By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    1 day ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    2 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    2 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    2 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    2 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    2 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    2 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    3 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    2 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    4 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    4 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    4 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    2 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    4 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    5 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    1 week ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    3 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    3 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    1 week ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવરાત્રિ રહસ્ય: આદિશક્તિની આરાધનાનો અવસર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > નવરાત્રિ રહસ્ય: આદિશક્તિની આરાધનાનો અવસર
AuthorHemadri Acharya Daveધર્મ

નવરાત્રિ રહસ્ય: આદિશક્તિની આરાધનાનો અવસર

Khaskhabar Editor
Last updated: 2023/10/21 at 4:21 PM
Khaskhabar Editor 2 years ago
Share
13 Min Read
SHARE

દેવી દુર્ગાનું રુપ, ચંડી, કે જેને આદિશક્તિ કહેવામાં આવે છે, દેવી ભાગવત, અથર્વવેદ, માર્કંડેય પુરાણ જેવા પ્રાચીન ગ્રંથો અનુસાર દેવી આદિ શક્તિ જ સમસ્ત બ્રહ્મન્ડની ઉત્પત્તિ તેમજ ગતિવિધિનું મૂળ છે, કારણ કે તે તે ઈચ્છારૂપે બ્રહ્માંડનું સર્જન કરે છે, જનનરૂપમાં જગતનું સંચાલન કરે છે અને સમગ્ર બ્રહ્માંડને ક્રિયાના રૂપમાં ગતિ અને શક્તિ પ્રદાન કરે છે

શક્તિની ઉપાસનાનો તહેવાર પ્રાચીન કાળથી શારદીય નવરાત્રી પ્રતિપદાથી નવમી સુધી નવ નિશ્ચિત તિથિઓ, નવ નક્ષત્રો અને નવ શક્તિઓની નવધા ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. સીતાએ રામને પતિરૂપે પામવા મા ત્રિપુરા સુંદરીની ઉપાસના કરી હતી. તો ભગવાન રામે રાવણ વિજય માટે દેવી દુર્ગાની ઉપાસના કરી હોવાની કથા પ્રચલિત છે. વળી, ગોપીઓએ કૃષ્ણને પતિરૂપે પામવા દેવી દુર્ગાની પૂજા કરી હતી જે નીચેના શ્લોકમાં પ્રતિપાદિત થાય છે.(ગોપી એટલે કૃષ્ણની યોગમાયા શક્તિ)
ઇંળટ્ટ્રૂળ્રૂણિ, પવળપળ્રૂળ પવળ્રૂળજ્ઞઉંધ્રિઢ઼િફિ
ર્ણૈડ ઉંળજ્ઞક્ષ લૂર્ટૈ ડજ્ઞમિ ક્ષરુટ પૂ ઇૂ્ંયટજ્ઞ ણપ:
દુર્ગા ઉત્પત્તિ : પ્રચલિત કથાઓ અનુસાર, મા દુર્ગાની ઉત્પત્તિ રાક્ષસોનો વધ કરી દેવતાઓ તેમજ માનવોને આસુરી ત્રાસમાંથી બચાવવા માટે થયો હતો. મહિષાસુર નામનો અસુર જે ખૂબ જ શક્તિશાળી હતો અને પોતાની ઈચ્છાથી ભેંસ અથવા મનુષ્યનું રૂપ ધારણ કરી શકતો હતો, તેણે એકવાર કઠોર તપ કરીને ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા હતા. ત્યારે બ્રહ્માજીએ તેને તેની ઈચ્છા મુજબ વર માંગવા કહ્યું. મહિષાસુરે અમર થવાનું વરદાન માંગ્યું પરંતુ બ્રહ્માજીએ કહ્યું કે દરેક જન્મેલા પ્રાણીનું મૃત્યુ નક્કી છે.ત્યારે મહિષાસુરે ઘણું વિચારીને કહ્યું, કૃપા કરીને મને વરદાન આપો કે કોઈ પણ દેવતા, દાનવ કે મનુષ્ય મને મારી ન શકે. મારુ મૃત્યુ સ્ત્રીના હાથે જ થઈ શકે. બ્રહ્માજીએ તેમને આ વરદાન આપ્યું હતું. વરદાન મળ્યા બાદ મહિષાસુરને લાગવા લાગ્યું કે તે અમર થઈ ગયો છે. આ ઘમંડમાં તેણે ત્રણેય લોકમાં આતંક મચાવ્યો. તેણે દેવતાઓના ઈન્દ્રલોક પર પણ હુમલો કર્યો.
મહિષાસુરથી ત્રસ્ત બધા દેવો ભગવાન બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવે પોતાની શક્તિના અંશથી એક સ્ત્રી શક્તિ, દેવી દુર્ગાની રચના કરી. દરેક દેવતાએ દેવી દુર્ગાને તેમની વિશિષ્ટ શક્તિ પ્રદાન કરી. ભગવાન શિવે ત્રિશુલભગવાન વિષ્ણુએ ચક્ર,વાયુએ બાણ આપ્યા હતા વગેરે, તેથી દેવી દુર્ગા સર્વશક્તિઓથી સજ્જ છે કે જેમની પાસે તમામ દેવતાઓની શક્તિ છે.

