16 એપ્રિલથી કડક કાર્યવાહીની મનપાની ચેતવણી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ મહાનગર પાલીકાએ વેપારીઓ અને પ્લાસ્ટીકનાં વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ચેતવણી આપી છે. તા. 15 એપ્રિલ 2022 સુધીમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકનો નિકાલ કરવો બાદ તા. 16 એપ્રિલ 2022થી કડક કાર્યવાહી કરવામાં આવશે.
સીંગલ યુઝ પ્લાસ્ટીક ઉપર પહેલેથી જ પ્રતિબંધ છે.જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા અવાર નવાર કામગીરી કરવામાં આવે છે. જૂનાગઢ મહાનગર પાલીકા હવે સીંગલ યુઝ પ્લાસ્ટીક સામે કડક કાર્યવાહી કરવા જઇ રહ્યું છે. જૂનાગઢ મહાનગર પાલીકાનાં અધિકારીઓ અને પદાધિકારીઓે લોકોને સીંગલ યુઝ પ્લાસ્ટીકને લઇ ચેતવ્યાં છે. મનપાએ જણાવ્યું હતું કે, સીંગલ યુઝ પ્લાસ્ટીક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. છતા પણ જૂનાગઢ શહેરમાં તેનું વેંચાણ થઇ રહ્યું છે. ત્યારે 120 માઇક્રોથી ઓછી જાડાઇવાળા પ્લાસ્ટીકનાં ઉત્પાદન, સંગ્રહ, વપરાશ, વેંચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. તેમજ સીંગલ યુઝ પ્લાસ્ટીક ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવે છે. જૂનાગઢમાં વેપારીઓ પાસે સીંગલ યુઝ પ્લાસ્ટીક ઉત્પાદન,આયાત, સંગ્રહ,વિતરણ કે ઉપયોગ માટે પડ્યાં હોય તો તા. 15 એપ્રિલ 2022 સુધીમાં યોગ્ય રીતે નિકાલ કરવાનો રહેશે. બાદ તા. 16 એપ્રિલ 2022થી સીંગલ યુઝ પ્લાસ્ટીક કે પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કે વેંચાણ કે ઉત્પાદન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં સિગારેટનાં પેકેટનો ઉલ્લેખ
સીંગલ યુઝ પ્લાસ્ટીકમાં કાન સાફ કરવાની પ્લાસ્ટીકની સ્ટીક, ફૂગ્ગા માટેની સ્ટીક, પ્લાસ્ટીકનાં ઝંડા, કેન્ડીસ્ટીક,આઇસ્ક્રીમ સ્ટીક, ડેકોરેશન માટેનું પોલીસ્ટીરીન, પ્લાસ્ટીકનાં કપ, પ્લેટ, ડીસ,પ્લાસ્ટીકની આમંત્રણ પત્રિકા, સીગારેટનાં પેકેટ સહિતની સીંગલ યુઝ પ્લાસ્ટીકની વસ્તુ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.