By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    19 hours ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    2 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    2 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    3 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    16 hours ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    16 hours ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    19 hours ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    2 days ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    18 hours ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    19 hours ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    2 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    4 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    1 week ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    1 week ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઋક્ષરાજ, શતાનંદ અને અતિરથિ: રામાયણના પાત્રો-પ્રસંગોની રોચક વાતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > ઋક્ષરાજ, શતાનંદ અને અતિરથિ: રામાયણના પાત્રો-પ્રસંગોની રોચક વાતો
AuthorKinnar Acharyaખાસ-ખબરધર્મ

ઋક્ષરાજ, શતાનંદ અને અતિરથિ: રામાયણના પાત્રો-પ્રસંગોની રોચક વાતો

Khaskhabar Editor
Last updated: 2024/01/19 at 4:41 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

લક્ષ્મણ જ્યારે મૂર્છીત થઈ ગયા ત્યારે લંકાના જે વિખ્યાત વૈદ્યને હનુમાનજી ઉઠાવી લાવ્યા હતા, તેનું નામ હતું : સુષેણ

હમણાં અચાનક જ હાથમાં એક રસપ્રદ હિન્દી પુસ્તક આવી ગયું. તેમાં રામાયણને લગતી અલગ-અલગ હજારેક જેટલી રોચક માહિતી છે. આપણે તેમાંથી કદાચ પચાસ-સો વાતોથી પરિચિત હોઈશું, પરંતુ નેવું ટકા વાતો તો અત્યંત ઓછી જાણીતી અને રસપ્રદ છે. કોઈ પ્રકરણ નામો વિશે છે તો કોઈ આંકડાઓ અંગે તો કોઈ સંબંધો અંગે છે. ‘1000 રામાયણ પ્રશ્ર્નોત્તરી’ નામનાં આ પુસ્તકમાં લેખક રાજેન્દ્ર પ્રતાપસિંહ છે. તેમને થેન્કસ કહીને પુસ્તકમાંની માહિતી વિશે વાત કરીએ.
પ્રથમ પ્રકરણ છે, નામ વિશે. રાવણે સીતાનું હરણ જેમાં કર્યું એ વિમાનનું નામ પુષ્પક હતું- એ બધાને ખ્યાલ છે. પરંતુ શું આપણે એ જાણીએ છીએ કે, લક્ષ્મણ જ્યારે મૂર્છીત થઈ ગયા ત્યારે લંકાના જે વિખ્યાત વૈદ્યને હનુમાનજી ઉઠાવી લાવ્યા હતા, તેનું નામ શું હતું? એમનું નામ હતું : સુષેણ. અચ્છા, રાજા જનકનું સાચું નામ શું હતું? જવાબ છે: સિરધ્વજ. સવાલો અનેક છે: એ ગુપ્તચરનું નામ શું હતું- જેનાં કહેવાથી રામે સીતાનો ત્યાગ કર્યો હતો? એનું નામ: દુર્મુખ. શ્રીરામે જે તીર્થમાં ડૂબકી લગાવી મહાપ્રયાણ કર્યું એનું નામ હતું, ગોપ્રતાર. મહર્ષિ વિશ્ર્વામિત્ર ઋષિ બન્યા એ પહેલાં વિશ્ર્વરથ નામે ઓળખાતાં. વાલી અને સુગ્રિવનાં પિતાનું નામ: ઋક્ષરાજ. રાજા જનકનાં પુરોહિતનું નામ હતું, શતાનંદ.
હવે થોડો કપરો પ્રશ્ર્ન : શ્રીરામે જે વૃક્ષની આડશ લઈને વાલીનો વધ કર્યો હતો, એ વૃક્ષ કયુ? જવાબ છે: સાલ વૃક્ષ. રાજા જનકનાં નાના ભાઈનું નામ શું હતું? ઉત્તર છે, કુશધ્વજ. સમુદ્ર મંથનમાંથી જે અશ્ર્વ નીકળ્યો હતો તેનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે. તેનું નામ ઉચ્ચૈશ્રવા. અશોક વાટિકામાં સીતાને રખાયા હતા એ પણ આપણને બધાને ખ્યાલ છે પરંતુ આ ઉદ્યાનનું બીજું એક નામ પણ હતું, ખ્યાલ છે? એ નામ એટલ: પ્રમદાવન.
મહર્ષિ વાલ્મિકીનું નાનપણનું નામ રત્નાકર હતું. લંકા દહન કર્યા બાદ હનુમાનજી જે પર્વત પર ચડીને સમુદ્ર ઓળંગીને આવ્યા હતા તેનું નામ હતું: અરિષ્ટ. વશિષ્ટ ઋષિની ગાયનું નામ હતું, સુરભી. કુબેરનો સેનાપતિ કોણ હતો? એ હતો- મણિભદ્ર. વિભિષણના એક દાસે પક્ષીનું રૂપ ધારણ કરીને લંકાની સૈન્યશક્તિની માહિતી મેળવી હતી. એ દાસ એટલે, અનલ. રાવણનું નામ પૂર્વજન્મમાં પ્રતાપભાનુ હતું. સમુદ્ર મંથનમાંથી જે મણી પ્રાપ્ત થયો તેનું નામ છે, કૌસ્તુભ. કુબેરના હાથીનું નામ: હિમપાંડુ. યમનાં હાથીનું નામ, મહાપદ્મ. વરૂણ દેવતાનાં હાથીનું નામ: સૌમનસ. શ્રીરામે અશ્ર્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો એ જાણીતી વાત છે. પણ આ યજ્ઞનાં અશ્ર્વનાં મસ્તક પર જે પત્ર બાંધવામાં આવતો- તેનું નામ શું? તેનાં માટેનો ખાસ શબ્દ છે: જયપત્ર.

