By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીનના 35 મિલિયન બચેલા પુરુષો રશિયા, દક્ષિણપૂર્વ એશિયા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં દુલ્હન શોધી રહ્યા છે
    3 minutes ago
    ભારતીય ઇમેઇલ્સ ‘સ્પામ જેવા’: ન્યુઝીલેન્ડના મંત્રી એરિકા સ્ટેનફોર્ડના નિવેદનથી હોબાળો
    15 minutes ago
    ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને 51મું રાજ્ય બનવા માટે એક નવી ઓફર કરી
    2 hours ago
    મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશ અમેરિકાને વેંચી દીધું, સરકારની કમાન આતંકવાદીઓના હાથમાં: શેખ હસીનાનો આરોપ
    21 hours ago
    PM મોદીનું નિવેદન નફરત ફેલાવનારું :પાકિસ્તાન
    21 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લાલુ પ્રસાદ અને રાબડી દેવીએ પોતાના પૌત્રનું નામ ‘ઇરાજ લાલુ યાદવ’ રાખ્યું, જાણો તેનો અર્થ શું છે
    25 minutes ago
    Padma Award 2025: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશની કુલ 69 હસ્તીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કર્યા
    48 minutes ago
    ભારતમાં કોરોનાના 1047 સક્રિય કેસ તો ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 109ને પાર
    1 hour ago
    ભારતે લગભગ 4 વર્ષ પછી અફઘાન નાગરિકો માટે પસંદગીની વિઝા સેવાઓ ફરી શરૂ કરી
    1 hour ago
    બંગાળ સાથેના વિવાદ વચ્ચે ઓડિશા જગન્નાથ મંદિર માટે ટ્રેડમાર્ક કવચ બનાવશે
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    2 hours ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    20 hours ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    1 day ago
    ગુજરાત બાદ બેંગ્લોર : પ્લે ઑફ્ફમાં પહોંચી ગયેલી વધુ એક ટીમની હાર, ટોપ ટુની રેસ ચાલુ
    4 days ago
    BCCIએ આગામી ટેસ્ટ શ્રેણી ટીમની જાહેરાત કરી: શુભમન ગિલ આ 18 ખેલાડીઓની કમાન સંભાળશે..
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    33 minutes ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    1 day ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    1 day ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    2 days ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયાએ કામણ પાથર્યા, પહેલો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    1 week ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 weeks ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    6 days ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રેતાળ ધરા ઉપર સંગીતની લીલીછમ્મ ઘરોહર એટલે ઓસમાણ મીર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > રેતાળ ધરા ઉપર સંગીતની લીલીછમ્મ ઘરોહર એટલે ઓસમાણ મીર
AuthorHemadri Acharya Dave

રેતાળ ધરા ઉપર સંગીતની લીલીછમ્મ ઘરોહર એટલે ઓસમાણ મીર

Khaskhabar Editor
Last updated: 2022/08/13 at 5:59 PM
Khaskhabar Editor 3 years ago
Share
10 Min Read
SHARE

સુક્કીભઠ ગણાતી કચ્છની રેતાળ ધરા કલા અને સંગીતની લીલીછમ્મ ધરોહર સંઘરીને બેઠી છે. અહીંનું સંગીત આ પ્રદેશની સારીયે મીઠાશ, માટીની સુગંધ ભળેલી હોય એવું મઘમઘતું-રસઝરતું છે. કલાપરખું કદરદાન માણસોની આ ધરાના હવા પાણીમાં સંગીત અને કલા વહેતાં રહે છે અને એને જ ગળથુથીમાં પી ગયાં હોય એવાં અનેક મહાન સંગીતકાર,ગાયક આ ભૂમિની દેન છે. આવા અનેરા કચ્છમાં ઓગણીસો સત્યાશી-અઠયાંશી આસપાસ તેર વર્ષનો એક છોકરો તબલાં બહુ સરસ વગાડે. જાણકાર લોકો તેનાં તબલાવાદનને બિરદાવતાં કહેતાં કે એનો હાથ તબલા પર ખૂબ સરસ બેઠેલો છે! એ તેર વર્ષનો કિશોર એટલે, અનેક મુશ્કેલીઓ વચ્ચે જેનું સંગીતમય વ્યક્તિત્વ નિખરીને ઉભર્યું છે એ, આજે ગુજરાતના તેમજ દેશના ખ્યાતનામ ગાયકમાં જેની ગણના થાય છે એ ઓસમાણ મીર…!
હું એક સાંજે આ લોકપ્રિય ગાયક એટલે કે ઓસમાણ મીરને રુબરુ થવા રાજકોટ સ્થિત એમના નિવાસસ્થાને પહોંચું છું. એમણે કહ્યું હતું કે, સામાન્ય રીતે હું ઇન્ટરવ્યૂ માટે પોણી કલાકનો સમય આપું છું તો, બહુબહુ તો કલાક… આમ, એકાદ કલાકનો સમય મને મળ્યો હતો.પણ વાતોવાતોમાં લગભગ ચારેક કલાક ક્યાં પસાર થઇ ગયાં ખબર જ ન પડી… હું ઘણાં પ્રશ્ન તૈયાર કરીને ગઈ હતી પણ પ્રશ્ન પૂછું અને જવાબ મળે એવી ઔપચારિક ન રહેતાં, આ મુલાકાત વાતચીત જેવી હળવીફુલ અને સહજ બની રહી…. તો આ છે એમની સાથેની વાતચીતના અંશ….

