ઉદય માહુરકરના પુસ્તકમાં થયો ખુલાસો ‘મારી રાષ્ટ્રની પ્રથમ કલ્પના’ પુસ્તકમાં નરેન્દ્ર મોદીના શાસન મોડેલ અને તુષ્ટિકરણની રાજનીતિના વિનાશક પરિણામોની તથ્યાત્મક છણાવટ
ઘૂસણખોરીને વાજબી ઠેરવતા પંડિત નેહરુના નિવેદન પર સાવરકરની કડક પ્રતિક્રિયા, ઇતિહાસના દબાયેલા પ્રકરણો અને સ્યુડો સેક્યુલરિઝમની નીડર સમીક્ષા કરતું પુસ્તક
- Advertisement -
એપ્રિલના અંતે રાજ્ય સરકારોની ચુંટણી પૂરી થવાની છે. આવતીકાલે 26મી એપ્રિલે સમગ્ર ગુજરાતની મહાનગર પાલીકાઓની ચુંટણીનું મતદાન છે. ગુજરાતમાં સતત ત્રણ દાયકાથી બધી ચુંટણીઓ ભાજપ જીતી રહ્યું છે. તેની પાછળ કોઈ એક કારણ નથી. પણ આજે એક એવા પુસ્તકની વાત કરવી છે જે આના કારણો સમજવામાં મહત્વનું બની રહેશે. લેખક ઉદય માહુરકરનું પુસ્તક ‘મારી રાષ્ટ્રની પ્રથમ કલ્પના તાજેતરમાં જ નવભારત સાહિત્ય મંદિરે ગુજરાતીમાં પ્રકાશિત કર્યું છે.
લેખક ઉદય માહુરકર અનુભવી પત્રકાર છે. તેમણે અમદાવાદમાં ‘ઇન્ડિયા ટુડે’ મેગેઝિનમાં 28 વર્ષ કામ કર્યું છે. તેઓને છેલ્લા 35 વર્ષથી નરેન્દ્ર મોદીના શાસનના મોડેલની સમજ છે. તેમણે વડાપ્રધાનના શાસન મોડેલ ઉપર અગાઉ બે પુસ્તકો લખ્યા છે. ‘સેન્ટર સ્ટેજ: ઇન સાઈડ ધ નરેન્દ્ર મોદી મોડેલ ઓફ ગર્વનન્સ’ અને ‘માર્ચિંગ વિથ અ બિલિયન’. એ સિવાય એમણે સહલેખક સાથે સાવરકર પર પણ પુસ્તક લખ્યું છે.
લેખકે આ પુસ્તકમાં કોંગ્રેસે શરૂ કરેલી તૃષ્ટીકરણની રાજનીતીના મૂળ, ઉદય અને વિનાશક પરિણામોની ટીકાત્મક, તથ્યાત્મક અને નીડર છણાવટ રજૂ કરી છે. એ તો સૌ જાણે જ છે કે ભારતના ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. સદીથી આપણે સ્યુડો સેક્યુલર અને તૃષ્ટીકરણની લુપ્ત ઇતિહાસ ભણી રહ્યા છીએ. પરંતુ 2014 પછી મોદી સરકાર આવતા અને સજ્જડ બ્રેક લાગી છે. ઇતિહાસના એવા પ્રકરણો જેને દબાવી દેવામાં આવ્યા છે, એવી અનેક મહત્વની ઘટનાઓનું પુસ્તકમાં વિવરણ છે. સાવરકરનું પ્રકરણ ખૂબ જ રસપ્રદ છે. તેમાં લેખક માત્ર સાવરકરના વિચારો જ રજૂ કરે એવું નથી, પણ તટસ્થતાથી તેની મર્યાદાઓ પણ સ્વીકારી છે. પૂર્વોત્તર રાજ્યમાં બાંગ્લાદેશમાંથી ઘુસણખોરી વિશે સાવરકરે ત્યારે જ આગાહી કરી હતી.
