મેઈન બજારમાં જૈન સ્વીટ માર્ટ અને સરા નાકા પાસે મહેશ્ર્વરી સ્વીટમાંથી સેમ્પલો લેવાયા
ખાસ-ખબર સંવાદદાતા
નવરાત્રીનો પર્વ પૂર્ણ થતાની સાથે જ તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે અને તેની સાથે મીઠાઈ અને ફરસાણનું પણ ધૂમ વેચાણ શરુ થઈ ગયું છે. હળવદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા એકાદ મહિનાથી મીઠાઈ અન ફરસાણનું વેચાણ વધ્યું છે ત્યારે હળવદની અનેક દુકાનોમાં હલકી ગુણવતાની મીઠાઈ અને ફરસાણ વેચાતું હોવાની ફરિયાદ ઉઠી છે અને ખાસ કરીને મીઠાઈમાં વપરાતા માવા નબળી ગુણવતાના હોવાની, ગુલાબ જાંબુમાં વપરાતી ચાસણી પણ ખરાબ ગુણવતાની હોવાની, ફરસાણમાં સારી ગુણવતાના ચણાના લોટના બદલે અન્ય મિક્સ લોટનું મિશ્રણ કરતા હોવાની તેમજ નબળી ગુણવતાના પામોલીન તેલનો ઉપયોગ થતો હોવાની લોકફરીયાદ ઉઠતી હોય છે ત્યારે દરેક તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સેમ્પલ લેવા તો આવે છે પરંતુ તે સેમ્પલ પાસ કેવી રીતે થાય છે તે પણ સવાલ છે !
હળવદમાં ફરી એકવાર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સરા ચોકડી પાસે આવેલ મહેશ્વરી સ્વીટ માર્ટમાંથી ગુલાબજાંબુના અને મેઈન બજારમાં આવેલ જૈન સ્વીટ માર્ટમાંથી બરફીના સેમ્પલ લઈને તપાસ અર્થે વડોદરા ફૂડ લેબોરેટરીમાં મોકલ્યા છે જોકે આ સેમ્પલનો રીપોર્ટ દિવાળી બાદ આવશે અને ત્યાં સુધીમાં તો મીઠાઈ અને ફરસાણ વેચાઈ થઇ જશે જો આ મીઠાઈ નબળી ગુણવતાની હોવાનું રીપોર્ટમાં સામે આવશે તો તે ખાનારા લોકો બીમાર થવાની પણ શક્યતા વધી જશે.
હળવદમાં બે ફરસાણની દુકાનોમાંથી ફુડ એન્ડ સેફ્ટી વિભાગે સેમ્પલો લીધાં
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/11/7-8.gif)