- Advertisement -

વૈષ્ણવ સંપ્રદાય અનુસાર, ભગવતી શ્રી મહાલક્ષ્મી અને તેમના અવતાર જેમ કે રાધા, સીતા, રુક્મિણી વગેરે. આદિ પરાશક્તિ છે, જ્યારે શૈવ સંપ્રદાય માતા પાર્વતી અથવા શાકંભરીને આદિ શક્તિનું સગુણ સ્વરૂપ માને છે

મહિષાસુરના આતંકનો અંત લાવવા માટે દેવી દુર્ગાએ તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું. નવમા દિવસે માતાએ મહિષાસુરનો વધ કર્યો. તેથી નવરાત્રી નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ ઉપરાંત દેવીએ ચંડ-મુંડ, રક્તબીજ જેવા અનેક અસુરોનો સંહાર કર્યો.
આદિશક્તિ -મહેશ્ર્વરી
રુમદ્મળ: લપશ્ર્નટળશ્ર્નટમ ડજ્ઞરુમ ધજ્ઞડળ:
રુષ્ર: લપશ્ર્નટળ: લઇંબળ ઘઉંટ્ટલૂ।
ટ્ટમ્રૂેઇ્ંરૂળ ક્ષુફિટપબ્રૂ્રૂેટટ્ર ઇંળ ટજ્ઞ
શ્ર્નટૂરુટ: શ્ર્નટવ્રક્ષફળ ક્ષફળજ્ઞરુુ :॥
આ એક શ્લોકમાં દેવી દુર્ગાની ભવ્યતા, દિવ્યતા અને સામર્થ્યનું સમસ્ત વર્ણન સમાયેલું છે.
અર્થ : દેવી! બધાં વિજ્ઞાન તમારાં જુદાં જુદાં સ્વરૂપો છે. વિશ્વની તમામ સ્ત્રીઓ તમારી મૂર્તિ છે. જગદંબા! તમે જ આ જગતમાં સર્વત્ર વ્યાપી રહ્યા છો. તમારા વખાણ શું હોઈ શકે? તમે વખાણ કરવા લાયક શબ્દોની પરે, દિવ્ય પરા વાણી છો!
દેવી દુર્ગાનું રુપ, ચંડી, કે જેને આદિશક્તિ કહેવામાં આવે છે. દેવી ભાગવત, અથર્વવેદ, માર્કંડેય પુરાણ જેવા પ્રાચીન ગ્રંથો અનુસાર દેવી આદિ શક્તિ જ સમસ્ત બ્રહ્મન્ડની ઉત્પત્તિ તેમજ ગતિવિધિનું મૂળ છે. કારણ કે તે તે ઈચ્છારૂપે બ્રહ્માંડનું સર્જન કરે છે, જનનરૂપમાં જગતનું સંચાલન કરે છે અને સમગ્ર બ્રહ્માંડને ક્રિયાના રૂપમાં ગતિ અને શક્તિ પ્રદાન કરે છે. તે જ સમગ્ર વિશ્વની રચના કરનાર છે, તે જ સમગ્ર વિશ્વનું પાલન કરે છે અને તે તેનો નાશ કરનાર પણ છે. આ જ કારણ છે કે ચંડીને જગન્માત પણ કહેવામાં આવે છે. આ આદિશક્તિને પરમ્બા, પરાશક્તિ અથવા આદિ પરાશક્તિ તરીકે પણ સંબોધવામાં આવે છે. દરેક સંપ્રદાયમાં આદિ પરાશક્તિની અલગ-અલગ રૂપમાં પૂજા કરવામાં આવે છે, શાક્ત સંપ્રદાયમાં તે બ્રહ્મા-શક્તિના રૂપમાં પૂજાય છે, જેમાં કાલી કુલ અને શ્રી કુલ એમ બે કુળ છે. એક અન્ય શાક્ત પરંપરા ભગવતી દુર્ગાને આદિ શક્તિ માને છે. વૈષ્ણવ સંપ્રદાય અનુસાર, ભગવતી શ્રી મહાલક્ષ્મી અને તેમના અવતાર જેમ કે રાધા, સીતા, રુક્મિણી વગેરે. આદિ પરાશક્તિ છે, જ્યારે શૈવ સંપ્રદાય માતા પાર્વતી અથવા શાકંભરીને આદિ શક્તિનું સગુણ સ્વરૂપ માને છે. શીખ પંત શક્તિને નિર્ગુણ માને છે, તેમના મતે ચંડી એ અકાલપુરુખની ઉર્જા શક્તિ છે. કાલી, પાર્વતી, ગૌરી, આદિ શક્તિ, ભવાની અને જગદંબા જેવા અનેક નામોથી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. દેવી દુર્ગા શક્તિનું પ્રતિક છે. નવરાત્રિના નવ દિવસોમાં માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતા દેવીની પૂજા કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે.