નાનપણ
કચ્છનાં અબડાસા તાલુકાનાં વાયોર ગામમાં, 22 મે, 1974નાં રોજ ઓસમાણ મીરનો જન્મ. ઓસમાણની પાંચ-છ વર્ષની ઉંમરે પરિવાર માંડવી પાસેનાં બાયઠ ગામમાં સ્થાયી થયો. પિતા હુસેન ઉસ્તાદ અને દાદા ઉસ્તાદ અલ્લારખા અને કાકા પોતાના સમયના કચ્છના સંતવાણીના નિવડેલા ક્લાકારો, પ્રવીણ તબલચી. સમજો કે આખાય કચ્છમાં તેઓ તબલાવાદનના બેતાજ બાદશાહ ગણાતાં! માતા સકીનાબાનુંની ગાયકી પણ ખૂબ પ્રભાવી… આમ, ઘરમાં સંગીતનું વાતાવરણ સહજ હતું. હાર્મોનિયમ/ગાયન-તબલા વાદન … આ બધું અહીં ઔપચારિક તાલીમરુપ નહોતું, બલ્કી ઘરમાં વસતા લોકોની એ જીવનશૈલી હતી!

- Advertisement -

પિતા માટે, સંગીત તો એમની અંદરની મોજ હતી અને વ્યવસાયિક વલણ એમના વ્યવહારમાં ન હતું.’ આટલું કહેતાં કહેતા તેઓ એ દિવસોને યાદ કરી કહે છે…મને હાર્મોનિયમ વગાડવા/શીખવાનો ખૂબ શોખ પણ ગરીબી ઘણી જ..ઘરમાં હાર્મોનિયમ ન મળે! ગામની સંગીત મંડળીનું હાર્મોનિયમ એક ગોદામમાં પડ્યું રહેતું. ઉપયોગમાં ન લેવાતું હોય ત્યારે તેની પર જાળા બાઝી ગયા હોય. ગોદામની હાલત પણ એવી જ પડતર…છતાં હું હાર્મોનિયમ વગાડવા કાજે એવાં ગોદામમાં ચડી જતો! તો મારી ઇચ્છાને લઈને પિતા કોઈને કોઈની ત્યાંથી હાર્મોનિયમ લાવી આપે.’ પિતા અને કાકા પાસે બાળક ઓસમાણ તબલા શીખે! સંગીતની પૃષ્ઠ ભૂમિ ધરાવતો આ બહોળો પરિવાર ગરીબીમાંય સંગીતની મોજમાં આનંદથી જીવતો હતો.

