કોષ્ટ સાથે નામંજૂર કરી ટ્રાયલ કોર્ટના ચૂકાદાને કાયમ રાખતી સેશન્સ અદાલત
તાજિયા નિમિતે આગામી તા.5 અને 6ના રોજ અનેક જાહેર માર્ગ પર વાહન પ્રવેશબંધી
ડો. તૃપ્તિ શાહે અનેક દર્દીને સાજા કર્યા, 5 વર્ષમાં તે કમાણીમાંથી 100થી વધુ વિદ્યાર્થીના શિક્ષણનો ખર્ચ ઉપાડ્યો
RMC શહેરમાં જન્મનાર પ્રત્યેક બાળકનાં નામનું એક વૃક્ષ વાવશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સોનિયા-રાહુલે રૂ. 2000 કરોડની સંપત્તિ પચાવવા કાવતરું ઘડયું હતું : ED

khaskhabarrajkot khaskhabarrajkot 13 hours ago
રાષ્ટ્રીય

21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી યોજાશે ચોમાસું સત્ર

khaskhabarrajkot khaskhabarrajkot 14 hours ago
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, ચારધામ યાત્રાને રોકી દેવામાં આવી

khaskhabarrajkot khaskhabarrajkot 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?