નવરાત્રી શું છે
નવરાત્રી જગતજનની મા નવદુર્ગાની ભક્તિનો ઉત્સવ. આપણે ત્યાં શક્તિની પૂજાની પરમ્પરા રહી છે. શક્તિ એટલે કે પ્રાણતત્વ, આ પ્રાણતત્વ વગરનું જીવન સાંભવી શકે જ નહીં. કદીક નિરાંતે બેસીને વિચારીએ તો સમજાય કે આ સૃષ્ટિ પર જાતજાતના ભાતભાતના કરોડો જાતિના જીવ અસ્તિત્વ છે કે જે બધા એકબીજાથી તદ્દન જુદી શરીર રચના, જુદુ પર્યાવરણ, જુદો શરીરધર્મ ધરાવે છે. છતાં આ બધામાં એક સામ્ય છે, અને એ છે જીવ એટલે કે પ્રાણતત્વ. વેદો, પુરાણો ઋષિમુનિઓ એ શ્રુતિ અને સ્મૃતિઓમાં કહે છે કે મા દુર્ગા અને તેના નવ સ્વરૂપો જ જીવનીશક્તિ પ્રાણતત્વ છે જે જીવમાત્રમાં બિરાજમાન છે. મારી -તમારી-આપણી અંદર બેઠેલી શક્તિરૂપી મા એક જ છે. અને એટલે જ તો ઋષિમુનિઓએ ‘વસુધૈવ કુટુંબમ’ની વિભાવના આપી છે કે આપણે સૌ એક માતાનાં અને એક પરમપિતાના સંતાનો છીએ. અને એ શક્તિ સ્વરૂપા માતાની કૃપાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા આપણે સૌ બંધુ ભગીની સાથે મળીને નવ દિવસ તેને ભજીએ છીએ. આમ, નવરાત્રી એ સામાજિક પરીપેક્ષમાં સૌહાર્દ અને સમરસતા વધારી આપણી જગતજનનિનો અનુગ્રહ પામવાનો તહેવાર છે.
તાંત્રિકો માટે કાલરાત્રી યોગી માટે અહોરાત્રી એવી નવરાત્રીનું વૈજ્ઞાનિક-આધ્યાત્મિક રહસ્ય એ છે કે ’નવરાત્રિ’ શબ્દ નવ રાત્રિઓ (વિશેષ રાત્રિઓ) દર્શાવે છે. આ સમયે શક્તિના નવા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ’રાત્રિ’ શબ્દ અહીં સિદ્ધિનું પ્રતીક છે.ભારતના પ્રાચીન ઋષિમુનિઓએ દિવસ કરતાં રાત્રિને વધુ મહત્વ આપ્યું છે, તેથી જ દિવાળી, હોલિકા, શિવરાત્રી અને નવરાત્રી વગેરે તહેવારો રાત્રે ઉજવવાની પરંપરા છે. જો રાત્રિનું વિશેષ રહસ્ય ન હોત તો આવા તહેવારોને ’રાત્રિ’ને બદલે ’દિવસ’ કહેવાયા હોત, પરંતુ નવરાત્રિના દિવસોને ’નવદિન’ ન કહેવાય. ઋષિમુનિઓએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી નવરાત્રિના મહત્વને ખૂબ જ સૂક્ષ્મ રીતે સમજવા અને સમજાવવાનો પ્રયાસ કર્યો. કુદરતના ઘણા અવરોધો રાત્રે અદૃશ્ય થઈ જાય છે. આધુનિક વિજ્ઞાન પણ આ સાથે સહમત છે. આપણા ઋષિ-મુનિઓ હજારો વર્ષો પહેલા પ્રકૃતિના આ વૈજ્ઞાનિક રહસ્યો જાણી ચૂક્યા હતા.
આમ, રાત્રીને એકાગ્રતા માટે અનુકૂળ ગણીને માની ગૂઢ સાધનાના વિધાન આપણી સમૃદ્ધ તંત્ર તેમજ શાક્તય પરંપરામાં છે. આપણે સૌ શક્તિના સંતાનો એટલે