ઓસમાણ મીરે માત્ર 13 વર્ષની ઉંમરે જ પહેલાં કાકા અને પછી પિતા બન્નેનું છત્ર ગુમાવી દેતાં પરિવાર પર પારાવાર મુશ્કેલીઓ આવી પડી…

પણ….પણ ઓસમાણની 13 વર્ષની ઉંમરે જ, પહેલા કાકા અને પછી પિતા બન્નેનું છત્ર લૂંટાઈ જતા પરિવાર પર પારાવાર મુશ્કેલીઓ આવી પડી…

- Advertisement -

સંઘર્ષ
હવે, માતા અને બહેનોએ મજૂરીકામ પર જવું પડતું. તો ઓસમાણ સરને પણ એમની તેર વર્ષની ઉંમરે નર્સરીમાં રોપા તૈયાર કરવાના કામે, બાયઠથી પંદરેક કિલોમીટર દૂર આવેલા અંબાજીનું ગોધરા ગામે રોજે રોજ જવું પડતું. જ્યાં રોપાને કુંડામાં માટી સાથે તૈયાર કરવાના રહેતાં અને જેટલું કામ થાય એના હિસાબે પૈસા મળતાં. સવારના પાંચ વાગે ઉઠીને છ વાગે તો કામ પર નીકળી જવાનું! અને બાર -બાર કલાકની મહેનત પછી,બીજા લોકો રોજના પચાસેક રૂપિયા કમાઈ લેતા પણ ઉંમર નાની અને ઝડપના અભાવે ઓસમાણ માંડ ત્રીસેક રૂપિયાનું કામ કરી શકતાં! એક દિવસ, સાંજ સુધી કામ કરવા છતાં વધુ રૂપિયા મળી શકે એટલું કામ તો ન જ થયું. સાથેના કામ કરનારા પોતપોતાનું કામ પૂરું કરી નીકળી ગયા પણ મને થયું કે હજુ થોડું વધારે કામ કરી લઉં તો વધુ રૂપિયા મળે. આ બાજુ, ગામના લોકો કામ કરીને પરત આવી ગયા પણ હું ન પહોંચ્યો એટલે માનો જીવ ઊંચો થઈ ગયો… અને, ધખધખતો તાવ, બન્ને હાથમાં બકડિયા-પાવડા, સાવ એકલો એકલો આટલું અંતર કાપીને અને થાકીથી લોથપોથ હું જ્યારે રાત્રીના નવ-સાડા નવે ગામમાં દાખલ થયો ત્યારે મા તળાવની પાળે ઉભી મા, વ્યાકુળતાથી મારી રાહ જોઈ રહેલી મા મને જોતાવહેંત વળગી પડી કહેવા લાગી કે, બસ.. આજથી તું કામ પર નહિ જ જાય. તારા બદલે હું વધારે કામ કરી લઈશ…. આટલું બોલતા બોલતાં સર લાગણીશીલ થઈ જાય છે..કહે છે, જુઓ રુંવાડા ઉભા થઇ ગયાં…!’ આટલી વાત થઈ ત્યાં ચાના કપ આવે છે… થોડી આડીઅવળી વાત પછી સર વાત આગળ વધારતાં, તેમના જીવનના પહેલાં ટર્નિંગપોઇન્ટ વિશે કહે છે કે, ઉપરવાળો એક દરવાજો બંધ કરે ત્યારે બીજો ખોલી જ દેતો હોય છે.

મુરબ્બી અશ્વિનભાઈ પેંડાવાળા કે જેઓ પિતાના ખાસ મિત્ર, એકવાર ઘરે આવ્યા. ઘરની કફોડી હાલત જોઈને તેઓ મને બ્રહ્મલિન પૂ. નારાયણ સ્વામીને આશ્રમ માંડવી લઈ ગયાં. નારણબાપુને વાત કરી કે છોકરો તબલાંમાં ભારે જમાવટ કરે છે, હાથ બહુ સારો બેઠેલો છે. બાપુએ વગાડવાનું કહ્યું .મારુ તબલાવાદન સાંભળી બાપુ ખૂબ રાજી થઈ ગયાં…! મને કહ્યું કે કાલે સોનલબીજના પ્રોગ્રામમાં જવાનું છે ત્યાં તું જ તબલા વગાડજે..! બસ…ત્યારથી નારાણબાપુ સાથે તબલાની સંગત શરુ થઇ તે વર્ષો સુધી ચાલી… નારાયણ સ્વામીની વાત કરતા ઓસમાણ ખૂબ ભાવુક થઈ જાય છે. કહે છે કે તેઓએ મને પુત્રવત્ પ્રેમ આપ્યો. તેર વર્ષની ઉંમર, નાના કદને કારણે બાપુ મને ઓશિકા ગોઠવી બેસાડી દે.

