આસામના ગુવહાટીમાં નેશનલ ફોરેન્સિક લેબોરટરીનો શિલાન્યાસ કરતાં ગૃહમંત્રી અમિત શાહે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 300 બેઠકો મળવાનું અનુમાન કર્યું છે.
લોકસભાની ચૂંટણીને બરાબર એક વર્ષની વાર છે. મે 2024માં દેશમાં લોકસભાની ચૂંટણી થશે પરંતુ પહેલા નરેન્દ્ર મોદીના ત્રીજી વાર પીએમ બનવાની ચર્ચા શરુ થઈ છે. ગઈ કાલના એક સર્વમાં પણ નરેન્દ્ર મોદીને ત્રીજી વાર સત્તા મળશે તેવું કહેવાયું હતું અને હવે અમિત શાહે પણ આવો જ દાવો કર્યો છે.
- Advertisement -
VIDEO | This (National Forensic Sciences University) will not only benefit Assam and northeast, but also support the neighbouring countries near the eastern border,” says Union Home Minister Amit Shah after laying the foundation stone of National Forensic Sciences University… pic.twitter.com/vWOBqVDOCa
— Press Trust of India (@PTI_News) May 25, 2023
- Advertisement -
કોંગ્રેસને હાલ કરતાં પણ ઓછી બેઠક મળશે
આસામમાં જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 2024માં લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. અમિત શાહે પણ પોતાની રેલીમાં દાવો કર્યો છે કે કોંગ્રેસ આ વખતે પોતાની વર્તમાન સીટોથી ઓછા આંકડા સુધી પહોંચશે.
Cong won't be able to even secure its present tally in Lok Sabha in 2024: Shah in Assam rally
— Press Trust of India (@PTI_News) May 25, 2023
કોંગ્રેસ વિપક્ષનો દરજ્જો ગુમાવશે
અમિત શાહે પોતાના ભાષણમાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ ખૂબ જ નકારાત્મક વલણની રાજનીતિ કરે છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ આ નકારાત્મક વલણ સાથે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરી રહી છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ દેશભરમાં 300થી વધુ બેઠકો જીતશે અને કોંગ્રેસ પણ વિપક્ષી દળનો દરજ્જો ગુમાવશે. શાહે યાદ અપાવ્યું કે કોંગ્રેસના વડા પ્રધાનને સંસદમાં બોલવાની મંજૂરી નથી. ભારતીય લોકોએ પીએમ મોદીને આ અધિકાર આપ્યો છે. વડાપ્રધાનને માન ન આપીને તેઓ જનતાના નિર્ણયનું અપમાન કરી રહ્યાં છે. અમિત શાહે કહ્યું કે ભાજપે આસામની જનતાને વાયદો કર્યો હતો કે 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર 1 લાખ સરકારી નોકરી આપશે. માત્ર અઢી વર્ષમાં સરકારે 86 હજાર સરકારી નોકરીઓ આપી છે. બાકીની નોકરીઓ આગામી 6 મહિનાની અંદર આપવામાં આવશે.
ગઈ કાલના સર્વેમાં પણ પીએમને ત્રીજી વાર સત્તા મળશે તેવો કરાયો દાવો
ઉલ્લેખનીય છે કે ગઈ કાલના એક સર્વેમાં પણ દાવો કરાયો હતો કે લોકો નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનતાં જોવા માગે છે. એટલે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીતનું અનુમાન વ્યક્ત કરાયું હતું.