By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળે ફેસબુક અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો: શું છે મુદ્દો અને શા માટે પ્રતિબંધ
    23 hours ago
    ભારત અને પાકિસ્તાનમાં વરસાદને કારણે પૂરનો ખતરો વધ્યો
    23 hours ago
    યુક્રેન શાંતિ માટે રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપવા ભારત તૈયાર, યુએનમાં રાજદૂતનું નિવેદન
    23 hours ago
    ઇટાલિયન ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે અવસાન
    23 hours ago
    જયશંકર યુક્રેનિયન વિદેશ મંત્રીને મળ્યા, સંઘર્ષ સમાપ્ત કરવાના પ્રયાસો પર ચર્ચા કરી
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પંજાબમાં 1655 ગામ-23 જિલ્લા પાણીમાં ગરકાવ: 43નાં મોત થયા
    18 hours ago
    પાકિસ્તાનથી 400 કિલો RDX સાથે 14 આંતકવાદી મુંબઈમાં ઘૂસ્યા ગણેશ વિસર્જન પર હ્યુમન બોમ્બ બ્લાસ્ટની ધમકી
    21 hours ago
    કોંગ્રેસે બાળકોની ટોફી પર પણ 21% ટેક્સ લગાવ્યો, હવે અમારી પાસે છે…: GST સુધારા પર પ્રધાનમંત્રી મોદીનું નિવેદન
    23 hours ago
    જયશંકર યુક્રેનિયન વિદેશ મંત્રીને મળ્યા, સંઘર્ષ સમાપ્ત કરવાના પ્રયાસો પર ચર્ચા કરી
    23 hours ago
    ‘તમારી હિંમત કેવી રીતે થઈ, હું ડેપ્યુટી સીએમ છું’ અજિત પવાર અને મહિલા IPS વચ્ચે ફોન પર ઊગ્ર બોલાચાલી
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમિત મિશ્રાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
    2 days ago
    IPL જોવું હવે પડશે મોંઘું! ટિકિટ પર 40 % GST લાગશે
    2 days ago
    ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં તપાસ એજન્સી દ્વારા શિખર ધવનને સમન્સ પાઠવવામાં આવ્યું
    2 days ago
    ‘4 જૂન જેવું હૃદયદ્રાવક…’: બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર વિરાટ કોહલીનું નિવેદન
    3 days ago
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શિલ્પા શેટ્ટીએ લાલબાગ ચા રાજા પંડાલમાં મહિલા પોલીસકર્મીની સેલ્ફીની વિનંતી નકારી
    22 hours ago
    દયાભાભી પહોંચ્યા લાલબાગ ચા રાજાના દર્શને
    2 days ago
    સુહાના ખાન પર ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદેસર રીતે ખરીદિ કરવાનો આરોપ
    3 days ago
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    4 days ago
    ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈમાં ગણપતિના દર્શન કરવા પહોંચી પણ થઈ ટ્રોલ
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    4 days ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    4 days ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    1 week ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    1 week ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    પુજારાની સંપત્તિમાં વિક્રમજનક વધારો!
    18 hours ago
    PBAS રિપોર્ટ પહેલાં જ પ્રોબેશન પર રહેલા ડૉ. તરલિકા ઝાલાવડિયાને અધ્યક્ષ બનાવાયા
    18 hours ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનમાંથી માત્ર 5માં જ ‘હેડશિપ બાય રૉટેશન’ પદ્ધતિ શા માટે અમલમાં મૂકી?
    3 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    4 days ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વામી વિવેકાનંદના અજાણ્યા સત્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સ્વામી વિવેકાનંદના અજાણ્યા સત્યો
Author

સ્વામી વિવેકાનંદના અજાણ્યા સત્યો

Khaskhabar Editor
Last updated: 2025/07/05 at 4:40 PM
Khaskhabar Editor 2 months ago
Share
14 Min Read
SHARE

