ભારતમાં અત્યારે કાયદાની છટક બારીનો સૌથી વધુ ફાયદો જાણે કે નેતાઓ જ ઉઠાવી રહ્યા છે. માત્ર બે ચોપડી ભણેલા લોકો અત્યારે નેતા બનીને દેશની કરોડોની સંપત્તિ હડપ કરી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. અત્યારે દેશમાં ચૂંટણીનો ખરેખરો માહોલ જામ્યો છે, ત્યારે ફરીથી પાટલી બદલું નેતાઓએ તેમનો અસલી રંગ દર્શાવ્યો છે.
ગત તા. 11 ડિસેમ્બરથી લઈને આજ દિન સુધી ભાજપના 17 મોટા નેતાઓ પાર્ટી છોડીને સમાજવાદી પક્ષમાં જોડાઈ ચુક્યા છે. જેમાં યોગી સરકારના 1 કેબિનેટ મંત્રી સહીત 11 ધારાસભ્યો પણ સામેલ છે.
- Advertisement -
મૂળે, ઉત્તર પ્રદેશ ભાજપમાંથી સ્વામી પ્રસાદ મોર્યના રાજીનામાં બાદ ભાજપના વધુ 7 ધારાસભ્યો પણ રાજીનામાં આપી શકે છે. જેમાં રોશનલાલ વર્મા જ ખુદ સ્વામી પ્રસાદ મૌર્યનું રાજીનામુ આપવા ગયા હતા. ભાજપમાં તાજેતરમાં પક્ષ પલટો કરનારામાં સ્વામી પ્રસાદ એ સૌથી જાણીતો ચહેરો છે. યોગી સરકારમાં સેવા વિભાગ સાંભળતા પ્રસાદ આજે સપાની સાઇકલમાં સવાર થઇ ગયા હતા. ભાજપ પૂર્વે તેઓ બહુજન સમાજ પાર્ટીમાં સભ્ય હતા. વર્ષ 2007 થી 2012 માટે તેઓ માયાવતી સરકારના મંત્રી પણ હતા.
સમાજવાદી પાર્ટીએ આ વખતની ચૂંટણીમાં નવી ઘોડી ને નવો દાવ રમ્યો છે. યાદવો અને મુસ્લિમોનું રાજકારણ મૂકીને ભાજપની રણનીતિ અપનાવી છે. વર્ષ 2017 ની ચૂંટણીમાં પણ દલિતોએ ભાજપને જ સાથ આપ્યો હતો.
સપા માટે અત્યારે તો યાદવોના માટે લગભગ નક્કી જ માનવામાં આવ્યા છે. હવે તેમણે બિન યાદવો, ખાસ કરીને બ્રામ્હણોના માટે પોતાને મળે તેવી આશા વ્યક્ત કરી છે. સપા ઠાકુરોને મૂકીને ઓબીસીમાં પોતાનો રંગ જમાવવા માંગે છે. આમ તેઓએ ભાજપનો જ દાવ આ વખતે પોતાના માટે રમ્યો છે. સપાના નવા નેતાઓ પણ પોતાનું મનપસંદ પદ મેળવવા માટે તલપાપડ બન્યા છે.