અમાવસ્યાની રાત્રિથી અષ્ટમી સુધી અથવા પડવાથી નવમીની બપોર સુધી નવ રાત્રિ સુધી ઉપવાસના નિયમને કારણે ’નવરાત્રી’ નામ સાર્થક છે, અહીં રાત્રીઓની ગણતરી કરવામાં આવી છે, તેથી તેને નવરાત્રી એટલે કે નવ રાત્રિઓનો સમૂહ કહેવામાં આવે છે

- Advertisement -

આપણે શાક્તય પરમ્પરાના જ અનુયાયી કહેવાઇએ વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. પોષ, ચૈત્ર, અષાઢ અને અશ્વિન પ્રતિપદાથી નવમી સુધી ઉજવવામાં આવે છે. જેમાં ત્રણ દેવીઓ – મહાલક્ષ્મી, મહાસરસ્વતી અથવા સરસ્વતી અને દુર્ગાના નવ સ્વરૂપો એટલે કે નવદુર્ગાની પૂજા કરવામાં આવે છે.
દુર્ગા એટલે જીવનના દુ:ખ દૂર કરનાર. માતા અહીં શક્તિસ્વરુપા છે. સૂર્યની ફરતે પૃથ્વીની પરિક્રમા દરમિયાન એક વર્ષમાં ચાર સંધિકાળ હોય છે. તેમાંથી, વર્ષના બે મુખ્ય નવરાત્રો ગોળાર્ધ સંધીમાં આવે છે જે મોટાભાગે માર્ચ અને સપ્ટેમ્બર મહિનામાં આવે છે. આ સમયે, જીવાણુના હુમલાની સૌથી વધુ સંભાવના છે. ઋતુ સંધિકાળ દરમ્યાન માનસિક ઉત્પાતો અને શારીરિક રોગો વધી જાય છે, તેથી સ્વસ્થ રહેવા, શરીરને શુદ્ધ અને મનને શુદ્ધ અને સંપૂર્ણ સ્વસ્થ રાખવા માટે આ સમયે કરવામાં આવતી વ્રતપ્રક્રિયાને ’નવરાત્રિ’ કહે છે.
અમાવસ્યાની રાત્રિથી અષ્ટમી સુધી અથવા પડવાથી નવમીની બપોર સુધી નવ રાત્રિ સુધી ઉપવાસના નિયમને કારણે ’નવરાત્રી’ નામ સાર્થક છે. અહીં રાત્રીઓની ગણતરી કરવામાં આવી છે, તેથી તેને નવરાત્રી એટલે કે નવ રાત્રિઓનો સમૂહ કહેવામાં આવે છે. રૂપક દ્વારા આપણા શરીરને નવ મુખ્ય દ્વાર અને મનુષ્યની આત્મિક શક્તિ કે પ્રાણશક્તિનું નામ દુર્ગા દેવી છે. આ મુખ્ય ઇન્દ્રિયોની શિસ્ત, સ્વચ્છતા અને સંવાદિતા સ્થાપિત કરવાના પ્રતીક રૂપે, આખા વર્ષ માટે શરીરની વ્યવસ્થા સુચારુ રીતે કાર્યરત રહે તે માટે નવ દ્વારના શુદ્ધિકરણનો તહેવાર નવ દિવસ ઉજવવામાં આવે છે. અલબત્ત, આજના સમયમાં નવરાત્રીની વિભાવના મોટાભાગના લોકો માટે દાંડિયા-ગરબા-સાજ, શણગાર પૂરતી સીમિત રહી ગઈ છે પણ શાસ્ત્રોમાં નવરાત્રીની ઉપાસનાને પ્રત્યક્ષરૂપે શરીર-મનની શુદ્ધિ સાથે સંબંધ બતાવ્યો છે. શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે દરરોજ ડિટોક્સિફિકેશન, ક્લિન્ઝિંગ કે પ્યુરિફિકેશન કરીએ છીએ, પરંતુ શરીરના અંગોને આંતરિક રીતે સંપૂર્ણપણે સાફ કરવા માટે દર છ મહિને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. સાત્વિક આહારના ઉપવાસથી શરીરની શુદ્ધિ થાય છે, સ્વચ્છ શરીર શુદ્ધ બુદ્ધિ તરફ દોરી જાય છે, સારા વિચારો સારા કાર્યો તરફ દોરી જાય છે, ક્રિયાઓ સારા ચારિત્ર્ય તરફ દોરી જાય છે અને અનુક્રમે મન શુદ્ધ બને છે. શુદ્ધ મનના મંદિરમાં જ ભગવાનની શક્તિનો કાયમી વાસ છે. એટલે જ, નવરાત્રો દરમિયાન, સાધકો તેમની આધ્યાત્મિક અને માનસિક શક્તિની સિદ્ધિ માટે વિવિધ પ્રકારના ઉપવાસ, ત્યાગ, નિયમો, યજ્ઞ, ભજન, પૂજા, યોગ-સાધના વગેરેનું પાલન કરે છે. કેટલાક સાધકો આ રાત દરમિયાન આખી રાત પદ્માસન અથવા સિદ્ધાસનમાં બેસીને અને આંતરિક એકાગ્રતાથી બીજ મંત્રોનો જાપ કરીને વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.
નવરાત્રીનો સંદેશ
યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ!
એ દેવી જે પ્રાણીમાત્રમાં શક્તિરૂપે બિરાજમાન છે
તે દેવીને નમસ્કાર હો,
નમસ્કાર હો વારંવાર નમસ્કાર હો!
તાલી અને દાંડિયાની સંગે આપણે પુરા જોમ અને ઉત્સાહથી માતાના ગરબા રમીએ એ પણ માતાએ આપેલી શક્તિને કારણે જ. હવે તો સમય સાથે ઉજવણીના પ્રકાર બદલાયા પણ ગરબા મૃદંગ અને મંજીરા પર ગવાતું નૃત્ય હતું જે સૂર અને સ્વરની દેવી સરસ્વતીને અતિ પ્રિય વાદ્ય!
્રૂળ ડજ્ઞમિ લમૃધુટજ્ઞરૂ ખજ્ઞટણજ્ઞટ્ટ્રૂરુધ-ઢ્રિૂટજ્ઞ।
ણપશ્ર્નટશ્ર્ન્રૂે ણપશ્ર્નટશ્ર્ન્રૂે ણપશ્ર્નટશ્ર્ન્રૂે ણપળજ્ઞ ણર્પીં॥
જે દેવીને સર્વ જીવોમાં ચેતના કહેવાય છે તેમને નમસ્કાર, નમસ્કાર, વારંવાર નમસ્કાર. (ચેતના – પોતાના તત્વો અને તેની આસપાસના વાતાવરણને સમજવાની, સમજવાની અને મૂલ્યાંકન કરવાની શક્તિ)