રવિકુમાર સોલંકી

સ્વામી વિવેકાનંદે માત્ર ધર્મના મંચ પર ભારતને ગૌરવ અપાવ્યું નહિ, પણ પશ્ર્ચિમના હૃદયમાં ભારતીય ચિંતન માટે જગ્યા બનાવી હતી

- Advertisement -

સંસ્કૃતિના ઊંડાણમાં ઊતરેલા સંત, યુવા ઉર્જાનો જીવંત પ્રતીક અને સમગ્ર વિશ્વ સમક્ષ ભારતના તત્વજ્ઞાનની ઉચ્ચારધ્વનિ એ નામ છે સ્વામી વિવેકાનંદ. જેમણે માત્ર ધર્મના મંચ પર ભારતને ગૌરવ અપાવ્યું નહિ, પણ પશ્ચિમના હૃદયમાં ભારતીય ચિંતન માટે જગ્યા બનાવી. તેમના વિચારો આજે પણ યુવાનો માટે માર્ગદર્શક છે અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રેરક છે. તેઓ માત્ર એક સંન્યાસી ન હોતા, પરંતુ ભારતની સંસ્કૃતિ, તત્વજ્ઞાન અને આધ્યાત્મિક વિભૂતિના જીવંત દૂત હતા. તેમણે શિકાગો વિશ્વ ધર્મ સંમેલનમાં જે ભાવપૂર્વક માઈ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઑફ અમેરિકાથી ભાષણ શરૂ કર્યું, એ સાથે જ ભારતીય વિચારધારાના તથ્યો જગતમાં ગુંજવા લાગ્યા. આવો, આપણે તેમના જીવનના મહત્ત્વપૂર્ણ તથ્યોને ઓળખી, વિશ્વપટલ પર ભારતના અવાજની અનુભૂતિ કરીએ. આવા યુગપ્રવર્તકના જીવન અને વિચારોની યાત્રામાં અમુક તથ્યો દુનિયા સામે આવ્યા નહીં એ લેખ દ્વારા આપની સમક્ષ મૂકી રહ્યો છું

નરેન્દ્રની સગાઇ અને આધ્યાત્મિક વળાંક:
નરેન્દ્રનાથ દત્ત (સ્વામી વિવેકાનંદના યુવાનીના વર્ષો) સંસ્કારી, ભાવુક, અત્યંત પ્રજ્ઞાવાન યુવક તરીકે જાણીતા હતા. તેમની પૌરાણિક શિક્ષણ સાથે સંગીત, નાટ્ય, કાવ્ય અને તત્વજ્ઞાનમાં દક્ષતા હતી.આ સમયે તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળે એમના માટે એક સુશીલ યુવતી પસંદ કરી. જે આર. મિટ્રા નામના વ્યક્તિ દીકરી હતી. બંને પરિવારોમાં સગાઇ નક્કી થઇ. પરંતુ એ જ સમય દરમ્યાન નરેન્દ્રના જીવનમાં રામકૃષ્ણ પરમહંસજી આવ્યા. રામકૃષ્ણજીની સાથેની સંઘર્ષભરી સિદ્ધિએ તેમને અંતર્મુખ બનાવી દીધા. એ સમયે રામકૃષ્ણજી કહેતા: “સાચો બ્રહ્મચારી એ છે જે સ્ત્રી કે પૃથ્વી કોઈના આકર્ષણમાં ન આવે. જે બહારનું બધું છોડીને અંતરાત્મામાં સ્થિર થાય.”વિવેકાનંદે આત્મમનન કર્યા બાદ સગાઇ તોડી નાખી. તે છોકરીના પણ જલ્દી અન્યત્ર લગ્ન થયાં પરંતુ વિવેકાનંદ સંપૂર્ણ વિરક્ત બની ગયા. એ પગથિયું તેઓ માટે સંસારી જીવનમાંથી આધ્યાત્મિક માર્ગ તરફ અમુક નક્કર વળાંક હતો.
બ્રહ્મચર્યની પરીક્ષા – એક સ્ત્રી દ્વારા લાલચ

વિવેકાનંદ હવે સંન્યાસી બની ગયા હતા. તેમની જીવનશૈલી, પ્રસંગો, પ્રતિભા અને શિષ્ટાચારને જોઈને કેટલાક જૂના મિત્રો અને જાણીતાઓમાં અવિશ્વાસ થતો કે કોઈ યુવક આટલી ઉમરે કેટલી ગંભીરતા અને શૌચથી જીવશે ? કેટલાક મિત્રોએ દુ:ખદ રીતે એમની નૈતિકતા અને બ્રહ્મચર્યની નિષ્ઠાની પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો. તેમણે એક સુંદર સ્ત્રીને રીઝવીને વિવેકાનંદ પાસે મોકલવાની યોજના કરી. સ્ત્રીને કહેવામાં આવ્યું કે “તમે તેમનામાં માનવતત્વ મૂળ સ્વરૂપને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. જો તેઓ સાચા બ્રહ્મચારી હશે, તો તેઓ તમારી નજીક પણ નહિ આવે.સ્ત્રી એમની સમક્ષ ગઈ. લાલચ, નમ્રતાથી વશ કરવાનું અભિનય કર્યો. પરંતુ વિવેકાનંદ જાણે બધું પહેલાથી જાણતાં હોય એમ, એક ક્ષણમાં ઉભા થઈ ગયા. તેઓ કહ્યું : “માતા, આપ મારા સમક્ષ આવી, એજ મને આશીર્વાદરૂપ છે. હું તો મારા જીવનમાં દરેક સ્ત્રીમાં દિવ્ય માતૃત્વ અને શક્તિના રૂપે ઈશ્વરીય દર્શન કરું છું. એ સ્ત્રી એ શબ્દ સાંભળીને સ્તબદ્વ થઇ ગઈ. એમને પસ્તાવો થયો પછી તેમણે પોતાના મનથી કબૂલાત કરી અને પોતે પણ સંન્યાસી બની અને વિવેકાનંદના માર્ગે ધર્મસેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.

- Advertisement -

લીમડીના જંગલમાં તાંત્રિકોનો ષડયંત્ર અને વિવેકાનંદની બુદ્ધિ:
ભારતના સંતો અને સન્યાસીઓની પરંપરામાં સ્વામી વિવેકાનંદનું નામ અત્યંત ગૌરવભર્યું છે. તેઓ માત્ર એક આધ્યાત્મિક સંન્યાસી જ નહોતા, પણ એક તીક્ષ્ણબુદ્ધિ અને નિર્ભય વ્યક્તિત્વના ધારક હતાં. આવા વિવેકાનંદજીના જીવનનો એક અનોખો પ્રસંગ ગુજરાતના લીમડીમાં ઘટ્યો હતો, જે આજે પણ તેમના ધૈર્ય અને ચાતુર્યની જીવંત સાક્ષીરૂપ છે. સ્વામી વિવેકાનંદ એક યુવાન સંન્યાસી તરીકે ભારતભરની યાત્રા પર હતા. તેઓ ધર્મ, સંસ્કૃતિ અને જનજીવનને નજીકથી સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ સમયે તેઓ લીમડીની સીમામાં આવેલા એક ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમના બ્રહ્મચર્યની તેજસ્વી છબી અને આધ્યાત્મિક શક્તિની ખ્યાતિ આજુબાજુના પ્રદેશોમાં વિસ્તરેલી હતી.એ જંગલમાં કેટલાક તાંત્રિકો એક ગુપ્ત વિધિ માટે એકત્રિત થયા હતાં. તેઓએ નરેન્દ્રનાથને ધર્મવિષયક વાતો કહીને એક ગુપ્ત સ્થળે લઈ જવાનો પ્રયાસ કર્યો. સ્વામીજીની તીક્ષ્ણ અંતર્દૃષ્ટિએ હજી પહેલા જ શંકાની રેખા દોરી હતી. છતાં, તેઓ શાંત રહ્યાં અને તેમના સાહિત્ય અને દાર્શનિક સ્વભાવ મુજબ વાતચીત કરીને તાંત્રિકોની મનોદશાને પરખવા લાગ્યા. જ્યારે તેમણે આસપાસના વાતાવરણમાં અગ્નિકુંડ અને વિધિની રહસ્યમય તૈયારી જોઈ, ત્યારે તેમને બધું સ્પષ્ટ થઈ ગયું.
સ્વામી વિવેકાનંદ નાની ઉમરે જ તર્કશક્તિથી પરિચિત હતા, તેઓએ હાર્બર્ટ સ્પેન્સર અને હેગલ જેવા પશ્ર્ચિમી તત્વજ્ઞાનના ગ્રંથો ઊંડાણથી અભ્યાસ કર્યા હતા

તેઓ બલિ માટે પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમણે કોઇ ઉથલપાથલ દેખાડ્યા વગર બુદ્ધિપૂર્વક એક યોજના ઘડી. તેમણે તાંત્રિકોને કહ્યું કે તેઓ થાકી ગયા છે અને તેમને થોડું પાણી જોઈએ. જ્યારે એક તાંત્રિક પાણી લેવા ગયો, ત્યારે સ્વામી વિવેકાનંદે પાસે પડેલા એક ગોળાના ઠીકરા પર સંદેશ લખ્યો: “હું નરેન્દ્રનાથ દત્ત, તાંત્રિકોના હાથમાં ફસાયો છું. કૃપા કરીને મને બચાવો. આ સંદેશો એક દીકરીના હાથથી લીમડીના રાજાને પહોંચાડવામાં આવ્યો. રાજા આ વાત સાંભળી તરત જ સૈનિકોને જંગલ તરફ રવાના કર્યા. તેઓ સમયસર પહોંચ્યા અને તાંત્રિકોના ષડયંત્રનો ભાંડાફોડ કરી સ્વામી વિવેકાનંદને સુરક્ષિત રીતે બહાર લાવ્યા. વીર સૈનિકોની વચ્ચે જ્યારે સ્વામી વિવેકાનંદ લીમડીના રાજાના દરબારમાં પહોંચ્યા, ત્યારે રાજાએ તેમનું સન્માન કર્યું અને તેમની બુદ્ધિ, નિર્ભયતા અને આધ્યાત્મિક શક્તિની પ્રશંસા કરી. જવાબમાં નરેન્દ્રનાથે સહજતાથી કહ્યું:(“આ બધું માતા કાલીની કૃપા અને મારા ગુરુ શ્રી રામકૃષ્ણપરમહંસના આશીર્વાદથી શક્ય બન્યું. બ્રહ્મચર્ય અને સંયમ જ મારા વાસ્તવિક રક્ષણકવચ છે.

