મુંબઇ: મનોરંજન ઇન્ડસ્ટ્રી અને બોક્સ ઓફિસ દર વરસે લગભગ રૂપિયા ૫૫૦૦ કરોડથી લઇ ૬૦૦૦ કરોડ સુધીનું ટર્નઓવર થતું હોય છે. પરંતુ આ વરસે કોરોના મહામારી અને સુશાંત સિંહ રાજપૂતનો વિવાદ કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખોટ પડી છે.
કોરોના મહામારીના કારણે છેલ્લા પાંચ-છ મહિનામાં ઇન્ડસ્ટ્રીને લગભગ રૂપિયા દસ હજાર કરોડનું નુકસાન થયું છે. મનોરંજન ઇન્ડસ્ટ્રી સામાન્ય રીતે એક વરસમાં ૫૫૦૦થી ૬૦૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. તેમજ સેટેલાઇટ અને ઓટીટી રાઇટસથી ૮૦૦૦-૯૦૦૦ કરોડ મળતા હોય છે જ્યારે ૩૦૦-૪૦૦ કરોડ રૂપિયાની ભાગીદારી મ્યુઝિકના ક્ષેત્રમાંથી છે. છેલ્લા માર્ચ મહિનાથી સિનેમાઘરો બંધ છે. પરિણામે બોક્સ ઓફિસ પર ૩૦૦૦-૪૦૦૦ કરોડનું નુકસાન થયું છે.
![](http://khaskhabarrajkot.com/wp-content/uploads/2020/08/OTT.jpg)
ફિલ્મો ડાયરેક્ટ ઓટીટી પર જઇ રહી છે. એવામાં જે ફિલ્મો ઓટીટી પર પ્રસારિત થાય છે, તેના મેકર્સોને સેટેલાઇટવાળા ઓછી રકમ આપી રહ્યા છે. ઓટીટી પર અત્યાર સુધીમાં ૧૫-૨૦ ફિલ્મોની ડીલ થઇ છે. તેમજ ૪૫ ફિલ્મોની ઘોષણા થઇ હતી. જેને હજી સુધી બનાવાની શરૂઆત થઇ નથી.