By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાએ સુમી નજીક 50,000 સૈનિકો ખડકી દીધા
    10 hours ago
    ટ્રમ્પની ચીમકી: જો આઈફોન અમેરિકામાં ન બને તો એપલ પર 25% ટેરિફ લાદીશું
    10 hours ago
    ‘દક્ષિણ આફ્રિકા પાછા જવું પડશે’: ‘અમેરિકા પાર્ટી’ની ધમકી બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્ક પર પ્રહાર કર્યા
    13 hours ago
    ઈરાન સાથે જોડાયેલા હેકર્સે ટ્રમ્પના સહાયકોના ઈમેલ જાહેર કરવાની ધમકી આપી
    14 hours ago
    પાકિસ્તાને ભારતને સિંધુ જળ સંધિ ફરી શરૂ કરવા વિનંતી કરી
    14 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુપીઆઈ પેમેન્ટની લોકપ્રિયતા સામે રિઝર્વ બેન્કની ડિજિટલ કરન્સી નિષ્ફળ
    9 hours ago
    આધાર, ટ્રેન બુકિંગ, PAN માટે આધાર ફરિજયાત, આજથી નવા નિયમો અમલમાં
    13 hours ago
    ઉત્તર પ્રદેશ એરપોર્ટ પર ઈન્ડિગો પ્લેનમાં મુસાફરોએ ‘પેટ્રોલ જેવી ગંધ’ની ફરિયાદ કરી ; ફ્લાઇટ રદ
    13 hours ago
    તમિલનાડુ/ શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 4 લોકોના મોત, પાંચ ઘાયલ થયા
    15 hours ago
    5 દેશો, 8 દિવસ: પ્રધાનમંત્રી મોદી 10 વર્ષમાં સૌથી લાંબા રાજદ્વારી પ્રવાસ પર નીકળશે
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હું સચિનને હંમેશા કહું છું કે મારા લીધે તારું નામ થયું છે: એલન લેમ્બે
    14 hours ago
    અલ નાસિરે રોનાલ્ડો સાથે બે વર્ષ માટે સ્પોર્ટ્સ ઇતિહાસનો સૌથી મોટો કરાર કર્યો
    2 days ago
    એશિયા કપ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે, યુએઈ યજમાન બનવાની અપેક્ષા છે
    2 days ago
    ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો
    5 days ago
    નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટનો ખિતાબ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શેફાલી જરીવાલાનું મૃત્યુ પાછળનું કારણ આવ્યું બહાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
    14 hours ago
    આજે પણ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો મારી સાથે યોગ્ય વર્તન નથી કરતા
    2 days ago
    ‘કાંટા લગા’થી ફેમસ થયેલી શેફાલીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો
    4 days ago
    અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે 42 વયે નિધન
    4 days ago
    પાકિસ્તાની સેન્સર બોર્ડે દિલજીત દોસાંજની ‘સરદાર જી 3’ને રિલીઝ માટે મંજૂરી આપી
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    5 days ago
    રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?
    5 days ago
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    2 weeks ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 weeks ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    10 hours ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાલેબાગની ઝુંપડી પાસે રોકાઈ જાય છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > શા માટે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાલેબાગની ઝુંપડી પાસે રોકાઈ જાય છે
ધર્મ

શા માટે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાલેબાગની ઝુંપડી પાસે રોકાઈ જાય છે

Khaskhabar Editor
Last updated: 2024/07/08 at 1:28 PM
Khaskhabar Editor 12 months ago
Share
6 Min Read
SHARE

જગન્નાથ રથયાત્રા 7 જુલાઈના રોજ થવા જઈ રહી છે. આ રથયાત્રા કોઈ તહેવારથી ઓછી નથી હોતી. રથયાત્રા દરમિયાન આવી ઘણી બાબતો બને છે, જેના વિશે ભાગ્યે જ કોઈને જાણકારી હશે. ત્યારે આજે જાણીએ રથયાત્રા સાથે જોડાયેલી કેટલીક વાતો, જેને જાણીને તમે ચોંકી જશો. ચાલો જાણીએ જગન્નાથ યાત્રા વિશેની 5 રહસ્યમય વાતો.

વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા જગન્નાથ યાત્રા 7 જુલાઇએ થવા જઈ રહી છે. દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ માસના શુક્લ પક્ષની બીજી તિથીએ કાઢવામાં આવે છે અને શુક્લ પક્ષની અગિયારસના દિવસે સમાપ્ત થાય છે. દસ દિવસીય રથયાત્રાનો કાર્યક્રમ કોઈ ઉત્સવથી ઓછો નથી હોતો. આ રથયાત્રામાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે હોય છે અને ત્રણેય માટે અલગ-અલગ રથ બનાવવામાં આવે છે. રથયાત્રામાં આગળ બલરામજીનો રથ, તેની પાછળ દેવી સુભદ્રાનો રથ અને પાછળ ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણનો રથ હોય છે. આજે અમે તમને ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે એવી પાંચ બાબતો જણાવીશું જે તમને ચોંકાવી દેશે.

- Advertisement -

અહીં આવીને અટકી જાય છે રથયાત્રા

ઢોલ નગારા સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે અને ઉત્સવનો માહોલ જોવા મળે છે. રથયાત્રા એક મજાર પર આવીને અટકી જાય છે. અહીં ત્રણેય રથ થોડા સમય માટે રોકાય છે અને મજારની પાસે મકબરમાં શાંતિથી આરામ કરી રહેલ આત્માઓને યાદ કરે છે અને તે પછી રથ તેના ગંતવ્ય તરફ આગળ વધે છે. વાસ્તવમાં તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે. દંતકથા અનુસાર, ભગવાન જગન્નાથના એક સાલબેગ નામના મુસ્લિમ ભક્ત હતા. સાલેબાગની માતા હિન્દુ હતી અને પિતા મુસ્લિમ હતા. મુસ્લિમ હોવાને કારણે, સાલબેગને જગન્નાથ રથયાત્રામાં સામેલ થવા દેવામાં આવતા ન હતા અને તેને મંદિરમાં પણ પ્રવેશ આપવામાં આવતો ન હતો.

ભગવાન જગન્નાથ સાલબેગની અતૂટ ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા. એકવાર જ્યારે જગન્નાથ પુરી રથયાત્રા માટે મથુરાથી સાલબેગ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ ખૂબ જ બીમાર થઈ ગયા. સાલબેગે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી કે તેઓ તેમને એકવાર તેમના દર્શન આપે અને રથયાત્રામાં સામેલ થવાની તક આપે. એવું કહેવાય છે કે જ્યારે રથ સાલબેગની ઝૂંપડી નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે ત્યાં જ અટકી ગયો અને લાખો પ્રયત્નો છતાં તે આગળ વધ્યો નહીં. બાદમાં સાલબેગે ભગવાન જગન્નાથની પૂજા કરી અને પછી રથ સરળતાથી આગળ વધી ગયો. ત્યારથી પરંપરા ચાલતી આવે છે કે રથ થોડો સમય સાલબેગની મજાર પાસે અટકશે અને પછી માસીના ઘર, ગુંડીચા મંદિર તરફ રથ આગળ વધે છે.

- Advertisement -

આ રીતે તૈયાર થાય છે ત્રણેય રથ

રથયાત્રા માટે જે રથ બનાવવામાં આવે છે તેનું કામ અક્ષય તૃતીયાથી શરૂ થાય છે. લીમડા અને હાંસીનાં ઝાડના લાકડાનો ઉપયોગ રથ બનાવવા માટે થાય છે. ત્રણ રથ બનાવવા માટે 884 ઝાડનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજારીઓ જંગલમાં જઈને ઝાડની પૂજા કરે છે, જેનો ઉપયોગ રથ માટે કરવામાં આવે છે. પૂજા પછી, ઝાડને સોનાની કુહાડીથી કાપવામાં આવે છે. આ કુહાડીને સૌથી પહેલા ભગવાન જગન્નાથની મૂર્તિને સ્પર્શ કરાવવામાં આવે છે. સોનાની કુહાડી વડે ઝાડ કાપવાનું કામ મહારાણા દ્વારા કરવામાં આવે છે.

