કોરોનાનો ભોગ બનેલા દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલિ આપશે
ખાસ ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન તથા ભારતીય સિન્ધુ સભા દ્વારા ચેટીચંડ ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 2 એપ્રિલન)ાં ચેટીચંડની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કોરોનાનો ભોગ બનેલા દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલી આપવામાં આવશે. ચેટીચંડની ઉજવણીને લઇ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
સમસ્ત સિન્ધી સમાજનાં નૂતન વર્ષ નિમિતે જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 2 એપ્રિલ 2022નાં સાંજનાં 6 કલાકે નિલકંઠ પાર્ટી પ્લોટ ઝાંઝરડા બાયપાસ ચોકડી ઉપર ચેટીચંડ ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોરોનાની મહામારીનો ભોગ બનેલા દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલી આપવામાં આવશે. સિન્ધી બાળકો અને મહિલો દ્વારા સિન્ધી સંસ્કૃતિનું પ્રદર્શન કરતા સ્ટેજ શો, ગ્રુપ ડાન્સ સહિતનાં કાર્યક્રમ યોજાશે. તેમજ બાળકોને ગીફટ અને રોકડ ઇનામ આપવામાં આવશે.
આ ઉપરાંત સિન્ધી ભાષામાં ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના કાળનાં બે વર્ષ બાદ જૂનાગઢમાં ચેટીચંડની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. તેમજ આ કાર્યક્રમમાં સિન્ધી સમાજ માટે ધુંવાડાબંધ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ ઉપરાંત જામનગરનાં સિન્ધી સીંગર વિનુ જહાંગીયાણી અને જૂનાગઢનાં ગીરીશભાઇ વિધાણી રમઝટ બોલાવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન તથા ભારતીય સિન્ધુ સભાનાં સભ્યો તથા સમસ્ત સિન્ધી સમાજ જહેમત ઉઠાવી રહ્યો છે.