તર્ક પછી શ્રદ્ધાનો ઉછાળો – અમરનાથ યાત્રા:
સ્વામી વિવેકાનંદ નાની ઉમરે જ તર્કશક્તિથી પરિચિત હતા. તેઓએ હાર્બર્ટ સ્પેન્સર અને હેગલ જેવા પશ્ચિમી તત્વજ્ઞાનોના ગ્રંથો ઊંડાણથી અભ્યાસ કર્યા હતા. આ બંને લોજિકલ નાસ્તિકવાદ અને રેશનાલિઝમના મુખ્ય ધુરંધર માનવામાં આવે છે અને તેઓ આત્મા-ઈશ્વર જેવા પ્રશ્ર્નોને શૂન્ય સમજતા હતા. એક સમયે વિવેકાનંદે સ્પેન્સરને પત્ર લખી એક મૌલિક પ્રશ્ર્ન પૂછ્યો: “તમે કહો છો કે બધું વિશ્લેષણ, લોજિક અને ભૌતિક નિયમોથી સમજાવાય છે, તો પછી પ્રેમ કેમ છે? શાંતિ શું છે? અને મૃત્યુ પછી પણ આત્માનું અનુભવવાનું શું કારણ છે? આ પ્રશ્ર્નો એટલાં ઊંડા અને અસાધારણ હતા કે સ્પેન્સર પણ ખુલ્લા શબ્દોમાં લખે છે – “તમે જે પ્રશ્ર્ન ઉઠાવ્યા છે એ મને વિચારમાં મુકી દે છે. તર્ક મર્યાદિત છે.
વિવેકાનંદે માત્ર પુસ્તકોથી નહીં, જીવનથી અનુભવો મેળવ્યા. 1898ના આસપાસ તેઓ તિર્થયાત્રા પર ગયા ખાસ કરીને અમરનાથ યાત્રા. જેમજ તેઓ બરફયુક્ત પર્વતો ચઢતાં ગલગલાતાં ગયા તેમ તેમ તેમની અંદર એક રહસ્યમય શાંતિ પ્રસરે છે. અને એક દિવસે જ્યારે તેઓ અમરનાથની ગુફા સુધી પહોંચ્યા તેઓએ ભીતરમાં સ્વયંશિવના દર્શન કર્યા. સ્વામીજી પોતે લખે છે:”એ દ્રશ્ય એવું હતું કે હું રડી પડ્યો. ભગવાન શિવ પોતે મારા અહમને ભસ્મ કરી રહ્યાં હોય એવી અનુભૂતિ થઈ. તેઓ તબિયતથી નબળા હતા, પણ એવી ઉર્જા અનુભવવા લાગ્યા કે અમરનાથથી પાછા ફરીને તત્કાળ ઉચ્ચ ભારતીય તત્વજ્ઞાનના પ્રવચનો શરૂ કર્યા. તેઓએ કહ્યું: “જ્યાં સુધી તમારું તર્ક તમને આગળ લઈ જાય, ત્યાં સુધી જાઓ. પણ જ્યાં તર્ક અટકી જાય, ત્યાંથી શ્રદ્ધા શરૂ થાય છે. અને એ શ્રદ્ધા જીવંત છે.
દલિતોને જનોઈ ધારણ કરાવવાનો

ઐતિહાસિક ક્ષણ:
એક વખત સ્વામી વિવેકાનંદો રામકૃષ્ણ મિશનના કેટલાક કાર્યકરો સાથે દક્ષિણ ભારતમાં એક ગામે ગયા હતા. ત્યાં એક સદીઓથી દલિત સમુદાય શિક્ષણમાંથી, પૂજાથી, મંદિર પ્રવેશથી વંચિત હતો. આ લોકોને જીવનમાં એક નવી આશા જાગી હતી – “અમે પણ અધ્યાત્મના હકદાર છીએ! સ્વામી વિવેકાનંદે કહ્યું: “ભગવાનનો જે પણ પથ છે. તે દરેક માટે ખુલ્લો છે. તો પછી જનોઈ જે આધ્યાત્મિક ઉત્થાનનો ભાગ છે, એ પણ દરેક માટે ખુલ્લો હોવો જોઈએ. ત્યાં ગામમાં એક સામુહિક યજ્ઞ યોજાયો. દલિત સ્ત્રી-પુરુષો સાથે સહભાગી બન્યા. સ્વામીજીએ જાતે તેમનો સંસ્કાર કરાવ્યો. ઉપનયન સંસ્કાર, અને કહ્યું: “આપ હવે ’શ્રોત્રીય’ છો – શાસ્ત્રનો પાઠ સાંભળવાનો અને આત્મા તરફ આગળ વધવાનો અધિકાર આપને છે. લોકો હાકલાવવાની અને વિરોધ કરવાની તૈયારીમાં હતા. કેટલીક કાયમી માન્યતાઓ ધરાવતા પંડિતો પણ ઠપકો આપતા હતા. સ્વામીજી બોલ્યા: “જ્યાં સુધી કોઈ ભાઈ ભટકી રહ્યો છે ત્યાં સુધી હું પણ મુક્ત નથી. સાચો ધર્મ એ છે, જ્યાં
ભેદ નથી.