નવદુર્ગાની પૂજા અને સાધના આપણા સામાન્ય માણસો માટે એ જ છે કે આપણાંમાં રહેલી તન-મન-ધનની શક્તિ કે જે સાક્ષાત માતૃસ્વરૂપા છે તેના ઉપયોગમાં વિવેક જાળવીએ. સારા કર્મોમાં એ શક્તિ વાપરીએ, આપણી શારીરિક શક્તિ કોઈ પર જુલમ કરવા માટે નહીં પણ નબળાનું રક્ષણ કરવા કાજ વાપરીએ, આપણા મનની શક્તિ એટલે કે બુદ્ધિ, તેને કાવાદાવા ષડ્યંત્ર કે કોઈનું અહીત કરવામાં ન વાપરીએ પણ એ બુદ્ધિ વડે ભલું સાત્વિક વિચારીએ, કલ્યાણકારી માર્ગે એ બુદ્ધિને આપણી પથગામીની બનાવીએ.
સૃજનાત્મક અને સકારાત્મક વિચારપુષ્પ ખીલવીને આપણું તેમજ આપણા સ્વજનોનું જીવન પુષ્પ સમ સુગંધિત બનાવીએ. વળી ધનરૂપી શક્તિની વાત કરીએ તો એ પણ કલ્યાણકારી માર્ગે વાપરીએ.
આપણી આર્થિક તાકાતથી કોઈને પાડવાને બદલે એ જ તાકાત વડે કોઈને ઉભા કરીએ. અને, જીવનની ક્ષણ ક્ષણ, સત,-ચિત-આનંદ એટલે કે સચ્ચીદાનંદ સ્વરૂપીણી માતાને યાદ કરીને, સત એટલે કે સત્યના માર્ગે ચિત એટલે કે જ્ઞાનનો દીવો લઈને આનંદરસ પીતાં અને પીવડાવતાં જીવી જઈએ, અને આપણી તન-મન-ધન રુપી શક્તિને માના પ્રસાદ તરીકે વહેંચીએ એ જ સાચી નવરાત્રોત્સવ. વેદાંતમાં (વેદ, ઉપનિષદ અને ગીતા) શક્તિને પ્રકૃતિ કહેવામાં આવી છે, જ્યાં જ્યાં સર્જનાત્મકતા છે, ત્યાં માતાનું પ્રેમાળ રક્ષણ છે.
જે વ્યક્તિમાં શક્તિ હોય તે જ લોહીના ખરાબ ગુણોના બીજને અંકુરિત થતા રોકી શકે છે. આધુનિક પરિપ્રેક્ષ્યમાં રક્તબીજ નામના રાક્ષસની વાર્તા પહેલા કરતાં વધુ પ્રાસંગિક છે. કારણ કે દુષ્ટતાના માત્ર એક બીજથી, અનિષ્ટો દિવસ-રાત ચાર ગણી ઝડપે વધી રહ્યાં છે. આ દુ:ખનો નાશ કરવા માટે દરેકે પોતાની અંદર છુપાયેલી માતૃશક્તિને જાગૃત કરવી પડશે.

You Might Also Like

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

સોનું, ચાંદી અને અમેરિકા

અબજોના અબજો ગેલન આલ્કોહોલ ભરેલું વાદળું

TAGGED: Adishakti, navratri, WORSHIP
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડૉ. પાંભર: માનવતા મરી પરવારી નથી…
Next Article સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ કુલપતિ બન્યા ડો. નીલાંબરી દવે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Hemadri Acharya Dave

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?