ઓસમાણ મીરની જિંદગીમાં, અધ્યાત્મ સાથે જોડાયેલી બે વિભૂતીનો ખૂબ જ મહત્વપૂર્ણ રોલ રહ્યો, એક તો ભજનિક- સુરતાલના આરાધક નારાયણ સ્વામી અને બીજા કથાકાર મોરારિબાપુ

ઓસમાણ મીરે પણ જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે, માતા અને બહેનોએ મજૂરીકામ પર જવું પડતું, તો તેઓ પણ 13 વર્ષની ઉંમરે નર્સરીમાં રોપા તૈયાર કરવાના કામે જતા…

મારું તબલુ ચડાવી દે (સુરમાં- તાલમાં કરવાની પ્રોસેસ) પબ્લિક જોઈને હું ગભરાઈ ન જઉં એટલે મારી સીટીંગ એરેન્જમેન્ટ જ એવી રખાવે કે હું લોકોને બહુ જોઈ ન શકું. સંતવાણીના પ્રોગ્રામ તો રાત રાતભર ચાલે અને બેએક વાગે ત્યાં તો મારી આંખો ઘેરાવા માંડે, ત્યારે બાપુ કહેતાં કે હવે આ દીકરાને સુવાડી દ્યો. બાપુ મારા માટે પિતાતુલ્ય તો હતા જ પણ હું એમને મારા ઈશ્વરનો દરજ્જો આપું છું.. નારાયણ સ્વામી ન હોતે તો આજે આ જગ્યાએ હું છું ત્યાં ન હોતે અથવા અહીં પહોંચતા મને બહુ વાર લાગી હોતે!

તબલાવાદન અને ઓસમાણ મીર
ગાયક ઓસમાણને તો બધાં જ ઓળખે છે પણ તેર વર્ષની ઉંમરે જેના તબલાવાદનની ગંભીર નોંધ લેવાતી હતી એ તબલાવાદક ઓસમાણ, એમના વાદનની વિશેષતા વિશે જાણવાનું મન અમને ન થાય તો જ નવાઈ..અને એ વિશે પૂછતાં સરે કહ્યું કે, બસ પછી તો..હજ્જારો-લાખોની સંખ્યામાં સાંભળનારા વચ્ચે હું બાપુ સાથે એવી તો સંગત જમાવતો કે લોકોમાં વાહવાહી થઈ જતી….! દાદા, પિતા અને કાકા પાસેથી તબલાની બારીકાઈ શીખતો ગયો. પહેલેથી જ સાંભળવાનો ખૂબ શોખ એટલે ઉસ્તાદ અલ્લારખા સાહેબ/ઝાકીર ભાઈ, ગુલામઅલી સાથે સંગત કરે છે એ અબ્દુલ સતાર તારી સાહેબ… બધાને ખૂબ સાંભળું અને એમાં મારુ કંઈક વિશેષ ઉમેરી પ્રસ્તુત કરું કે લોકોને કાનમાં એ ગુંજતું રહે. ભજનમાં ઠેકા-તાલ-તિહાઈ આમ તો બાંધેલા જ હોય પણ એમાં મારા નવતર પ્રયોગો ઉમેરી મેં મારી આગવી શૈલી વિકસાવી હતી. નવી તિહાઈ, નવી લગી…. સાંભળનારના કાન જો જાણકાર હોય તો સાંભળતા વ્હેત જ કહી દે કે આ પીસ ઓસમાણે જ વગાડ્યો છે..એટલી મૌલિકતા મેં કેળવી હતી. મારા આ પ્રયોગોનો ઉપયોગ આજે પણ તબલા વગાડનારા કરે છે, જેનો મને ખુબ આનંદ છે.વાતચીત આગળ ધપાવતાં સર કહે છે કે નારાણબાપુએ મને કહ્યું હતું કે તારે તારી આજીવિકા/ઘર ચલાવવાનું છે એટલે બીજા કલાકારો સાથે પણ વગાડવા માટે તું મુક્ત છે. આમ, આ વર્ષો દરમ્યાન અનેક કલાકારો સાથે મેં તબલાની સંગત કરી.

ઓસમાણ મીરની જિંદગીમાં, અધ્યાત્મ સાથે જોડાયેલી બે વિભૂતીનો ખૂબ જ મહત્વપૂર્ણ રોલ રહ્યો, ઉપર કહ્યું તેમ, એક તો ભજનિક- સુરતાના આરાધક નારાયણ સ્વામી અને બીજા, આપણા સૌના આદરણિય પરમપૂજ્ય મોરારીબાપુ.
તબલાવાદક ઓસમાણ હવે ગાયક ઓસમાણ કેવી રીતે બન્યા એ વાત પણ ખૂબ જ રસપ્રદ છે.