સ્વામી વિવેકાનંદે ન માત્ર આ અન્યાયની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો, પરંતુ નક્કર પગલાં લઈને સમાજમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો
જે ભગવાન શમશાનમાં છે તે મંદિરમાં કેમ નહિ? 19મી સદીના અંતમાં, ભારતમાં જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતા સમાજની નસોમાં ઊંડે રહેલી હતી. દલિત સમુદાયને મંદિરોમાં પ્રવેશ, શિક્ષણ અને સામાજિક સન્માનથી વંચિત રાખવામાં આવતો હતો. આવા સમયમાં, સ્વામી વિવેકાનંદે ન માત્ર આ અન્યાયની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો, પરંતુ નક્કર પગલાં લઈને સમાજમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો. તેમના જીવનનો એક નોંધપાત્ર પ્રસંગ હતો દલિતોને સામૂહિક જનોઈ ધારણ કરાવવાનો, જે તેમના સામાજિક ન્યાય અને સમાનતા પ્રત્યેના અડગ સંકલ્પને દર્શાવે છે.
શરીર થાકી ગયું, પણ આત્મા જીતી ગયો:
સંન્યાસ લેતા પહેલા તેઓ વિદ્વાન નરેન્દ્ર હતા – દમદાર શરીર, તેજસ્વી ચહેરો અને પ્રખર તર્કબળ ધરાવતા. પરંતુ જેમજ તેમણે જીવનમુદ્દો પસંદ કર્યો “માનવસેવા એજ ઇશ્વરસેવા” તેમ તેમ શરીર ભાંગવા લાગ્યું. સ્વામીજીને 32 જાતના રોગો હતા. એક વખત શિષ્યોએ પૂછ્યું: “ગુરુજી, આટલી બધી પીડા હોય છતાં તમે રોજ પ્રવચન કેમ આપો છો? વિશ્વપ્રવાસ કેમ કરો છો?”સ્વામીજી સ્મિતથી બોલ્યા: “મારું શરીર એક સાધન છે – કામ પુરું થાય ત્યાં સુધી ભેગું રાખવું પડે. તેમણે એક વાર વેદાંત ઈજ્ઞક્ષલયિતત માં 16 દિવસ સતત વ્યાખ્યાન આપ્યા હતા – જ્યારે તેઓને કિડનીમાં દુખાવા અને ઉલટી થતી હતી. એક દિવસ તેઓ લન્ડનમાં સ્ટેજ પર જ ઊભા રહી ન શક્યા – શરીર ધ્રૂજતું હતું એમના સંબોધન પછી એક ડોક્ટર કહ્યું: “તમે તો ઈંઈઞમાં હોવા જેવા છો! વિવેકાનંદ મ્હાલવી હાસ્યમાં બોલ્યા: “મારું ICU એટલે ઈશ્વર – Consciousness Unlimited!””
જ્યાંથી આવેલા હતા ત્યાં જ ગયા – વિવેકાનંદના અંતિમ ઘડીઓનું બ્રહ્મયાત્રા સત્ય:
બેલુરમાં રામકૃષ્ણ મઠ, જુલાઈ 1902. સાંજનો સમય સ્વામી વિવેકાનંદના બે નિકટવર્તી શિષ્યો વચ્ચે એક ચર્ચા ચાલતી હતી. તેઓ રામકૃષ્ણ પરમહંસની આગાહી યાદ કરતા: “વિવેકાનંદ ફરીથી સમાધિમાં આવશે – અને જ્યારે સમાધિમાં આવશે ત્યારે તેમને ખ્યાલ આવશે કે તેઓ કોણ છે. એ દિવસ સવારે તેઓ ઊઠ્યાં અને કહ્યું: “આજનો દિવસ મારે માટે ખાસ છે. હું મારા સંતાનને પ્રેમપૂર્વક ભોજન કરાવવા માંગું છું. શિષ્યોને આશ્ચર્ય થયું – કારણ કે શાસ્ત્ર પ્રમાણે ગુરુશિષ્ય પરંપરામાં શિષ્ય ગુરુનું પાદપ્રક્ષાલન કરે, ગુરુ ભોજન લે – પણ અહીં ગુરુ જાતે રસોઈ કરે છે, શિષ્યોને પીરસે છે. સ્વામી વિવેકાનંદે જાતે ભોજન બનાવ્યું અત્યંત