જિલ્લાનાં મુખ્યમાર્ગોનું કામગીરી શરૂ થતા સ્થળ મુલાકાત લેતા કલેકટર
દિપોત્સવી પર્વોમાં પ્રવાસીઓને ધ્યાને રાખીને રસ્તાના કામ શરૂ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ જિલ્લામાં ચોમાસાનાં ભારે વરસાદથી જિલ્લાના તમામ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારને શહેર સાથે જોડતા વિવિધ માર્ગને સુગમ બનાવવા માટે રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
આગામી દિપોત્સવી પર્વોમાં જૂનાગઢ-ગીર સોમાનાથ જિલ્લાનાં તિર્થ સ્થળો અને પ્રવાસન સ્થળોની મુલકાતે દેશ-દેશાવરથી યાત્રીકો જૂનાગઢનાં માર્ગો પરથી જ્યારે પસાર થવાના હોય ત્યારે પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલ જૂનાગઢ સાસણ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે જેમાં માર્ગ નવિનીકરણ – મજબુતિકરણની કામગીરી જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને ટીમ દ્વારા રૂબરૂ નિરક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ કામગીરી અંગે સંબંધિત અધિકારીઓને યોગ્ય સમયે કામગીરી પૂર્ણ થાય અને પ્રવાસીઓને સુગમતા રહે તે માટે સૂચના આપવામાં આવી હતી.
સાથે સાથે જૂનાગઢ-ઈવનગર- મેંદરડા બાયપાસ રસ્તા માટે સંપાદન થનાર જમીનોની રૂબરૂ સ્થળ તપાસણી કરી સબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી તલસ્પર્શી માહિતી મેળવી આગળની ઘટતી કાર્યવાહી તાકીદે પુર્ણ થાય તે દિશામાં જરૂરી સૂચન કર્યા.બાયપાસ શરૂ થવાને કારણે સાસણ જવા માટે રાજકોટ તરફથી આવતા પ્રવાસીઓ વધુ સરળતાથી સાસણ જઈ શકશે.