અહીં સાત દિવસ સુધી રોકાય છે ભગવાન જગન્નાથ

જગન્નાથ રથયાત્રા શરૂ થયા બાદ ગુંડીચા મંદિરે પહોંચે છે. ગુંડીચા મંદિરને ગુંડિચા બારી પણ કહેવામાં આવે છે. આ ભગવાનની માસીનું ઘર છે. અહીં ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રા સાત દિવસ આરામ કરે છે. ગુંડીચા મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શનને આદપ દર્શન કહેવાય છે. ગુંડીચા બારી વિશે એવું કહેવાય છે કે અહીં જ દેવ શિલ્પી વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રાની મૂર્તિઓ બનાવી હતી. ગુંડીચા ભગવાન જગન્નાથના ભક્ત હતા. એવું માનવામાં આવે છે કે ભક્તિના સન્માનમાં ભગવાન દર વર્ષે તેમને મળવા આવે છે.

હેર પંચમીનું આ છે મહત્ત્વ

જગન્નાથ રથયાત્રાના ત્રીજા દિવસે એટલે કે પંચમી તિથિ પર હેરા પંચમીનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મી ભગવાન જગન્નાથને શોધવા આવે છે, જેઓ મંદિર છોડીને ભ્રમણ પર ગયા છે. પછી દ્વૈતપતિ દરવાજો બંધ કરી દે છે, જેના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને રથનું પૈડું તોડી નાખે છે. આ પછી તે ‘હેરા ગોહિરી સાહી પુરી’ નામના વિસ્તારમાં જાય છે, જ્યાં દેવી લક્ષ્મીનું મંદિર છે. બાદમાં ભગવાન જગન્નાથ દ્વારા ક્રોધિત દેવીને મનાવવાની પણ પરંપરા છે.

આને કહે છે બહુદા યાત્રા

રથયાત્રા એ એક સામુદાયિક ધાર્મિક ઉત્સવ છે. આ અવસર પર ઘરોમાં પૂજા-પાઠ કરવામાં આવતા નથી અને કોઈ પ્રકારનું વ્રત પણ રાખવામાં આવતું નથી. અહીં એક વાત જોઈ શકાય છે કે અહીં કોઈ પણ જાતનો જ્ઞાતિ ભેદભાવ નથી. જગન્નાથ મંદિર પાછા ન પહોંચે ત્યાં સુધી તમામ મૂર્તિઓ રથમાં જ રહે છે. જ્યારે અષાઢ માસની દસમી તિથીએ રથ મંદિરે જવા નીકળે છે ત્યારે રથની પરત યાત્રાને બહુદા યાત્રા કહેવામાં આવે છે. એકાદશી પર મંદિરના દરવાજા ખોલવામાં આવે છે, પછી ધાર્મિક સ્નાન કર્યા પછી જ તેની ફરીથી પ્રતિષ્ઠા કરવામાં આવે છે.

You Might Also Like

100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ

રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?

કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે

ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો

વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો

TAGGED: Jagannathji Rath Yatra, Rath Yatra 2024, Salebagh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અનંત-રાધિકાના લગ્નમાં બોલીવુડ શિંગર્સ સજાવશે સુરોની મહેફિલ
Next Article HIV સંક્રમણને 100% ઠીક કરતું ટ્રાયલ સફળ રહ્યું,માત્ર બે ડોઝ લેવાના રહેશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરત

ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ- ગેમિંગનો કરોડોનો ચાલતો બિન્દાસ વેપલો !

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
વડાળી ગામે પવનચક્કી માટે નાખેલા અનેક વીજપોલ જમીનદોસ્ત થયા
જયનાથ હોસ્પિટલની અનોખી પહેલ: આજે તા.1 જૂલાઈ ‘ડૉકટર્સ ડે’થી સેવાયજ્ઞનો શુભારંભ
રાજકોટ તાલુકાના બેટી પારેવાળા ગામનો પુલ જર્જરિત: તાત્કાલિક નવો બનાવવા માગ
રાજકોટમાં પીસીબીની દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસ: ત્રણ દરોડામાં 7.82 લાખના દારૂ સાથે ત્રણ ઝડપાયા
લુખ્ખાઓ બેફામ: નાના મવા સર્કલ પાસે વેપારીને આંતરી 20 હજારની લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ધર્મ

રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ધર્મ

કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?