ગુરુપૂર્ણિમા નિમિતે બાપુને ત્યાં થતાં આયોજનોમાં એકવાર ઓસમાણ સર કલાકારો સાથે તબલા સંગત કરવા ગયેલા. ત્રણ-ચાર દિવસના રોકાણમાં, રાત્રે પ્રોગ્રામ હોય પણ દિવસ દરમ્યાન ફુરસતના સમયે બધા કલાકારો સાથે ગાતાં- વગાડતાં મોજમસ્તી કરતાં રહેતા. એમાં એક દિવસ બાપુના દીકરા પાર્થિવભાઈએ ઓસમાણને ગાતા સાંભળ્યા.. એમને ઓસમાણની ગાયકીમાં કંઈક તો વાત છે, એમ લાગતાં બાપુને વાત કરી કે તબલાની સાથોસાથ ઓસમાણ મીરની ગાયકી પણ ખૂબ સરસ છે. બાપુએ ઓસમાણ સરને, રાતના પ્રોગ્રામમાં અંતે ભૈરવીમાં કંઈક ગાઈને પ્રોગ્રામ સમાપન કરવા કહ્યું. દસેક મિનિટનો સમય ફાળવ્યો હતો પણ ઓસમાણે ગાવાનું શરૂ કર્યું એ સાથે જ આખોયે શ્રોતાવર્ગ, બાપુ, અને ખુદ ઓસમાણ સર..બધા જ એવી તો ભાવસમાધીમાં ડૂબી ગયા કે ગાવાનું સતત દોઢેક કલાક ચાલ્યું… અને અંતે બાપુ- ઓસમાણ સર સહિત દરેકની આંખમાં આંસુ હતાં… ભાવમય વાતાવરણમાં પોતે કરેલી, પહેલી ગાયન પ્રસ્તુતિ વિષે વાત કરતાં ઓસમાણ સર ખૂબ ભાવુક થઈ જાય છે!… બસ, આ પછીથી ‘ગાયક’ ઓસમાણ સર છવાવાં લાગ્યા. તબલાંવાદક ઓસમાણને ગાયક ઓસમાણ બનાવવમાં મારા ગુરુનો સિંહફાળો છે,એમ કહેતાં ઓસમાણ સર ભાવુક થઈ ખૂબ જ આદર અને પ્રેમપૂર્વક ગુરુ સાથેના સ્મરણો વાગોળે છે.
(ક્રમશ)

You Might Also Like

યુવાવસ્થા: જીવનની મોજ કે જવાબદારીનો બોજ?

ભાગ્ય v/s પરિશ્રમ કોણ જીતશે?

L-1 યા EB-5

કુછ ઇસ તરહ સે મૈને જીવન સજા લિયા, હર બાર એક નયા ચહેરા લગા લિયા

દાસના દુશ્મન હરિ કોઈ દી હોઇ નહીં

TAGGED: OSMANMIR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત હાઈકોર્ટની બેચ રાજકોટને આપવા વકીલોની માગ
Next Article જમીન અને આપણે: એક ગૂઢ સંબંધ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ચીનના 35 મિલિયન બચેલા પુરુષો રશિયા, દક્ષિણપૂર્વ એશિયા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં દુલ્હન શોધી રહ્યા છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
ભારતીય ઇમેઇલ્સ ‘સ્પામ જેવા’: ન્યુઝીલેન્ડના મંત્રી એરિકા સ્ટેનફોર્ડના નિવેદનથી હોબાળો
લાલુ પ્રસાદ અને રાબડી દેવીએ પોતાના પૌત્રનું નામ ‘ઇરાજ લાલુ યાદવ’ રાખ્યું, જાણો તેનો અર્થ શું છે
ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
Padma Award 2025: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશની કુલ 69 હસ્તીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કર્યા
ભારતમાં કોરોનાના 1047 સક્રિય કેસ તો ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 109ને પાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

યુવાવસ્થા: જીવનની મોજ કે જવાબદારીનો બોજ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ભાગ્ય v/s પરિશ્રમ કોણ જીતશે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

L-1 યા EB-5

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?