કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હમણાં જમ્મૂ-કાશ્મીરમાં ચાલી રહી છે. આ યાત્રાના હેડ અને રાજયસભાના સાંસદ દિગ્વિજય સિંહએ સર્જિકલ સ્ટ્રાઇકના પૂરાવા માંગ્યા હતા, જેથી રાજકારણ ગરમાયું હતું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહણએ વળતો જવાબ આપતા કહ્યું કે, કોંગ્રસનું ડીએનએ જ પાકિસ્તાનના છે.
આ ચર્ચાનો જવાબ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ મીડિયાને આપ્યો હતો. ચૌહાણએ દિગ્વિજયના નિવેદન માટે સમગ્ર કોંગેરસ પાર્ટીને જ આડે હાથ લીધી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇકના પૂરાવા માંગે છે, તો ક્યારેક ભગવાન રામનું અસ્તિત્વ જ છે કે નહીં, આ પર પણ પ્રશ્નો ઉઠ્યા હતા. ક્યારેક રામસેતુના પૂરાવા પણ માંગ્યા હતા. દિગ્વિજય સિંહની તરફથી ફરી સર્જિકલ સ્ટ્રાઇકના પૂરાવા માંગ્યા છે. આ રીતે તેઓ સેનાનો આત્મવિશ્વાસ ઓછઓ કરવાનું કામ કરી રહ્યા છે. તેઓ જાતે જ પાકિસ્તાનની સાથે ઉભા જોવા મળી રહ્યા છે.
- Advertisement -
આ કેવી ભારત જોડો યાત્રા છે?
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, આ કેવી ભારત જોડો યાત્રા છે? તમારી સાથે ટુકડે-ટુકડે ગેંગ ચાલી રહી છે. સેનાનો આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે. એટલું જ નહીં, રાહુલ ગાંધી પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે, કે સેના કમજોર હશે. આ દેશભક્તિ નથી. ક્યારેક દિગ્વિજય સિંહના રાજમાં મધ્યપ્રદેશ સિમીનો ગઢ બની ગયો હતો. તેમણે કોંગ્રેસને અપીલ કરી કે તેઓ સેનાનો આત્મવિશ્વાસ ઓછો કરવાનું પાપ અને ગુનો કરે નહીં.
પેસા એક્ટ પર કોંગ્રેસ લીધી આડે હાથ
શિવરાજ સિંહએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની તરફથી અનુસૂચિત જનજાતિ વર્ગની મીટિંગ બોલાવ પર પણ વિરોધ નોંધાવ્યો છે. ચૌહાણએ કહ્યું કે, આપણે પેસા નિયમ લાગુ કરવા માટે જનજાતિય ભાઇ-બહેનોને વચન આપ્યું હતું. તો ત્યારે તમે નિયમ કેમ બનાવ્યા નહીં? તમે 50 ટકા બ્લોક આદિવાસી બનાવવા, જિલ્લા સ્તરની આદિ જાતિની મંત્રણા સમિતિ બનાવવાની વાત કહી હતી, તમે કેવી પહેલ કરી? કોંગ્રેસનું વચન પત્ર ફક્ત તેમનો ઢોંગ છે.