વર્ષ 2021માં 1 ઉપર 2 લખી વર્ષ 2022 કરી નાખવામાં આવ્યું
રૂપિયા કેમ વેડફવા તે મનપાનાં કેટલાક અધિકારીઓ પાસેથી શીખવા જેવું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં સ્વચ્છ સર્વેક્ષણ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યાં છે.પરંતુ સમસ્યામાં કોઇ જ સુધારો આવ્યો નથી. એટલું જ નહી જૂનાગઢમાં સ્વચ્છ સર્વેક્ષણનાં ભીત સુત્રો લખવામાં આવ્યાં છે. તેમાં પણ આળસ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષનાં સુત્રોમાં માત્ર વર્ષ બદલી નાખ્યું છે. 2021નાં સ્થાને માત્ર 2022 લખી કામ ચલાવી નાખવામાં આવ્યું છે. એટલી જગ્યાએ તો વર્ષ 2021માં 1 ઉપર 2 લખી વર્ષ 2022 કરી નાખવાાં આવ્યું છે. મનપાની આ કામગીરી સામે સવાલ ઉભા થયા છે.
જૂનાગઢ મહાનગર પાલીકાનાં પણ જબ્બરા નાટક હોય છે. કયારેક તો એવું લાગે કે રૂપિયા કેમ વેડફવા તે જૂનાગઢ મહાનગર પાલીકાનાં કેટલાક અધિકારીઓ પાસેથી શિખવા જેવું છે. એટલું જ નહી લોકો અને ઉપરનાં તંત્રને છેતરવાની આવડત પણ મનપાનાં કેટલાક અધિકારીઓ પાસે ગજબની છે. તેનું તાજુ ઉદાહરણ સ્વચ્છ સર્વેક્ષણ છે. લોકોને જાગૃત કરવા માટે શહેરનાં મુખ્ય માર્ગો પર ભીત સુત્રો લખવામાં આવ્યાં છે. તેમા સુત્રો લખવામાં પણ મનપાએ આળસ કરી હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢનાં ભવનાથ સહિતનાં કેટલાક વિસ્તારમાં ભીત સુત્રો લખ્યાં છે. ખરેખર તો આ સુત્રો ગત વર્ષનાં છે. તેમાં કોઇ ફરક નથી. મનપાએ માત્ર વર્ષનો સુધારો કરી નાખ્યો છે. સ્વચ્છ સર્વેક્ષણનાં સુત્રોમાં ગત વર્ષ 2021 લખેલું હતું. ચાલુ વર્ષે 2022 લખવાનું થાય છે. મનપાએ તેમા કોઇ જ ફેરફાર કર્યો નહી. માત્ર વર્ષ 2021નાં આંકડામાં સુધોરો કરી નાખ્યો છે. વર્ષ 2021માં 1ની ઉપર 2 દોરી વર્ષ 2022 કરી નાખવામાં આવ્યું છે. હવે સવાલ એ ઉભો થયો છે કે, મનપાએ આળસ કરી છે ? કે પછી માત્ર 1 ના સ્થાને 2 લખી વર્ષ 2022નાં બીલ ઉધારી નાખ્યાં છે ?.જૂનાગઢમાં સ્વચ્છ સર્વેક્ષણનાં ભીત સુત્રોની પણ યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જાય તેમ છે.
- Advertisement -
કેટલીક જગ્યાએ 2022 અલગ પ્રકારે લખ્યું
જૂનાગઢમાં કેટલીક જગ્યાએ વર્ષ 2021ની ઉપર વર્ષ 2022 લખવામાં આવ્યું છે. પરંતુ લોકોનું ધ્યાન ન જાય તે માટે અલગ પ્રકારે લખવામાં આવ્યું છે.
એક ફૂટનાં 60 રૂપિયા ભાવ હોવાની ચર્ચા
જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર સ્વચ્છતા સર્વેક્ષણનાં ભીત સુત્રો લખવામાં આવ્યાં છે. આ ચિત્રો અને લખાણ માટે એક ફૂટનાં 60 રૂપિયા ચુકવવામાં આવ્યા હોવાની ચર્ચા છે. ગત વર્ષનાં સુત્રોમાં માત્ર 1 ઉપર 2 લખીને બીલ બનાવ્યાં હોય તો મોટું કૌભાંડ થયાની શક્યતા છે. અને જો તેમ ન થયું હોય તો મનપાની આળસ હોવાનું મનાઇ રહ્યું છે.