- Advertisement -

રામાયણનો સૌથી નાનો કાંડ છે, અરણ્યકાંડ અને સૌથી મોટો યુદ્ધકાંડ

રામાયણમાં જે નગરીનું નામ લવપુર છે, એ જ હાલનું લાહૌર

રામાયણમાં યુદ્ધનાં અનેક વર્ણનો છે. પરંતુ શું આપણે જાણીએ છીએ કે, શત્રુ દ્વારા છોડવામાં આવેલા શસ્ત્રને નાકામ કરવાની વિધિનું નામ શું છે? એ છે: રભસ. અલગ પ્રકારનો પ્રશ્ર્ન : એ રાક્ષસનું નામ શું હતું, જેણે સીતાની હત્યા ન કરવા રાવણને સમજાવ્યો હતો? જવાબ છે: સુપાર્શ્ર્વ. રામાયણનો સૌથી નાનો કાંડ છે, અરણ્યકાંડ અને સૌથી મોટો યુદ્ધકાંડ. રાવણે સુગ્રિવ પાસે મોકલેલા દૂતનું નામ હતું, શુક. ગેરૂ સમાન લાલ વર્ણ ધરાવતા વાનર સેનાપતિનું નામ હતું, ગવય. ચાંદી જેવા ચળકતા વર્ણવાળા વાનર સેનાપતિનું નામ હતું, શ્ર્વેત. સગ્રિવના મંત્રીનું નામ હતું, પ્રભાવ.
રામાયણમાં જે નગરીનું નામ લવપુર છે, એ જ હાલનું લાહૌર. રામાયણમાં મધુપુરી તરીકે જેનું વર્ણન છે- એ આજનું મથુરા. ઈન્દ્રનાં ઉદ્યાનનું નામ: નંદન. ઈન્દ્રનાં સારથિનું નામ: માતલી.
અચ્છા, રાવણ તો પરમ શિવભક્ત હતો- પરંતુ મેઘનાદ જે દેવીની પૂજા કરતો હતો, એ દેવી એટલે: નિકુંભિલા. હનુમાનજીના માતા પૂર્વજન્મમાં એક અપ્સરા હતા. ત્યારે તેમનું નામ હતું : પુંજિકસ્થલા. લક્ષ્મણની મૂર્ચ્છા દૂર કરવા હનુમાનજી સંજીવની બુટી લેવા ગયા અને આખો પર્વત ઉઠાવી લાવ્યા. એ પર્વત એટલે દ્રોણગિરિ. મંથરાનું એક નામ કુબ્જા પણ હતું. લંકામાં રાક્ષસોનાં કુળદેવતાનું સ્થાનક હતું, એ ચૈત્ય પ્રાસાદ તરીકે ઓળખાતું હતું. વનવાસમાં ગયેલા રામ-સીતાને પરત અયોધ્યા લાવવા ભરત જે નૌકામાં ગયા તેનું નામ હતું- સ્વસ્તિક. આજની બિયાસ નદી એટલે રામાયણ કાળની વિપાશા નદી. ઉત્તર કુરૂ પ્રદેશમાં કુબેરનું એક અદ્વિતિય ઉદ્યાન હતું. નામ: ચિત્રરથ.
રાવણનાં શૌર્યની આપણે બહુ કથાઓ સાંભળી- વાંચી છે. પરંતુ સહસ્ત્રાર્જુને તેને હરાવી- બંદી બનાવીને જેલમાં ધકેલી દીધો હતો. બાદમાં રાવણનાં પિતાએ ખૂબ વિનંતી કરી તેથી તેને મુક્ત કર્યો. વાલીએ પણ છ-છ મહિના સુધી રાવણને પોતાની બગલમાં દબાવી રાખ્યો હતો. રાવણની તપશ્ર્ચર્યા વિશે તો આપણે ઘણું વાંચ્યું છે, પરંતુ શું એ ખ્યાલ છે કે વિભિષણે પાંચ હજાર વર્ષ સુધી એક પગ પર ઊભા કરીને તપ કર્યું હતું? શ્રીરામનાં રાજ્યાભિષેક માટે પાંચસો નદીઓનું જળ કોણ લાવ્યું હતું? જવાબ: જાંબુવંત. એક ઋષિ એવા પણ હતા જે ભયંકર ગુસ્સામાં આવી ગંગાનું સમસ્ત જળ પી ગયા હતા. નામ: જહનું. રાજકુમાર પુરુએ પોતાનાં પિતાની આજ્ઞાથી પિતાનું વૃદ્ધત્વ ગ્રહણ કરીને પોતાનું યૌવન પિતાને આપી દીધું હતું. તમને ખ્યાલ છે, રાવણે સ્વયં યમરાજ સામે પણ યુદ્ધ કર્યું હતું! રામ-લક્ષ્મણે રાક્ષસ વિરાધનો વધ કરીને જમીનમાં દાટી દીધો હતો.અયોધ્યાનાં એ ક્યા પ્રતાપી રાજા હતા- જેમનાં પુત્રોએ પૃથ્વી વિંધી નાંખી હતી? એ રાજા એટલે- સગર. રામાયણમાં એક પાત્ર એવું પણ છે- જેણે શિરનાં જોરે તપસ્યા કરી હતી. એ પાત્ર એટલે શંબુક. એ કોણ હતો જેણે સોળ હજાર સ્ત્રીઓને બંદી બનાવીને રાખી હતી અને એક લાખ સ્ત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો? એ હતો દુંદુભી. રાવણ અને યમરાજ વચ્ચેનાં યુદ્ધની વાત તો આપણ કરી. પણ વધુ એક વિગત એ છે કે, રાવણનાં ડરથી તેણે કાગડાંનું રૂપ ધારણ કરી લીધું હતું. એક પાત્ર એટલે અતિરથિ. એ દસ હજાર મહારથીઓ સામે એકલાં હાથે યુદ્ધ કરવા સમર્થ હતો. અને હા…. પેલા રાજકુમાર પુરુએ પોતાનું યૌવન પિતાને આપ્યું હતું- એ પિતા એટલે યયાતિ!
(આવતીકાલે બીજો લેખાંક)

- Advertisement -

You Might Also Like

ઘેટાના ટોળામાં ઉછેરથી પોતાની શક્તિનું ભાન ભૂલેલો સિંહ

જગતમાં સૌથી વાચાળ હોય તો તે મૌન છે

વ્લાદિમીર રશિયન વિશ્ર્વ વિજેતા

એનિમલની મુલાકાત લેવી

એક જ પરિવારમાં ટકરાવ

TAGGED: Atirathi, RAMAYANA, Riksharaj, Shatananda
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 1528થી 2024 સુધી… શ્રી રામમંદિર માટે સનાતનીઓના સંઘર્ષની સંપૂર્ણ કહાની..
Next Article અમેરિકન જહાજ પર હુથીઓનોે હુમલો: 2 બેલેસ્ટિક મિસાઈલ ઝીંકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા
બે થેલી ખાતર પણ ભેળસેળવાળું મળતાં ખેડૂતોમાં રોષ સાથે આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઘેટાના ટોળામાં ઉછેરથી પોતાની શક્તિનું ભાન ભૂલેલો સિંહ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
Author

જગતમાં સૌથી વાચાળ હોય તો તે મૌન છે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
Author

વ્લાદિમીર રશિયન વિશ્ર્વ વિજેતા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?