-બાલીમાં G20 દેશોની બેઠકમાં ખાદ્યાન્ન કટોકટી, ખોરવાયેલી સપ્લાય ચેઈન જેવા મુદ્દાઓ પર વડાપ્રધાન મોદીની સ્પષ્ટ વાત
-અનાજની તંગી સંકટમાં ન પરિણમે તે જોવાની ચેતવણી: દુનિયાના વિકાસમાં ભારતની ભૂમિકા મહત્વની રહેવાનો સ્પષ્ટ સંકેત
- Advertisement -
ઈન્ડોનેશિયાના અત્યંત રમણીય બાલી ટાપુમાં શરૂ થયેલી જી-20 સમીટમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના તથા યુક્રેન યુદ્ધથી તબાહી સર્જાઈ હોવાનો સ્પષ્ટ સૂર દર્શાવીને એમ કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધને ગમે તે ભોગે અટકાવવું પડશે.
India's energy-security is also important for global growth, as it's the world's fastest-growing economy.We must not promote any restrictions on supply of energy&stability in energy market should be ensured. India is committed to clean energy&environment: PM at #G20Summit in Bali pic.twitter.com/SNubm92vPM
— ANI (@ANI) November 15, 2022
- Advertisement -
વડાપ્રધાન મોદીએ બેઠકમાં પોતાના પ્રવચનમાં કહ્યું કે, વૈશ્વિક વિકાસમાં ભારતની ઉર્જા-સુરક્ષા મહત્વપૂર્ણ છે. કારણ કે સમગ્ર દુનિયામાં ભારતીય અર્થતંત્ર સૌથી ઝડપી ગતિએ વિકસી રહ્યું છે. ઉર્જા પ્રતિબંધોને પ્રોત્સાહીત કરતા કદમથી દુર રહેવાની જરૂર છે. ભારતે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે.
તેઓએ કહ્યું કે, વિશ્વમાં આજથી ખાદ્યચીજોની તંગી આવતા વર્ષોમાં સંકટ પેદા કરનાર હશે અને તેનું સમાધાન દુનિયા પાસે નહીં હોય. આ સંજોગોમાં ખાદ્યાન્નની સપ્લાય ચેઈનને સ્થિર અને સુનિશ્ચિત બનાવવા માટે આપસી સમજુતી કરવી પડશે. યુક્રેન-રશિયા યુદ્ધમાં યુદ્ધવિરામ કરાવવા તથા રાજદ્વારી સમાધાનનો માર્ગ શોધવો પડશે. ગત સદીમાં બીજા વિશ્વયુદ્ધધે દુનિયામાં કહેર સર્જયો હતો અને ત્યારબાદ તત્કાલીન નેતાઓએ શાંતિના માર્ગે અપનાવવા માટે ગંભીર પ્રયાસો કર્યા હતા. હવે આ માટે આપનો વારો છે અને ગંભીર પ્રયત્નો કરવા પડશે.
PM Modi attends #G20Indonesia Working Session on food & energy security.
In his intervention, he underlined the criticality of resilient supply chains for food, fertilizers & energy, the need for affordable finance for a smooth energy transition for the Global South: MEA pic.twitter.com/GhHvGFxBZ8
— ANI (@ANI) November 15, 2022
ફુડ એનર્જી સિકયોરીટી ક્ષેત્રમાં ભાગ લેતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના તથા યુક્રેન યુદ્ધને કારણે દુનિયાની સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે અને એટલે વિશ્વમાં તબાહી મચી છે. યુનો જેવું સંગઠન આ મુદાઓ ઉકેલવા નિષ્ફળ રહી છે જયારે જી20ના દેશોમાં સંયુક્ત રીતે યુક્રેન યુદ્ધને રોકવા માટેનો માર્ગ કાઢવો પડશે. બેઠકમાં વડાપ્રધાન મોદી આ મુદ્દાઓ પર મુક્ત રીતે બોલ્યા હતા અને ગમે તે ભોગે યુદ્ધ રોકવાના ગંભીર રાજદ્વારી પ્રયત્નો કરવા પર ભાર મુકયો હતો.
'Have to return to path of ceasefire and diplomacy in Ukraine,' PM Modi says at G20 Summit
Read @ANI Story | https://t.co/2ND92eNpSq#G20Indonesia #NarendraModi #G20Summit #Ukraine pic.twitter.com/C4sT1rChra
— ANI Digital (@ani_digital) November 15, 2022
આ બેઠકમાં યજમાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ જણાવ્યુ હતું કે, આપણે વિશ્વ વ્યવસ્થા તથા વૈશ્વિક કાનુનોને નિહાળ્યા છે. આજે દુનિયાની નજર આજની બેઠક છે અને આ બેઠક સફળ થવી જોઈએ. ઈન્ડોનેશિયાએ આંતરિક મતભેદો મીટાવવા ઘણા પ્રયત્નો કર્યા છે. પરંતુ મતભેદો નિવારવા તમામ સંપૂર્ણ પ્રતિબદ્ધતા દાખવે તો જ પ્રયાસો સફળ થઈ શકે છે અને સમગ્ર દુનિયાને તેનો લાભ મળી શકે છે.
India's energy security important for global growth, says PM Modi at G20 Summit
Read @ANI Story | https://t.co/ULB19omZPz#G20 #G20Summit #PMModi #G20Indonesia pic.twitter.com/MLY9hSvypP
— ANI Digital (@ani_digital) November 15, 2022
ભારતીય વડાપ્રધાન મોદી ઉપરાંત વિદેશમંત્રી એસ.જયશંકર તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ બાલીમાં મૌજૂદ છે. રશિયાના વડા પુટીને બેઠકથી દુરી રાખી છે અને પ્રતિનિધિ તરીકે વિદેશમંત્રીને મોકલ્યા છે.