સરળ પરંતુ ભાવભર્યું. દરેક શિષ્યને પ્રેમથી પીરસ્યું, કોળાનું શાક, ખીચડી, દહીં. તે બાદ શિષ્યો સહેજ શરમાતાં હતા, પરંતુ તેઓ કહ્યું: “ગુરુદેવ, તમે જાતે પીરસો છો, અમારું હ્રદય ભીંજાય છે” અને તત્કાળ સ્વામી વિવેકાનંદે કહ્યું: “મારો ભગવાન એ નથી કે મંદિરની મૂર્તિમાં બેઠો છે. મારો ભગવાન તો તે છે, જે મને શ્રદ્ધાથી ભોજન લે છે અને જેને હું મારા હ્રદયથી પ્રેમ કરું છું. જેમજ બધાએ ભોજન પૂર્ણ કર્યું – સ્વામી વિવેકાનંદ એક એક શિષ્ય પાસે ગયા. પ્રેંમથી પાણી લાવ્યું અને પોતે ઝૂકી શિષ્યોના પગ ધોયા. શિષ્યો તાત્કાલિક અશ્વસ્ત થઈ ગયા “ગુરુદેવ! તમે અમારાં પગ કેમ ધુઓ છો? તમે અમારા ઈશ્વર છો! સ્વામીજીએ ઉચિત ભાષામાં કહ્યું: “જેમાં ભગવાન વસે છે, તેના પગ ધોઈને ભગવાનના ચરણ સ્પર્શ થયાની લાગણી થાય છે. તમે મારા ભક્ત નહિ મારો આકાર છો. આજે હું ઈશ્વરને પોતાના હાથથી સ્પર્શ કરી રહ્યો છું. અને એ જ સમયે, જાણે સમગ્ર બ્રહ્માંડમાંથી અવાજ થયો હોય તેમ, સ્વામી વિવેકાનંદ ત્યાં આવ્યા. શિષ્યોની આંખે આંખ મલાઈ ગઈ તેમના ચહેરા પર અદભુત તેજ અને ગંભીર શાંતિ હતી. એક શિષ્યે ધીમે પૂછ્યું: “સ્વામી… શું તમને ખબર પડી ગઈ કે તમે ક્યાંથી આવેલા છો? વિવેકાનંદ હળવું સ્મિત કરે છે અને કહે છે: “હા. હવે મને ખબર પડી ગઈ છે. હવે મારો અહીં અભિનય પૂરો થઈ ગયો છે.”ત્યાંથી તેઓ શાંતિપૂર્વક પોતાના રૂમમાં પ્રવેશ કરે છે. રૂમ બંધ થાય છે. અંદરથી અવાજ આવે છે -(વેદોના પઠનનો સાયણભાષ્યના ઊંડા અર્થનો ઉચ્ચાર ‘સૂર્યસૂષુમ્નિ રશ્મિ રુચા’ ની ઊર્જા સમજાવતો અવાજ “અહં બ્રહ્માસ્મિ શિવોહમ્”તે બાદ તેમણે કહ્યું: “મારાં રૂમનો દરવાજું ત્યાં સુધી ના ખોલશો જ્યાં સુધી હું ન કહું. શિષ્યો સાંજે સુધી રાહ જુએ છે. રાત્રિ થઈ જાય છે. કોઈ અવાજ નથી.(જેમજ વહેલી સવારે બારીમાંથી જોવામાં આવે છે તેઓ ધ્યાનની સ્થિતિમાં શ્વાસવિહિન શાંત શાશ્વત તેમના નાક, મોઢા અને કાનમાંથી લોહી નીકળેલું જોવા મળ્યું. ઘણા લોકોએ ગેરસમજથી કહ્યું કે ’નસ ફાટી ગઈ, બ્રહ્મચર્ય તૂટી ગયું હોઈ શકે’ પરંતુ આ એકદમ ખોટું હતું. સાચું કારણ હતું, વિવેકાનંદે પોતાની પૂર્ણ કુંડલિની શક્તિ – અંગ-અંગમાંથી ઉછાળીને સહસ્રારચક્ર સુધી પહોંચાડી હતી. એ સમયે શરીરથી આગળ જવાની દિશામાં અગ્નિવાઈ તીવ્ર બની જાય છે. આખા શરીરમાં એક દબાણ સર્જાય છે – અને કેટલાક યોગીઓમાં નાક/કાનમાંથી લોહી નીકળવું એક સ્વાભાવિક પ્રક્રિયા બની જાય છે. તે સમયે યોગવિદ્વાનોએ કહ્યું હતું: “અમે જાણીએ છીએ કે એમનું શરીર ટૂકું જીવશે કારણ કે એમણે જીવનશક્તિને એક સાથ જાગૃત કરી છે. એમનું બ્રહ્મચક્ર ભેદાયેલું છે. તેઓ જીવ્યા ન હોતા તેઓ અવતાર તરીકે ઉતરી આવ્યા હતા.”

