દેશની આઝાદી સમયની પરંપરા પુન: સ્થાપિત થશે: નવાભવનનાં નિર્માણમાં યોગદાન આપનાર 60000થી વધુ શ્રમિયોગીઓનું સન્માન પણ કરાશે
દેશનાં નવા સંસદ ભવનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રમોદી તા.28ના રોજ કરશે. કેન્દ્રીય મંત્રી અમીત શાહે આજે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપતા જણાવ્યું કે નવા સંસદભવનના ઉદઘાટન સમયે તેના નિર્માણમાં યોગદાન આપનાર 60 હજારથી વધુ શ્રમયોગીનું વડાપ્રધાનના હસ્તે સન્માન પણ કરવામાં આવશે.
- Advertisement -
સંસદના નવા ભવનના મુદે એક તરફ વિપક્ષોએ વિવાદ સર્જયો છે અને આ ઉદઘાટન વડાપ્રધાન નહી પરંતુ દેશના રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઈએ તેવી માંગણી સાથે સંસદભવનના ઉદઘાટન સમારોહનો એક બાદ એક વિપક્ષ બહિષ્કાર કરી રહ્યું છે તે વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું છે કે દેશના ઈતિહાસ સાથે જોડાયેલી આ ઈમારતમાં પ્રથમ વખત તેમાં સતાના હસ્તાંતરણ સમયે લોર્ડ માઉન્ટ બેટને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને જે સેંગોલ આપ્યુ હતું તે સેંગોલ હવે લોકસભામાં અધ્યક્ષના આસન પાસે સ્થાપીત કરવામાં આવશે.
Historic sceptre 'Sengol' to be placed in new Parliament building, symbolises spirit of freedom: Amit Shah
Read @ANI Story | https://t.co/NJ0sgn0A1d#AmitShah #NewParliamentBuilding #Sengol pic.twitter.com/qYbNJO2uW5
- Advertisement -
— ANI Digital (@ani_digital) May 24, 2023
કેન્દ્રીય મંત્રી અમીત શાહે જણાવ્યું. તામિલનાડુથી આ પવિત્ર સેંગોલ લાવવામાં આવ્યું છે અને પ્રથમ વખત તે સ્થાપીત કરીને એક ઐતિહાસિક પરંપરા પુન: સ્થાપિત કરાશે. કેન્દ્રીય મંત્રી અમીત શાહે જણાવ્યું કે 60 હજારથી વધુ શ્રમિકોના યોગદાનથી આ ઈમારતનું કામ ઝડપથી પુરુ થઈ શકયું છે અને તેથી જ તે શ્રમયોગીઓનું સન્માન કરવામાં આવશે.
PM Modi will dedicate the newly constructed building of Parliament to the nation on 28th May. A historical event is being revived on this occasion. The historic sceptre, 'Sengol', will be placed in new Parliament building. It was used on August 14, 1947, by PM Nehru when the… pic.twitter.com/NJnsdjNfrN
— ANI (@ANI) May 24, 2023
શું છે આ સેંગોલ?
15 ઓગષ્ટ 1947માં માઉન્ટ બેટને સતાના હસ્તાંતરણના પ્રતિક રૂપે જવાહરલાલ નહેરુને આ સેંગોલ અર્પણ કર્યુ હતું
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે આજે સંસદના નવા ભવનના ઉદઘાટન અંગે માહિતી આપતા જણાવ્યું કે આઝાદીના પ્રથમ દિવસે તત્કાલ ભારતના સર્વોચ્ચ શાસક લોર્ડ માઉન્ટ બેટને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સતાની હસ્તાંતરણ પ્રક્રિયા અંગે પૂછયું તો તે સમયે સી.રાજગોપાલા ચાર્ય એ સેંગોલની પરંપરા અંગે બતાવ્યું હતું.
There is a tradition behind this associated with ages. Sengol had played an important role in our history. This Sengol became a symbol of the transfer of power. When PM Modi got information about this, a thorough investigation was done. Then it was decided that it should be put… pic.twitter.com/UyUG6YjeIa
— ANI (@ANI) May 24, 2023
અને તામિલનાડુમાંથી આ પવિત્ર સેંગોલ લાવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અમીત શાહે કહ્યું કે 15 ઓગષ્ટ 1947ની જે અનોખી ઘટના હતી તે આઝાદીના 75 વર્ષ પછી પણ દેશના મોટાભાગના લોકોને તે અંગે જાણકારી ન હતી. સેંગોલ એ સતાના હસ્તાંતરણનું પ્રતિક બની ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જયારે આ માહિતી મળી તો તેઓએ તેની તપાસ કરાવી અને તામિલનાડુમાંથી સેંગોલ લાવવામાં આવ્યું. આ સેંગોલનો અર્થ સંપદાથી સંપન્ન તેવો થાય છે અને તે હવે લોકસભામાં અધ્યક્ષની ખુરશી પાસે રાખવામાં આવશે.