હાલ ગુજરાતમાં કુલ વસ્તીના 41% લોકોને તમાકુ વ્યસનની આદત છે તેમાં પણ એક ટકાને કેન્સરના લક્ષણો જોવા મળતા હોય છે ત્યારે એસટી નિગમમાં પણ કર્મચારીઓને વ્યસનની આદત હોય છે જેથી આવી બદી દૂર કરવાના હેતુસર વાંકાનેર ડેપો ખાતે સીટી ડેન્ટલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નિગમના કર્મચારીઓને વ્યસનની આદત હોય તે દૂર કરવા માટે કેમ્પનું ઇન્ચાર્જ ડેપો મેનેજર જયુભા ડી. જાડેજા ની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવેલ હતું જેમા વાંકાનેર ડેપો ના એ.ટી.આઇ. રહીમભાઈ પરમાર તથા હકુવિરસિંહ પરમાર, જે.જે. જાડેજા, મહંમદભાઇ સમા, જયદેવસિંહ ઝાલા, અનિલભાઈ પટેલ, જયેશભાઈ પંડિયા, હમિદભાઈ કાદરી અને મિકેનિક સ્ટાફ કર્મચારી તથા ડેપોના હાજર રહેલ તમામ ડ્રાઈવર કંડકટર ભાઈઓ તથા બહેનોએ કેમ્પનો લાભ લીધો હતો.
વાંકાનેર S.T. ડેપોમાં વ્યસન મુક્તિ માટે સિટી ડેન્ટલ હૉસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો

Follow US
Find US on Social Medias