લેખકે મહાન સ્વાતંત્ર્યસેનાની અને ક્રાંતિકારી વીર સાવરકરને ભારતની સુરક્ષાના પ્રતીક તરીકે રજૂ કર્યા છે અને ભારત માટેના રાષ્ટ્રીય સુરક્ષાનાં જોખમો વિશે સાવરકરની આગાહીઓની આસપાસ વણાયેલા મજબૂત પુરાવાઓ રજૂ કર્યા છે. લેખકના મતે એ બધી આગાહીઓ સાચી પડી છે. 1940ના દાયકામાં પૂર્વ બંગાળ (આજના બાંગ્લાદેશ)થી આવતા ઘૂસણખોરો બ્રહ્મપુત્રા ખીણમાં પૂરની જેમ ઊમટી રહ્યા હતા અને તેમનાથી આસામની સંસ્કૃતિ અને ભારતની ઈશાન સરહદની સુરક્ષા માટેના ખતરા વિશે સાવરકરની ચેતવણીથી તેઓ ખાસ પ્રભાવિત થયા છે. સાવરકર દ્વારા અપાયેલી આટલી વહેલી ચેતવણી તેમને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સંસ્કૃતિના મહાન સ્વપ્નદ્રષ્ટા તરીકે અલગ પાડે છે, કારણ કે તેઓ આસામની બહારના એકમાત્ર નેતા હતા, જેમણે આસામ અને ઈશાન ભારત માટેના આ ભવિષ્યના ખતરાને આટલી સ્પષ્ટ રીતે જોયો હતો. તે સમયે પંડિત જવાહરલાલ નેહરુ સાથેનું તેમનું શાબ્દિક દ્વંદ્વયુદ્ધ પણ રસપ્રદ છે. એ વખતે નેહરુએ એમ કહીને ઘૂસણખોરીને વાજબી ઠેરવી હતી કે ‘પ્રકૃતિ ખાલી જગ્યાને ધિક્કારે છે’ અને સાવરકરે તેમની પોતાની લાક્ષણિક કડક શૈલીમાં પ્રતિક્રિયા આપી હતી કે ‘પર્યાવરણ વિશે પંડિત નેહરુનું જ્ઞાન ખૂબ જ નબળું છે, કારણ કે પ્રકૃતિ ઝેરી ગેસને પણ ધિક્કારે છે.
બીજા એક પ્રકરણમાં વહાબી ચળવળને ખૂબ સચોટ રીતે આલેખવામાં આવી છે. જે ભારત વિરોધી તત્વોને કેવી રીતે મદદ કરે છે. આવા અનેક વિષયો ઉપર લેખકે પ્રકરણો લખ્યા છે. છેલ્લા એક દસકમાં હિંદુત્વ અને રાષ્ટ્રવાદનું જે વાવાઝોડું કૂંકાયું છે તેને સમજવા આ પુસ્તક અતિ મહત્વનું બની રહે છે. અત્યારે બંગાળમાં પણ રાજ્ય સરકારની ચુંટણી થઈ રહી છે. ત્યારે ચુંટણી સભામાં ભારતના ગૃહમંત્રી ખુલ્લે આમ કહે છે. કે મમતા તેમના સમર્થક સાંસદોની સલાહ મુજબ બંગાળમાં બાબરી મસ્જીદ ફરીથી બનાવવા ઇચ્છે છે. ત્યારે બંગાળમાં જઈ આપણા ગૃહમંત્રી ખુલ્લે આમ બોલી શકે છે કે ભારતમાં બીજી બાબરી નહીં બનવા દઇએ. કદાચ આટલું ખુમારી પૂર્વક આપણા અગાઉના કોઇ ગૃહપ્રધાન જાહેરમાં બોલી શક્યા નથી. કારણકે અગાઉની સરકારોને મુસ્લીમ તૃષ્ટીકરણ તેમના રાજકારણ કે વોટબેંકનો મુખ્ય પાયો હતો.
આમ, આજના રાષ્ટ્રવાદી, હીન્દુવાદી વાચકોએ આ પુસ્તકો અચૂક વાચવું જોઇએ.