You Might Also Like

સ્લો લાઇફ: ધીમું જીવો, શ્રેષ્ઠ જીવો

વિઝા ફી અમેરિકા જવાનું સપનું મોંઘું બનશે

આસમાનના તારાઓ જ આપણાં સાચા વડવાઓ

સફળતાની પૂર્વશરત હકારાત્મક વિચારસરણી

પ્રકૃતિ એટલે જ ઈશ્ર્વર

TAGGED: Swami Vivekananda
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ પર: ટીમની કુલ લીડ 244 રન થઈ
Next Article મૌનનું મહાત્મ્ય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજુલા નજીક અકસ્માત: બોલેરો-બાઇક અથડાતા બેના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રામ મંદિરમાં કૃષ્ણ સ્વરૂપે બિરાજમાન ગણેશદાદાના અત્યાર સુધીમાં બે લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યાં
હત્યા-હથિયારના ગુનામાં પેરોલ જમ્પ આરોપી ઝડપાયો
જીવનનગર કા વિઘ્નહર્તા ગણેશ મહોત્સવમાં આરતી-અન્નકુટ દર્શનનો ભાવિકાએે લાભ લીધો
રાજ્યની સૌપ્રથમ ‘અમૃત ભારત’ નોન એસી સેમી હાઈસ્પીડ ટ્રેન દિવાળી સુધી અમદાવાદથી શરૂ થશે
બિહારથી લાવેલા 16 કિલો ગાંજા સાથે ચાર પેડલરને પકડી લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સ્લો લાઇફ: ધીમું જીવો, શ્રેષ્ઠ જીવો

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

વિઝા ફી અમેરિકા જવાનું સપનું મોંઘું બનશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
મનીષ આચાર્ય

આસમાનના તારાઓ જ આપણાં સાચા વડવાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?