ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની જીત થઈ હતી: જોકે કોંગ્રેસ અને કેટલાક વિરોધીઓને આ જીત હજમ નથી થઈ અને તેમણે સોશિયલ મીડિયામાં ‘તાનાશાહી’ના રોદણા રડવાનું શરૂ કરી દીધું છે
સૌજન્ય : ઓપ ઈન્ડિયા, ગુજરાતી
- Advertisement -
આગામી લોકસભા ચૂંટણીને લઈને સુરત બેઠક પરથી ભાજપે ઈતિહાસ રચીને વિજય યાત્રા શરૂ કરી છે. ઈતિહાસ એટલા માટે, કે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમવાર કોઈ લોકસભા બેઠક બિનહરીફ જીતી છે. કોંગ્રેસી ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ ભાજપ સિવાયના તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની જીત થઈ હતી. જોકે કોંગ્રેસ અને કેટલાક વિરોધીઓને આ જીત હજમ નથી થઈ અને તેમણે સોશિયલ મીડિયામાં ‘તાનાશાહી’ના રોદણા રડવાનું શરૂૂ કરી દીધું છે. કોંગ્રેસ ફોર ઇન્ડિયા નામના ડ હેન્ડલ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક વિદેશી ફિલ્મની ક્લિપ મુકવામાં આવી છે. આ ક્લિપમાં એક રેસનો સીન છે જેમાં એક વ્યક્તિ પોતાના વિરોધીઓને ગોળીઓ મારીને અટકાવી દે છે અને પોતે જીત નોંધાવે છે. આ વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, 2 નોમિનેશન રદ્દ, 8 ઉમેદવારોએ દાવેદારી પરત ખેંચી, ભાજપના સુરતના ઉમેદવાર બિનહરીફ જીત્યા.
આ વિડીયો ગુજરાત મોડેલ પર વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસી નેતા જયરામ રમેશે પણ ભાજપની આ જીત સામે વાંધો ઉઠાવીને તેને ‘લોકતંત્ર ખતરામાં છે’ તેમ રોકકળ કરી મૂકી હતી. તેમણે પણ ડ પર એક લાંબીલચક પોસ્ટ કરીને લખ્યું કે, લોકતંત્ર ખતરામાં છે, આપ ક્રોનોલોજી સમજો- સુરત જિલ્લાના ઈલેકશન ઓફિસરે હસ્તાક્ષરમાં વિસંગતતા કહીને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કર્યું, કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર વગર રહી ગઈ. ભાજપના ઉમેદવાર સિવાય અન્ય તમામે ફોર્મ પરત લઈ લીધું. 7 મે 2024ના રોજ મતદાન થાય તે પહેલા જ ભાજપ ઉમેદવારને બિનહરીફ ઘોષિત કરી દીધા. તેમણે આગળ લખ્યું છે કે, મોદીના ન્યાયકાળમાં ખજખઊના માલિકો અને વ્યવસાયીઓના ક્રોધ અને સંકટે ભાજપને એ હદે ડરાવી દીધા છે કે તેઓ સુરત લોકસભામાં મેચ ફિક્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેને તેઓ 1984થી સતત જીતી રહ્યા છે. આપણી ચૂંટણીઓ, આપણું લોકતંત્ર, બાબાસાહેબ આંબેડકરનું સંવિધાન તમામ ખતરામાં છે. આ આપણા જીવનકાળની સહુથી મહત્વપૂર્ણ ચૂંટણી છે. કોંગ્રેસ સિવાય પણ અનેક લોકોને ભાજપની આ જીત ખૂંચવા લાગી હોય તેમ તેમની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ફેક ન્યુઝ ફેલાવવા કુખ્યાત એવા અકઝ ન્યુઝના સહ સંસ્થાપક મહોમ્મદ ઝુબૈરે પણ ડ પર પોસ્ટ લખીને ભાજપની સુરત બેઠકની જીત લઈને કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે આ ગુજરાત મોડેલ ટૂંક સમયમાં આખા દેશમાં લાગુ પડી જશે. આટલું લખીને તેણે પણ લાંબીલચક પોસ્ટ લખી હતી.
બિનહરીફ જીત મેળવનારની સૂચીમાં ભાજપ ક્યાંય પાછળ
ઉલ્લેખનીય છે કે સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ જીતી ગયા બાદ જે લોકોના પેટમાં તેલ રેડાયું, તે લોકો કદાચ એ ભૂલી ગયા છે કે આ કોઈ પ્રથમ જીત નથી જેમાં કોઈ ઉમેદવાર બિનહરીફ જીત્યો હોય. હા ભાજપ માટે ચોક્કસ આ ઐતિહાસિક ક્ષણ છે, કારણકે તેમના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે. પણ કોંગ્રેસ માટે આ કોઈ નવાઈની વાત તો ન જ હોવી જોઈએ. કદાચ કોંગ્રેસી નેતાઓ તે ભૂલી રહ્યા છે કે જે સમયે પંડિત જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન હતા, તે સમયે 1951ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં 10 ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા. આટલું જ નહીં, 1957ની બીજી લોકસભામાં પણ 11 ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા.