કમિશનર ઉદિત અગ્રવાલ તથા ડે.કમિશનર બી.જી.પ્રજાપતિને વિદાય શુભેચ્છા પાઠવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા કોર્પોરેટરઓ
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા કલેકટર તરીકે તેમજ ડે.કમિશનર બી.જી.પ્રજાપતિની આણંદ જીલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવેલ. આ પ્રસંગે મેયર ડો.પ્રદીપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી સમિતિના ચેરમેનઓ તથા કોર્પોરેટરઓ ઉપસ્થિત રહેલ.
જે પ્રસંગે માન.મેયરએ જણાવેલ કે, મ્યુનિસિપલ કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન રાજકોટનો સાર્વત્રિક વિકાસ થાય તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિકાસ કરવામાં ખુબ ફાળો રહ્યો છે. શહેરની સુખારીમાં ખુબ સહયોગ અર્બન ફોરેસ્ટ તથા બ્રિજના કામ પણ ચાલુ કર્યા છે. કોવિડના કાર્યકાળમાં ખુબ જ મોદી રાત સુધી સતત જાગૃત રહ્યા છે. ટેસ્ટીંગ, વેક્સીન, ધન્વંતરી, આરોગ્ય રથની ખુબ જ સારી કામગીરી કરેલ છે. કોર્પોરેટરની રજૂઆતને પારિવારિક રીતે ઉકેલી છે. ખુશી છે કે, કલેકટર તરીકે બદલી થઇ પરંતુ રાજકોટના એક સારા અધિકારીની બદલી થઇ છે. પ્રજાપતિએ સફળ અધિકારી તરીકે પ્રશ્નો સાંભળી યોગ્ય નિરાકરણ કર્યું છે. તેઓ આણંદના જીલ્લા વિકાસ અધિકારી બન્યા તે માટે ખુબ ખુબ શુભેચ્છા. બંને અધિકારીઓએ શહેરના વિકાસમાં ખુબ સેવા આપેલ છે.
- Advertisement -
જેના અનુસંધાને મ્યુનિસપિલ કમિશનરએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાને જુના તથા નવા કોર્પોરેટરો ખુબ મહેનતુ મળ્યા છે. આજથી પોણા બે વર્ષથી ગોધરાથી આવેલ બે કલેકટરશીપ પછી બહુ ઈચ્છા હતી કે અર્બન ડેવલોપમેન્ટમાં કામ કરવું. આ માટે અમદાવાદ કે સુરતના ડે.કમિશનર બન્યો તો પણ ખુબ આનંદ થાત, તેના બદલે સીધા મુખ્યમંત્રીના શહેર રાજકોટ ખાતે મ્યુનિસિપલ કમિશનર બનાવ્યા તેનો ખુબ આનંદ થયેલ. ટુંકાગાળામાં ખુબ વધુ કામ કરવાનું થયું. અનેક યાદો મળી છે. ફોટા જોતા જણાયું કે પોણા બે વર્ષમાં ઘણી યાદો ઉભી થઇ છે. અર્બન ડેવલોપમેન્ટનું કામ કલેકટર ના કામ કરતા ઘણું જ અલગ પ્રકારનું છે. રૂરલના કામ માંથી સીધું અર્બનમાં કામ કરવાનું થયું અને તેમાં કામ કરી શક્યો છુ તેનો આનંદ છે. સૌપ્રથમ રામ, સીતા, લક્ષમણ આવાસ યોજના લોકાર્પણ કરી, દૂધસાગર બ્રિજનું કામ થયું, સ્માર્ટ સિટીમાં ઘણું કામ કર્યું, સ્માર્ટ બસોના કામો મહદ અંશે પૂરા કર્યા, પાણીના પ્રશ્નો ઉકેલવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કર્યા, ૨૬ જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ખુબ જ સારી ઉજવણી કરી, ફ્લાવર શો કરી, એક યાદગાર કાર્યક્રમ યોજ્યો. માધાપર ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લોકાર્પણ, વોર્ડ નં.૪માં કોમ્યુનીટી હોલ, વોર્ડ નં.૧૦માં કોમ્યુનીટી હોલ, અટલ સરોવર, વધુ આનંદ તો એ છે કે આમ્રપાલી રેલ્વે અન્ડરબ્રીજનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ બંને મારા જ સમયગાળામાં થયા. ૪ નવા ઓવરબ્રિજ તથા રામવનનું કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. કામોની યાદી અંતહીન છે. ખુબ સારી પબ્લિક અડ્રેસ સિસ્ટમ પણ વિકસાવી. ૦૧ વર્ષ ૦૯ માસ અને ૨૦ દિવસના સમયગાળામાંથી અંદાજે એક વર્ષ કોવીડમાં કામ કરવાનું થયું. પદાધિકારીઓ, કોર્પોરેટરો તથા અધિકારી અને કર્મચારીના સહયોગથી કોરોનાનને નાથવા ખુબ સારી કામગીરી થઇ શકી છે. રાજકોટના વિકાસકામોમાં માન.મુખ્યમંત્રી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજનું પણ સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. ટ્રાન્સફર થતા, રાજકોટ છોડી જતા દુ:ખ થાય પરંતુ, ફરી તક મળશે તો જરૂર રાજકોટ માટે કામ કરવાની ઈચ્છા છે. નાયબ કમિશનર પ્રજાપતિની જીલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી થઇ છે તો તેમને પણ શુભેચ્છા.
આ પ્રસંગે ડે.કમિશનર પ્રજાપતિએ જણાવેલ કે, શહેરી વિકાસમાંથી ગ્રામ વિકાસમાં જઈ રહ્યો છુ. રાજકોટ ખાતે પધાધિકારીઓ તથા કમિશનરના સતત માર્ગદર્શન હેઠળ સારું કામ કરવાની તક મળી. ૭-૮ હજાર કર્મચારીઓ ધરાવતા સ્વત્રંત તંત્રમાં કામ કરવાની તક મળી. સતત એક્ટીવ રહેવાનું થયું. પરતું તેનો અનુભવ મારી હવેની કારકિર્દીમાં ખુબ ઉપયોગી રહેશે. રાજકોટના કાર્યકાળ દરમિયાન મહાનગરપાલિકાનો, તમામ પદાધિકારીઓનો તથા તમામ કોર્પોરેટર ઓનો ખુબ સારો સહયોગ મળ્યો.
અંતમાં, મહાનગરપાલિકાના તમામ મેયર ડો.પ્રદીપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા કોર્પોરેટરઓ દ્વારા કમિશનર ઉદિત અગ્રવાલની તથા ડે.કમિશનર બી.જી.પ્રજાપતિને પુષ્પગુચ્છ આપી વિદાય શુભેચ્છા આપવામાં આવેલ હતી.
- Advertisement -